________________
૨૫૧
ટીકાર્થ ઃ
આ કિફ્રિક૨ણાદ્ધાના સંખ્યેયભાગ ગયે છતે સંજ્વલન લોભનો સ્થિતિબંધ ભિન્નમુહૂર્ત અર્થાત્ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અને ત્રણ ધાતિકર્મોનો દિન પૃથક્ત્વ પ્રમાણ છે. અને નામ-ગોત્ર-વેદનીયનો હજાર વર્ષ પૃથ અર્થાત્ ઘણાં હજાર વર્ષ પ્રમાણ છે. પૃથ શબ્દ અહીં બહુત્વ વાચી છે. તથા કિટ્ટિકરણાદ્ધાના અન્ને એટલે અન્ય સમયે સંજ્વલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્તે કરે છે, એ પ્રમાણે અર્થ છે. ફક્ત આ અંતર્મુહૂર્ત અત્યન્ત અલ્પતર જાણવું.
તથા ‘સિં’ તિ - ઘાતિકર્મનો અંતર્દિવસ એટલે દેશોન એક અહોરાત્રિ સ્થિતિબંધ કરે છે. અને જે નામ - ગોત્ર - વેદનીય એ ૩ અઘાતિ કર્મનો હજાર વર્ષ પૃથક્ત્વ પ્રમાણ કિટ્ટિકરણાદ્ધાના સંખ્યેયભાગ અતિક્રમ ભાવિ સ્થિતિબંધથી અન્ય અન્ય સ્થિતિબંધ હીન હીનતર સ્થિતિબંધ થતાં તે કિષ્ટિકરણાદ્ધાના અન્ય સમયે બે વર્ષની અંદર = ઓછો સ્થિતિબંધ થાય છે.
ઉપશમનાકરણ
તથા કિષ્ટિકરણાદ્ધામાં સમય ન્યૂન ૩ આવલિકા બાકી રહેતા અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ લોભના દલિકને સંજ્વલન લોભમાં સંક્રમાવે નહીં. કારણ કે ત્યાં સંજ્વલન લોભના પતદ્મહતાની નિવૃત્તિ અર્થાત્ વિચ્છેદ થતો હોવાથી, પરંતુ સ્વસ્થાને જ રહ્યું છતુ ઉપશમાવે છે. અને કિટ્ટિકરણાદ્ધામાં બે આવલિકા બાકી રહેતા બાદર સંજ્વલન લોભનો આગાલ ન થાય, પરંતુ ઉદીરણા જ થાય છે, તે પણ આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. તે ઉદીરણા આવલિકાના અન્ય સમયે જે ‘વિટ્ટીઝ' ત્તિ કિટ્ટિરૂપ થયેલ દ્વિતીયસ્થિતિમાં રહેલ દલિક અને જે કહેલ સમય ન્યૂન બે આવલિકા બાંધેલ, અને જે કિટ્ટિકરણાદ્વાની એક ઉદયાવલિકા બાકી રહી છે, સંજ્વલન લોભનું એ સર્વ દલિક ઉપશાન્ત વગરનું રહેલ છે, બાકીનું સર્વ ઉપશાન્ત થયું છે. તથા તે જ સમયે બન્ને અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ લોભ પણ
ચિત્ર નંબર-૧૮ની સમજુતી :- પ્રદેશ અપેક્ષાએ અનંતરોપનિધા :- પ્રથમ દ્વિગુણહાનિમાં ૮ પ્રદેશોની હાનિ,દ્વિતીય દ્વિગુણહાનિમાં તેનાથી અર્ધા = ૪ પ્રદેશો છે. તે કારણથી પ્રથમની હાનિ દ્વિગુણહાનિમાં ઉત્તરોત્તર વર્ગણામાં ૮-૮ પ્રદેશો હીન -હીનતર છે. દ્વિતીયાદિ દ્વિગુણહાનિમાં ૪-૪ પ્રદેશો હીન-હીનતર થાય છે. અહીં અસત્કલ્પનાથી ચિત્રમાં પ્રથમ દ્વિગુણહાનિમાં પ્રથમ વર્ગણામાં પ્રદેશો-૨૫૬, દ્વિતીય વર્ગણામાં ૨૪૮, તૃતીય વર્ગણામાં - ૨૪૦ પ્રદેશો છે એ પ્રમાણે આગળ પણ જાણવું.
પ્રદેશ અપેક્ષાએ પરંપરોપનિધા :- અહીં દ્વિગુણહાનિ અસત્કલ્પનાથી ૧૬ વર્ગણા પ્રમાણ છે, તેથી અસત્કલ્પનાથી પ્રથમ દ્વિગુણહાનિની પ્રથમવર્ગણામાં જે ૨૫૬ પ્રદેશો છે તેથી અર્ધા પ્રદેશો દ્વિતીય દ્વિગુણહાનિની પ્રથમ વર્ગણામાં ૧૨૮ પ્રદેશો થાય છે. તેથી અર્ધ તૃતીય દ્વિગુણહાનિની પ્રથમ વર્ગણામાં ૬૪ પ્રદેશો થાય છે. એ પ્રમાણે આગળ પણ જાણવું.
અનુભાગ અપેક્ષાએ અનંતરોપનિધા :- પ્રથમ દ્વિગુણહાનિની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,000 રસાવિભાગ, દ્વિતીય વર્ગણામાં એક અધિક = ૧,૦૦,૦૦૧ રસાવિભાગ, એ પ્રમાણે ઉત્તરોત્તર વર્ગણામાં એકેક અધિક કહેવી. અહીં અસત્કલ્પનાથી એક સ્પર્ધકમાં ૪ વર્ગણા છે. છેલ્લી વર્ગણામાં ૧,૦૦,૦૦૩ રસાવિભાગ છે. એ પછી અંતર આવે છે, અને તે કંઇક ન્યૂન પ્રથમ સ્પર્ધકની વર્ગણાના રસાણુઓ છે. અસકલ્પનાથી ૯૯,૯૯૭ ૨સાવિભાગનું અંતર છે. તેથી પ્રથમ દ્વિગુણહાનિમાં દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૨,૦૦,૦૦૦ ૨સાવિભાગ છે. એ પ્રમાણે આગળ પણ કહેવું.
અનુભાગ અપેક્ષાએ પરંપરોપનિધા :- પ્રથમ દ્વિગુણહાનિમાં પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,૦૦૦ રસાવિભાગો છે. દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં દ્વિગુણ = ૨,૦૦,૦૦૦ ૨સાવિભાગો છે. તૃતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ત્રિગુણ = ૩,૦૦,૦૦૦ ૨સાવિભાગો છે. એ પ્રમાણે આગળ પણ પ્રથમ દ્વિગુણહાનિમાં પ્રથમ વર્ગણા અપેક્ષાએ જેટલી સંખ્યામાં સ્પર્ધક થાય તેટલી સંખ્યેયગુણ ૨સાવિભાગો તે સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં થાય છે.
હવે પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧,૦૦,000 રસાવિભાગો છે. દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં દ્વિગુણ = ૨,૦૦,૦૦૦ રસાવિભાગો થાય છે. દ્વિતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણાગત ૨,૦૦,૦૦૦ રસાવિભાગો તૃતીય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ત્રિદ્વિભાગ ગુણા = ૨,૦૦,૦૦૦ x ૐ = ૩,૦૦,૦૦૦ ૨સાવિભાગો થાય છે. અર્થાત્ જેટલામું સ્પર્ધક હોય તેમાંથી એક ઓછો કરી જે આવે એટલામો ભાગ પૂર્વ સ્પર્ધક કરતાં વધારે આવે. તેથી ચતુર્થ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ચતુઃ ત્રિભાગ ગુણા = ૩,૦૦,૦૦૦ x ૪/૩ = ૪,૦૦,૦૦૦ રસાવિભાગો થાય છે. એ પ્રમાણે આગળ પણ જાણવું. (ઇતિ ચિત્ર નંબર ૧૮ ની સમજુતી સમાપ્ત.)
૫૩
બાકી રહેલ ઉદયાવલિકાને દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મ કિક્રિઓમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી અનુભવે છે, સમય ન્યૂન બે આવલિકા કાળમાં બંધાયેલું દલિક તેટલાં જ કાળે શાંત થાય છે. અને કિક્રિઓમાં કેટલીક કિગ્નિઓને ભોગવીને ખપાવે છે, કેટલીકને શાંત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org