SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ કર્મપ્રકૃતિ જ્યારે જ્યારે મોહનીયકર્મનો ઉપશમ કરે ત્યારે ત્યારે સ્થિતિઘાત વગેરેથી સત્તામાં રહેલ શેષ ચારિત્રમોહનીયની પ્રકતિઓનાં ઘણાં દલિકો સત્તામાંથી ક્ષય થઇ જાય છે. તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી પન: અનંતા ત્યારે તેમાં સંક્રમથી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓના ઘણાં જ ઓછા લોકો આવે માટે ચારવાર મોહનીયનો ઉપશમ કરવાનું કહેલ છે, અને એકસો બત્રીસ સાગરોપમ કાળસુધી સંક્રમ દ્વારા અનંતાનુબંધિના ઘણાં જ દલિકો સત્તામાંથી દૂર થઇ જાય છે. તેથી એકસો બત્રીસ સાગરોપમ કાળ સમ્યકત્વનું પાલન કરી પછી ક્ષય કરે એમ કહેલ છે, અને અપૂર્વકરણમાં ગુણસંક્રમ દ્વારા ઘણાં દલિકો સંક્રમે છે, તેથી યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે બતાવેલ છે. શક્ય તેટલા નાનામાં નાના અંતર્મુહર્ત પ્રમાણ અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકસપ્તકનો બંધ કરી અવિરત થઇ અંતર્મુહર્ત બાદ આહારકસપ્તકની ઉદૂવલના શરૂ કરે, તે કરતા કરતા જ્યારે દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે પરપ્રકૃતિમાં દલિક સંક્રમાવે ત્યારે આહારકસપ્તકના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે... પહેલામાં પહેલો તીર્થંકર નામકર્મનો બંધ શરૂ કરે અને પહેલા સમયે બંધાયેલ લતાની બંધાવલિકા પૂર્ણ કરી પહેલા સમયે યથાપ્રવૃત્તસંક્રમથી પરપ્રકૃતિમાં સંક્રમાવે ત્યારે તીર્થંકર નામના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. બંધાવલિકા પછીના બીજા વિગેરે સમયમાં બંધાવલિકાના બીજા વિગેરે સમયમાં બંધાયેલ અને અન્ય પ્રવૃતિઓના સંક્રમ દ્વારા આવેલ દલિકોની બંધાવલિકા અને સંક્રમાવલિકા વ્યતીત થયેલ હોવાથી તેઓનો પણ સંક્રમ થાય તેથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકે નહીં. માટે જ પહેલી બંધાવલિકા પછીના પહેલા સમયે જ જઘન્ય પ્રદેશસંક્રમ બતાવેલ છે. જેને વૈક્રિયાદિ અગિયાર પ્રવૃતિઓ સત્તામાં નથી તેવો જીવ પંચેન્દ્રિયના ભવમાં બની શકે તેટલાં નાના અંતર્મુહૂર્ત કાળ સુધી વૈક્રિયાદિ અગિયાર પ્રકૃતિઓને બાંધી કાળ કરી સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારક થાય અને ત્યાંથી મરી ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં ઉત્પન્ન થઇ ઉપરોક્ત અગિયાર પ્રકૃતિઓ બાંધ્યા વિના કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ ઉદ્વલના શરૂ કરે અને તેઉકાય કે વાયુકાયમાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર એ ત્રણ પ્રકતિઓની ઉદ્દવલના કરી સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થઇ બની શકે તેટલાં નાનામાં નાના અંતર્મુહુર્ત સુધી આ ત્રણ પ્રકૃતિઓ બાંધી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ ત્યાં આ ત્રણ પ્રકૃતિઓનો બંધ કર્યા વિનાજ સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો નારક થાય, ત્યાંથી મરી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યાંથી આ ત્રણ પ્રકૃતિઓ બાંધ્યા ' વિના જ કાળ કરી તેઉકાય કે વાયુકામાં આવી ઉદૂવલના શરૂ કરે અને તે ઉદૂવલના કરતાં જ્યારે ચિરમ સ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિઓમાં ઓછામાં ઓછા દલિકો સંક્રમાવે છે, ત્યારે વૈક્રિયસપ્તક, દેવદ્રિક અને નરકદ્ધિક એ અગિયાર પ્રકૃતિઓના એકેન્દ્રિય અને મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્રના તેઉકાય કે વાયુકાય જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. અલ્પકાળમાં ઘણાંજ અલ્પ બંધાયેલ દલિકોને આટલાં લાંબા કાળ સુધી સંક્રમ દ્વારા તેમજ નરકદ્ધિક અને વૈક્રિયસપ્તકના ઉદય તથા ઉદીરણા દ્વારા પણ સત્તામાંથી ઘણાંજ દલિકો દૂર થઇ જાય છે અને બંધથી પણ વધુ દલિકોનો સંચય ન થાય માટે બાંધવા યોગ્ય ભાવોમાં પણ બંધ કર્યા વિના એકેન્દ્રિયાદિમાં આવી ઉદ્ગલના કરવાનું કહેલ છે. ' ઉપશમશ્રેણિમાં અપૂર્વકરણ ગુણસ્થાનકથી અવધ્યમાન અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે. માટે અસાતાના ઘણાં દલિકો સાતામાં આવી જાય છે તેથી સંક્રમ વખતે સાતાનો જઘન્ય પ્રદેશસંક્રમ ન આવે માટે ઉપશમશ્રેણિ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્મા છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અસાતા વેદનીયનો છેલ્લો બંધ કરે ત્યારે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં સાતા વેદનીયના જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી છે. પછી સાતા જ બંધાતી હોવાથી સાતાનો સંક્રમ યતોજ નથી.. એકપણ વાર મોહનીયનો ઉપશમ કર્યા વિના ક્ષપિતકમાંશની બાકીની બધી ક્રિયાઓ કરી જઘન્ય પ્રદેશસત્તાવાળા થઇ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્માઓ અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકાના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં પંચેન્દ્રિયજાતિ, તેજસ-કાશ્મણસપ્તક, વજઋષભનારાચ સંઘયણ, સમચતુરઐસંસ્થાન, શુભવર્ણાદિ અગિયાર, પ્રશસ્તવિહાયોગતિ, પરાઘાત, ઉછુવાસ, અગુરુલઘુ, નિર્માણનામકર્મ અને ત્રસદશક આ ૩૬ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓના ઘણાં દલિકો ગુણસંક્રમ દ્વારા આ પ્રવૃતિઓમાં આવવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય માટે એકવાર પણ મોહનીયનો ઉપશમ કર્યા વિના એમ કહેલ છે. અને ક્ષપકશ્રેણિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy