SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્વર્તન અને અપવર્ણનાકરણ ૧૯ પ્રમાણ સ્થિતિબંધ કરીને ઉત્કૃષ્ટ સંકુલેશના વશથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તે ડાયસ્થિતિથી કાંઇક ઓછા કર્મસ્થિતિ પ્રમાણ તે કંડકનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. અને આ ઉત્કૃષ્ટ કંડક એ બે આદિ સમય ન્યૂન પણ કંડક જ કહેવાય છે. એ પ્રમાણે ઓછું કરતાં કરતાં જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર પ્રમાણ થાય તે જઘન્ય કંડક છે. આ જ સમયોન જઘન્ય કંડક તે વ્યાઘાતભાવી અપવર્તનામાં જઘન્ય અતીત્થાપનારૂપ છે. (ચિત્ર નં. - ૭-૮ જુઓ) ઇતિ વ્યાઘાતભાવે સ્થિતિ અપવર્તના સમાપ્ત ચિત્ર નં ૬ની સમજતી :- આ ચિત્રમાં અસતુકલ્પનાથી કુલ ૧થી ૩૭ સત્તા અપેક્ષાએ રહેલ સ્થિતિસ્થાનકો છે. પ્રથમ ૧ થી ૯ બંધાવલિકાના સ્થાનો અનપવર્ણનીય છે. તેમાં ૧૦થી ૧૩ = ૪ સ્થાન સમયાધિક ૧/૩ ભાગ જઘન્ય નિક્ષેપના છે, અને ૧૪થી ૧૮ તે ૫ સ્થાનો સમયોન ૨/૩ ભાગ જઘન્ય અતીત્થાપના છે. તે અનાવર્તનીય છે એટલે કુલ ૧થી ૧૮ એ ૧૮ સ્થાનો અનપવર્ણનીય થયા. હવે ૧૯થી ૩૭ સુધી ૧૯ સ્થાનોની અપવર્તન કરે છે. અપવર્નના એટલે પાછળના સ્થાનોના દલિકોને આગળના સ્થાનોમાં નાંખવા અને અનપવર્તનીય એટલે જે સ્થાનોની અપવર્તન ન થાય તે કહેવાય છે. હવે ૧૯મા સ્થાનના દલિકોને સમયોન ૨૩ ભાગ જઘન્ય અતીત્થાપના એટલે ૧૮થી ૧૪ના ૫ સ્થાનો છોડી સમયાધિક ૧/૩ ભાગ રૂપ ૧૩થી ૧૦ના ૪ સ્થાનોમાં જઘન્ય નિક્ષેપ કરે છે. તે રીતે ૨૦ - ૨૧ - ૨૨ અને ૨૩માં સ્થાનોના દલિકોને તે જ ૪ સ્થાનોમાં નાંખે છે. અહીં સુધી નિક્ષેપ તેટલો જ રહે છે. A =૨૩મા સ્થાને દલિક અતીત્થાપના આવલિકારૂપ ૯ સ્થાનો (૨૨ થી ૧૪) છોડી નાંખ્યું એટલે A આકાર બતાવ્યું છે. હવે આગળના સ્થાનથી નિક્ષેપ વધશે પણ અતીત્થાપના આવલિકારૂપ ૯ સ્થાન જ રહે. તેથી ૨૪મા સ્થાનના દલિકોનો ૧૪ થી ૧૦ = ૫ સ્થાનોમાં નિક્ષેપ થાય છે. અહીંથી નિક્ષેપ વધવાનો ચાલુ થયો માટે T આકારે બતાવ્યું છે. તે રીતે ૨૫ થી ૩૭ના દલિકોનો અનુક્રમે ૧પથી ૨૭માં નિક્ષેપ થાય છે. છેલ્લે ૩૭માં સ્થાનના દલિકો ૨૭થી ૧૦ સુધીના ૧૮ સ્થાનો નિક્ષેપ થયો તે વિદ્યમાન સ્થિતિમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ કહેવાય. અને તે ૧૮ સ્થાનોમાં જ નિક્ષેપ થાય છે. બાકીના ૧ થી ૯ બંધાવલિકાના, ૨૮થી ૩૬ અતીત્થાપના આવલિકા (છેલ્લા સ્થાનની) અને ૩૭મું સ્થાન અપવર્તમાન સ્થિતિ એમ કુલ ૧૯ સ્થાનો અનિક્ષેપ વિષયના કહેવાય. અર્થાત્ તે સ્થાનોમાં નિક્ષેપ ન થાય. અહીં બંધાવલિકા અપવર્તન વખતે હોતી નથી. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એ પસાર થયા બાદ અપવર્ણના થાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અપવર્નના પ્રાયોગ્ય સ્થિતિઓ ગણવા માટે કે નિક્ષેપ સ્થિતિઓ ગણવા માટે બંધાવલિકા ઓછી કરવી પડે તેથી તે બંધાવલિકા બતાવી છે. (ઇતિ ચિત્ર નંબર-૬ની સમજુતી સમાપ્ત). (સ્થિતિ અપવર્ણનામાં ઉત્કૃષ્ટ કંડક અને ડાયસ્થિતિનો તફાવત ચિત્ર નં. - ૮) ૧૦૦ પ૦૦ ૫૦,OOO અંત:કોડાકોડી ઉત્કૃષ્ટ કંડક સાગo ડાયસ્થિતિ અંતઃકોડાકોડી સાગ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ અથવા સાધિક ૬૯ કોડાકોડી સાગરોપમ, ચિત્રની સમજુતી :- આ ચિત્રમાં અસત્કલ્પનાથી ૧ થી ૫૦,000 એ ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ બતાવેલ છે. ૧ થી ૧૦૦ એ અંતઃકોડાકોડી સાગo પ્રમાણ સ્થિતિ છે. પ00 થી પ૦,૦૦૦ એ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ છે. અને ડાયસ્થિતિ ૭૦ કોડાકોડી સાગમાં અંત:કોડાકોડી સાગ0 જૂન છે. ૪૯,૯૦૦ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ કંડક કરતા ઉત્કૃષ્ટ ડાયસ્થિતિ ૪૦૦ વધારે છે. Jain Education Intomational For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy