SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૬૧ (૧) ઉદ્દવલનાસંક્રમ - સત્તાગત કર્મદલિકોને ઉખેડવા અથવા નિર્મળપણે તેનો નાશ કરવો તે ઉદ્વવનાસંક્રમ કહેવાય છે, સત્તાગત પ્રકૃતિઓના નાશ કરવા માટેના અનેક સાધનોમાં ઉદ્વવનાસંક્રમ પણ એક પ્રબલ સાધન છે. ત્યાં સત્તાગત કર્મસ્થિતિના ઉપરના પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા સ્થિતિખંડને ઉપાડી અંતર્મુહુર્ત કાળમાં નાશ કરે. ત્યારબાદ પ્રથમ નાશ કરેલ સ્થિતિખંડના નીચેના બીજા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ઉપાડી પુનઃ તેનો અંતર્મુહૂર્તમાં નાશ કરે, એમ દ્વિચરમ સ્થિતિખંડ સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિખંડથી કંઇક ઓછા-ઓછા છતાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિખંડ ઉપાડી ઉપાડી દરેક અંતર્મુહુર્ત નાશ કરે છે, અને કિચરમ - સ્થિતિખંડથી અસંખ્યાતગુણ પ્રમાણ ચરમ સ્થિતિખંડનો પણ અંતર્મુહૂર્તમાં વિનાશ કરે છે. અહીં સ્થિતિ તથા દલિકને આશ્રયી અનંતરોનિધાથી અને પરંપરોપનિધાથી એમ બે રીતે વિચાર કરી શકાય છે. અનંતરોપનિધાએ - સ્થિતિની અપેક્ષાએ પ્રથમના સ્થિતિખંડથી દ્વિચરમ સ્થિતિખંડ સુધીના દરેક સ્થિતિખંડો વિશેષ હીન-હીન અર્થાતુ અસંખ્યાત ભાગ હીન-હીન સ્થિતિવાળા હોય છે, અને દ્વિચરમ સ્થિતિખંડથી ચરમ સ્થિતિખંડ અસંખ્યાતગુણ હોવા છતાં પ્રથમના સ્થિતિખંડની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન સ્થિતિવાળો હોય છે. પરંપરોપનિધાએ – પ્રથમ સ્થિતિખંડથી શરૂઆતના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતભાગહીન, તેની નીચેના કેટલાક સ્થિતિખંડો સંખ્યતિભાગહીન, તેની નીચેના કેટલાક સંખ્યાતગુણહીન અને તેની નીચેના કેટલાક છેલ્લા સ્થિતિખંડો અસંખ્યાતગુણ હીન હોય છે. - અનંતરોપનિધાથી – દલિકોની અપેક્ષાએ પ્રથમ સ્થિતિખંડ સર્વથી અલ્પ દલિકવાળો હોય છે, અને તેની નીચેના દ્વિચરમ સ્થિતિખંડ સુધીના દરેક સ્થિતિખંડો વિશેષાધિક - વિશેષાધિક અર્થાતુ અસંખ્યાતભાગ અધિક-અધિક દલિકવાળા હોય છે અને ચરમસ્થિતિખંડ અસંખ્યાતગુણ દલિતવાળો હોય છે. પરંપરોપનિધાએ - પ્રથમ સ્થિતિખંડના દલિકોની અપેક્ષાએ નીચેના શરૂઆતના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતભાગ અધિક, તેની નીચેના કેટલાક સંખ્યાતભાગ અધિક, તેની નીચેના કેટલાક સંખ્યાતગુણ અધિક અને તેની નીચેના કેટલાક સ્થિતિખંડો અસંખ્યાતગુણ અધિક દલિકવાળા હોય છે. - આ ઉદૂવલનાસંક્રમમાં ઉમેરાતા સ્થિતિખંડોનું દલિક નહીં ઉકેરાતા નીચેના પોતાના સ્થિતિસ્થાનોમાં અને સ્વજાતીય અન્ય પ્રવૃતિઓમાં પણ નાખે છે. ત્યાં દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમય સુધી પ્રથમ સ્થિતિખંડના પ્રથમ સમયથી સમયે સમયે અસંખ્યાતગુણ દલિક નીચે સ્વાસ્થાનમાં નાખે છે અને પરસ્થાનમાં પ્રથમ સમયથી વિશેષ હીન-હીન નાખે છે. પ્રથમ સમયે પરસ્થાનમાં જેટલું દલિક નાખે છે. તેના કરતાં સ્વસ્થાનમાં અસંખ્યાતગુણ દલિક નાખે છે. અને ચરમ સ્થિતિખંડ પોતે જ ઉકેરાતો હોવાથી વળી તેની નીચે માત્ર એક ઉદયાવલિકા પ્રમાણ જ સ્થિતિ હોવાથી તેના સમગ્ર દલિકને સમયે-સમયે અસંખ્યાતગુણ પરપ્રકૃતિમાં જ નાંખે છે પરંતુ સ્વમાં નહીં. આ ઉદ્વવનાસંક્રમ કેટલીક પ્રવૃતિઓ યથાપ્રવૃત્તસંક્રમને રોકીને કેટલીક પ્રવૃતિઓના વિધ્યાતસંક્રમને રોકીને પ્રવર્તે છે. જેમ આહારકની સત્તાવાલો અવિરતિભાવને પામેલ જીવ અંતર્મુહૂર્ત બાદ સમ્યકત્વ - મિશ્રમોહનીય, દેવદ્વિક, નરકદ્ધિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, મનુષ્યદ્રિક, ઉચ્ચગોત્ર એ ૨૩ પ્રકૃતિઓની (પૂ.મલયગિરિ મસાની ટીકામાં અનંતાd - સહિત ૨૭ પ્રકૃતિઓ કહીં છે.) પલ્યોપમના અસંખ્યાતમાં પ્રમાણ કાળમાં ઉદ્ગલના કરે છે. અને અનંતા-૪, મિથ્યાત્વ, મિશ્રમોહનીય એ ૬ પ્રકૃતિઓની ૪ થી ૭ ગુણસ્થાનક સુધીના જીવો, તેમજ ક્ષપક જીવ થીણદ્વિત્રિક નામની ૧૩ પ્રકૃતિઓ (સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકદ્રિક, આતપ, ઉદ્યોત, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, સાધારણ) મધ્યમ ૮ કષાય, સંખ્ત ક્રોધાદિ-૩, નોકષાય-૯ એ ૩૬ પ્રકૃતિઓ ૯મા ગુણસ્થાનકે પોત પોતાના ક્ષય વખતે ક્ષપક જીવ અંતર્મુહુર્ત : કાલે ઉવેલ છે. ઉદ્ગલનાસંક્રમમાં કુલ ૬૨ પ્રકૃતિઓ થાય છે. જે પ્રકૃતિઓની અંતર્મુહૂર્તમાં ઉદૂવલના કરે છે તે પ્રકૃતિઓમાં અમુક કાળ પછી ઉદૂવલના સંક્રમની સાથે પ્રાય: ગુણસંક્રમ પણ પ્રવર્તે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy