________________
૩૨૬
કર્મપ્રકૃતિ ભાગ - ૨ ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર આ પ્રમાણે બાર કિઠ્ઠિઓ કરે છે. જો માનના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ આરંભનાર પુરુષવેદનો જે રીતે ક્ષય કરે છે તે રીતે ક્રોધનો નાશ કરે છે, એટલે તેની કિક્રિઓ થતી નથી. પરંતુ માનની ત્રણ, માયાની ત્રણ અને લોભની ત્રણ કુલ નવ કિઠ્ઠિઓ જ થાય છે. માયાના ઉદયે જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો ક્રોધ અને માન એ બંનેનો તો પૂર્વોક્ત રીતે સત્તામાંથી નાશ કરે છે. એટલે માયા અને લોભની જ કિઠ્ઠિઓ કરે છે. અને જો લોભના ઉદયે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય તો ક્રોધ, માન અને માયા એ ત્રણનો પૂર્વોક્ત વિધિએ નાશ કરે છે, એટલે માત્ર લોભની જ ત્રણ કિઠ્ઠિઓ કરે છે. ( કિષ્ટિકરણાદ્ધા પૂર્ણ થાય ત્યારે ક્રોધે ભપકશ્રેણિ પર આરૂઢ થનાર આત્મા ક્રોધના બીજી સ્થિતિમાં રહેલ “પ્રથમ' (પ્રથમ સંજ્ઞાવાળી) કિષ્ક્રિના દલિકને ખેંચી (તની અંતર્મુહુર્ત પ્રમાણ) પ્રથમ સ્થિતિ કરે છે. અને તેને સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અનુભવે છે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ બીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને અનુભવે છે. તેને પણ ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા શેષ રહે. એટલે કે દ્વિતીય સંજ્ઞાવાળી કિષ્ટિઓની જે પ્રથમસ્થિતિ થઇ હતી તેમાંથી સમયાધિક આવલિકા કાળમાં અનુભવાય તેટલી શેષ રહે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ ત્રીજી કિટ્ટિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે, અને તેને વેદ, તેને પણ ત્યાં સુધી વેદ કે સમયાધિક આવલિકા શેષ રહે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે સમજાય છે-કિટ્ટિ કરવાની ક્રિયા પૂર્ણ થયા પછી આત્મા કિટ્ટિ વેદવાની ક્રિયા કરે છે, જે સમયથી કિટ્ટિ દવાની ક્રિયા શરૂ થાય તે સમયથી આરંભી ક્રોધનો રસોદય જેટલો કાળ રહેવાનો હોય તેના પ્રથમ ભાગમાં એટલે કે લગભગ એક તૃતીયાંશ ભાગમાં પ્રથમ સંજ્ઞાવાળી કિષ્ટિ વેદે, એ પ્રમાણે બીજા ભાગમાં દ્વિતીય સંજ્ઞાવાળી કિષ્ટિ વેદે, અને ત્રીજા ભાગમાં તૃતીય સંજ્ઞાવાળી કિટ્ટિ વેદે છે. પ્રથમસ્થિતિ કરવાનો ક્રમ આ પ્રમાણે છે-બીજી સ્થિતિમાં રહેલ પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓને ખેંચી તે કિટ્ટિઓને રસોદયથી જેટલો કાળ અનુભવવાનો છે તેનાથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિ કરે. એ પ્રમાણે જે જે કિટ્ટિઓને અનુભવવાનો હોય તેની પ્રથમસ્થિતિ તેના રસોદય કાળથી એક આવલિકા પ્રમાણ વધારે કરે છે.
એક આવલિકા પ્રમાણ વધારે થવાનું કારણ તે આવલિકા કાળ બાકી રહે છે. અને જીવસ્વભાવે પછી પછીની કિટ્ટિનો ઉદય થઇ જાય છે. જે એક એક આવલિકા શેષ રહી તેને પછીની કિટ્ટિ સાથે જ અનુભવી લે છે. ક્રોધાદિની પ્રથમ સ્થિતિ પણ આ પ્રમાણે થાય છે. ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનાર જે વખતે તેની પ્રથમસ્થિતિ કરે છે તે ક્રોધનો નવમા ગુણસ્થાનકના જે સમય સુધી રસોદય હોય તેનાથી એક આવલિકા અધિક કરે છે. કેમ કે પ્રથમસ્થિતિની એક આવલિકા બાકી રહે છે અને માનનો ઉદય થઇ જાય છે. બાકી રહેલી તે આવલિકા સ્ટિબુક્સક્રમવડે માનમાં સંક્રમી ભોગવાઇ જાય છે. આ પ્રમાણે કિષ્ટિઓની અને માનાદિની પ્રથમસ્થિતિ માટે સમજવું
ત્રણે પ્રકારની કિઠ્ઠિઓના અનુભવ કાળમાં બીજી સ્થિતિમાં રહેલ દલિકને ગુણસંક્રમવડે પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય-અસંખ્યગુણાકારે સંજ્વલન માનમાં નાંખે છે. તૃતીય કિ િવેદન કાળના ચરમ સમયે સંજ્વલન ક્રોધનો બંધ-ઉદય-ઉદીરણા એ ત્રણનો યુગપતું વિચ્છેદ થાય છે. (વિચ્છેદ સમયે) તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકા કાળમાં બાંધેલ દલને છોડી અન્ય કોઇ દળની હોતી નથી, કેમ કે સઘળુ માનમાં સંક્રમાવી દીધેલ છે.
- ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માનની પ્રથમ કિષ્ટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે છે. અને તેને અંતર્મુહર્ત પર્યન્ત વેદે છે. આ કાળમાં જ ક્રોધના બંધાદિનો વિચ્છેદ થયે છતે સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું તેનું જે દલિક સત્તામાં હતું, તેને પણ તેટલાં જ કાળે ગુણસંક્રમવડે પરમાં સંક્રમાવતાં-સંક્રમાવતાં ચરમ સમયે સર્વસંક્રમવડે સંક્રમાવી પુરુષવેદની જેમ નાશ કરે છે. તથા તે વખતે પ્રથમસ્થિતિરૂપે કરી અનુભવાતું પ્રથમ કિટ્ટિનું દળ પણ સમયાધિક આવલિકા પ્રમાણ શેષ થાય એટલે કે તેટલાં કાળમાં ભોગવાય તેટલું શેષ રહે. ત્યાર પછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ માનની બીજી કિટ્ટીનું દલિક ખેંચી તેની પ્રથમસ્થિતિ કરે અને વેદે. તેને ત્યાં સુધી વેદે કે તેની સમયાધિક આવલિકા માત્ર શેષ રહે.
અહીં પ્રથમસ્થિતિ તો ચાલુ જ છે. તેની સાથે પ્રથમ સંજ્ઞાવાળી કિક્રિઓને પણ અનુભવે છે. ત્યાં સુધી અનુભવે કે સમયાધિક આવલિકા કાળ પિયત પ્રથમ સંજ્ઞાવાળી કિઠ્ઠિઓ અનુભવાય તેટલી તેની પ્રથમસ્થિતિ શેષ રહે. ત્યાર પછીના સમયે દ્વિતીય સંજ્ઞાવાળી કિક્રિઓને ખેંચી અનુભવે એક આવલિકા જેટલાં કાળમાં અનુભવાય તેટલી જે પ્રથમ સંજ્ઞાવાળી કિક્રિઓ શેષ રહી છે તેને દ્વિતીય સંજ્ઞાવાળી ક્રિીઓ સાથે અનુભવે
છે. કિક્રિઓને અનુભવવાનો આ ક્રમ છે. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org