SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ઉદ્વર્તન અને અપવર્તનાકરણ યંત્ર નંબર - ૪ના પ્રમાણ અને કારણો સહિત સમજુતી : અહીં પ્રથમના ૧થી ૩ પદો આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ હોવાથી સૌથી અલ્પ છે, અને પરસ્પર તુલ્ય છે. તેના કરતાં ૪થું પદ સમયાધિક આવલિકાનો ૩જો ભાગ પ્રમાણ હોવાથી અસંખ્ય ગુણ છે. ૫મું પદ સમયોન આવલિકાના ૨/૩ ભાગ પ્રમાણ હોવાથી ત્રણ સમય ન્યૂન દ્વિગુણ અથવા તો વિશેષાધિક છે. તેના કરતાં ૬થી ૯ એ ચારે પદો આવલિકા પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને ચારે પદો પરસ્પર તુલ્ય છે. તેના કરતાં ૧૦મું પદ શ્રેણિમાં અંતર્મુહૂર્ત એટલે કે સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં ૧૧મું પદ શેષ સ્થિતિ કરતાં ઘાયમાન સ્થિતિ સંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં ૧૨મું પદ સમયાધિક આવલિકા ન્યૂન અબાધા એટલે કે મિથ્યાત્વમોહનીય અપેક્ષાએ સમયાધિક આવલિકા ન્યૂન ૭૦૦૦ વર્ષ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. આ સ્થાન ૭માં પદમાં આવેલ છે. તે ટીકાકારના મતે છે. પણ ચૂર્ણાકારના મતે તે સ્થાન અહીં લેવું, કારણ કે ચૂર્ણાકારના મતે તેનું પ્રમાણ સમયાધિક આવલિકા ન્યૂન અબાધા છે. તેના કરતાં ૧૩મું પદ ઉત્કૃષ્ટ અબાધા એટલે કે મિથ્યાત્વની અપેક્ષાએ ૭000 વર્ષ પ્રમાણ હોવાથી, એટલે કે સમયાધિક આવલિકાનો વધારો છે તેથી વિશેષાધિક છે. તેના કરતાં ૧૪મું પદ શ્રેણિ સિવાયના ઉદ્વલ્યમાન દ્વિચરમખંડ હોવાને કારણે પલ્યોપમનો અસંખ્યાતભાગ અસંખ્ય વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્ય ગુણ છે. અહીં દ્વિચરમખંડ જે ઉવેલાય તે અતીત્થાપનારૂપ થાય અને ચરમખંડ તે નિક્ષેપરૂપ થાય. અને દ્વિચરમખંડ કરતાં ચરમખંડ સંખ્યાતગુણ છે. તેથી ૧૪મું પદ અતીત્થાપના કરતાં ૧૫મું નિક્ષેપવાળું પદ સંખ્યાતગુણ છે. અહીં ૧૦ - ૧૫ બન્ને પદ એક સરખા આવે છે અને ૧૧ - ૧૪ એક સરખા આવે છે. ત્યાં ૧૦ - ૧૧ પદ શ્રેણિ અપેક્ષાએ છે અને ૧૪ – ૧૫ પદ શ્રેણિ સિવાય છે. " તેના કરતાં ૧૬મું પદ ઉત્કૃષ્ટ સ્થિતિઘાત રૂપ અંતઃકોડાકોડી સાગ, ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ0 પ્રમાણ અર્થાત્ કિંચિત્ ઊન ડાયસ્થિતિ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેના કરતાં ૧૭મું પદ સમયાધિક આવલિકા ન્યૂન ડાયસ્થિતિરૂપ હોવાથી અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિઘાત કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ વૃદ્ધિ વધારે હોવાથી વિશેષાધિક છે. તેવી રીતે ડાયસ્થિતિ અંતઃકોડાકોડી સાગ ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ) પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિઘાત અંતઃકોઇકોઇ સાગઠ ન્યૂન ૭૦ કોઇકોઇ સાગo પ્રમાણ છે. તેમાં અંતઃ કોઇ કોઇ સાગ0 ની સ્થિતિવાળો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરીને ૭૦ કોકો સાગ પ્રમાણ સ્થિતિવાળો થાય છે. અને જે વધારો થાય છે તેના કરતાં ૭૦ કોકો સાગo સ્થિતિબંધ કરીને અંતર્મુહૂર્ત પછી સ્થિતિઘાત કરીને જે અંતઃ કોકો સાગo ની સ્થિતિવાળો થાય છે. તે ઘટાડો ઓછો અને વધારો વધારે છે તેથી ૧૬મા પદ કરતાં ૧૭મું પદ વિશેષાધિક કહ્યું છે. તેના કરતાં ૧૮મું પદ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા બાદ અંતર્મુહૂર્ત પછી પલ્યોપમ અસંખ્યયભાગ જેટલી સ્થિતિઘાત કરનારને અંતર્મુહૂર્ત પલ્યો અસંત ભાગ ન્યૂન ૭) કોઇકોઇ સાગતુ પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. તેના કરતાં ૧૯મું પદ અબાધા સમયાધિક આવલિકા ન્યૂન ૭૦ કોઇ કોઇ સાગ0 પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. - તેના કરતાં ર૦મું પદ અંતર્મુહુર્ત ન્યૂન ૭૦ કોકો સાગ પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. તેના કરતાં ર૧મું પદ સમયાધિક ર આવલિકા ન્યૂન ૭૦ કોઇકોઇ સાગ0 પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. તેના કરતાં ૨૨ - ૨૩ - ૨૪મા પદો વિશેષાધિક છે. અને ત્રણે પરસ્પર તુલ્ય છે. અને ત્રણે પદોની સર્વસ્થિતિ.એટલે કે. ૭૦ કોકો, સાગ) પ્રમાણ હોવાથી પૂર્વના ૨૧ મા પદ કરતાં સમયાધિક બે આવલિકા જેટલો વધારો છે. અહીં ૨૨મું પદ નિર્વાઘાત ભાવી ઉત્કૃષ્ટ અપવર્ણના વખતે સર્વસ્થિતિનું છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે અંતર્મુહૂર્ત ચાલે ત્યારે આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે અને સત્તા છે. અને અપવર્નના એક આવલિકા ઉપરની ન્યૂન નીચે ઉદયાવલિકા ન્યૂન છે. તે કારણે ઉત્કૃષ્ટ અપવર્તના નિર્વાઘાત વખતે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકાય છે. ૨૫ - ૨૬ અને ૨૭મા પદમાં અબાધા જેવું કશું નથી તેથી ૦ લખ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy