SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ કર્મપ્રકૃતિ જે ગુણસ્થાનકોમાં જે પ્રકૃતિઓનો સંક્રમ બતાવ્યો છે, તે ગુણસ્થાનકોમાં કે સર્વ પ્રકૃતિઓનો હંમેશાં સંક્રમ હોય છે એમ સમજવાનું નથી, પરંતુ યથાસંભવ તેમાંની મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રવૃતિઓનો હંમેશાં અને સાતાવેદનીય વગેરે અઘુવબંધી પ્રકૃતિઓનો કોઇ વખતે હોય છે અને કોઇ વખતે નથી હોતો. તે સ્વયં સમજી લેવું હવે પતગ્રહ પ્રકૃતિ આશ્રયી સાધાદિ-ભંગ બતાવે છે. - ત્યાં મિથ્યાત્વ વિના છેતાલીસ પ્રવબંધી પ્રવૃતિઓની પતગ્રહ સાદાદિ ચાર પ્રકારે અને ચાર આયુષ વિના અધુવબંધી ઓગણસિત્તેર, મિથ્યાત્વ તેમજ મિશ્ર અને સમ્યકત્વમોહનીય એમ બોંતેર પ્રકૃતિઓની પતઘ્રહતા સાદિ અને અધુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે - જે પ્રકૃતિઓનો જે ગુણસ્થાનક સુધી બંધ હોય ત્યાં સુધી તેમાં સામાન્યથી અન્ય પ્રકૃતિનો સંક્રમ થાય છે. માટે ત્યાં સુધી તે પ્રકૃતિ પતગ્રહ કહેવાય છે પરંતુ બંધવિચ્છેદ થયા પછી તેમાં અન્ય પ્રકૃતિનો સંક્રમ થતો ન હોવાથી તેની પતäહતા પણ રહેતી નથી માટે જે પ્રકૃતિનો જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી તે પ્રકૃતિ સામાન્યથી પતગ્રહ હોય છે, તેથી તે તે ધ્રુવબંધી પ્રવૃતિઓનો બંધવિચ્છેદ થયા બાદ ફરીથી બંધ શરૂ થાય ત્યારે તે તે પ્રકૃતિના પતગ્રહની સાદિ, અને બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી અનાદિ, અભવ્ય જીવોને બંધવિચ્છેદ થતો જ ન હોવાથી તેઓ આશ્રયી ધ્રુવ અને ભવ્ય જીવોને બંધવિચ્છેદ થતો હોવાથી અધૂવ. મિથ્યાત્વમોહનીય પ્રવબંધી હોવા છતાં તેમાં મિશ્ર અને સમ્યકત્વમોહનીય એ બે પ્રકૃતિઓનો જ સંક્રમ થાય છે. પરંતુ પ્રથમ ગુણઠાણે આ બે પ્રકૃતિઓની હંમેશા સત્તા હોતી નથી, તેથી જ્યારે સત્તામાં હોય છે ત્યારે જ મિથ્યાત્વ પતäહ થાય છે, અન્યથા નહીં, માટે મિથ્યાત્વની પતગ્રહતા સાદિ-અધ્રુવ છે. અધુવબંધી પ્રવૃતિઓ અમુક નિયત ટાઇમે બંધાય છે, માટે તેની પતગ્રહતા પણ સાદિ અને અધુવ હોય તે સ્વાભાવિક છે. અને સમ્યકત્વમોહનીય તેમજ મિશ્રમોહનીય પણ અનિયત સત્તાવાળી હોવાથી તે બન્નેની પતગ્રહતા પણ સાદિ અધ્રુવ છે. અહીં સર્વ મલીને ૪૪૨ ભાંગા થાય છે. જે યંત્ર નં ૩માં બતાવેલ છે, હવે કયા કયા કર્મના કેટલાં કેટલાં સંક્રમસ્થાનો અને પતગ્રહસ્થાનો હોય છે, તે કહે છે. - ત્યાં મોહનીયકર્મના સત્તાસ્થાનો ૨૮ આદિ પંદર છે, પરંતુ સંક્રમસ્થાનો આઠ અધિક હોવાથી ત્રેવીસ અને બંધસ્થાનો બાવીશ આદિ દશ છે. પરંતુ પતગ્રહસ્થાનો આઠ અધિક હોવાથી કુલ અઢાર છે. શેષ સર્વ કર્મોના જેટલાં બંધસ્થાનો છે, તેટલાં જ પતગ્રહસ્થાનો છે, અને જેટલાં સત્તાસ્થાનો છે તેટલાં જ સમાન્યથી સંક્રમસ્થાનો છે, પરંતુ દર્શનાવરણીય વેદનીય અને ગોત્રકર્મમાં જે ફેરફાર છે તે હમણાં બતાવશે. જ્ઞાનાવરણીયકર્મની પાંચે પ્રકૃતિઓ વબંધી હોવાથી દશમાં ગુણસ્થાનક સુધી સાથે જ બંધાય છે તેમજ ધ્રુવસત્તા હોવાથી બારમા ગુણઠાણા સુધી પાંચેયની સાથે જ સત્તા હોય છે માટે પાંચ પ્રકૃતિ રૂ૫ એક જ પતગ્રહ અને એક જ સંક્રમસ્થાન છે, અને તે દશમા ગુણઠાણા સુધી હોય છે. અગિયારમે અને બારમે ગુણઠાણે પાંચેય પ્રકૃતિઓની સત્તા હોવા છતાં એકેયનો બંધ ન હોવાથી પતગ્રહના અભાવે સંક્રમ પણ થતો નથી, આ પતગ્રહ તથા સંક્રમસ્થાન સાઘાદિ ચાર પ્રકારે છે, કારણકે અગિયારમા ગુણઠાણે બંનેનો અભાવ છે, ત્યાંથી પડી દશમે ગુણઠાણે આવે ત્યારે પુનઃ બન્ને શરૂ થાય માટે સાદિ, દશમાં ગુણઠાણાથી આગળ નહીં ગયેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને આગળ ઉપર સંક્રમઅને પતઘ્રહ એમ બન્નેના અભાવનો સંભવ હોવાથી અધ્રુવ છે. અંતરાયકર્મના વિષયમાં પણ આજ પ્રમાણે છે. દર્શનાવરણીયકર્મના નવ, છ અને ચાર પ્રકૃતિ રૂપ ત્રણ બંધસ્થાનો હોવાથી પતઘ્રહસ્થાનો ત્રણ છે, પરંતુ ઉપર મુજબના ત્રણ સત્તાસ્થાનો હોવા છતાં ચારની સત્તા બારમા ગુણસ્થાનકમાં ચરમ સમયે હોય છે, તે વખતે દશર્નાવરણીયની એકે પ્રકૃતિનો બંધ ન હોવાથી પતગ્રહના અભાવે ચારનો સંક્રમ થતો નથી તેથી શેષ નવ અને છ પ્રકૃતિ રૂ૫ બે સંક્રમસ્થાનો છે. તેમાં નવનો સંક્રમ પહેલા-બીજા ગુણઠાણે નવના પતંગ્રહમાં થાય છે, અને ત્રીજાથી આઠમા ગુણઠાણાના સંખ્યાતમા ભાગ સુધી નવનો છમાં થાય છે, અને ત્યારબાદ ઉપશમશ્રેણિમાં દશમાં ગુણઠાણા સુધી નવનો ચારમાં થાય છે, પરંતુ ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો સુધી નવનો ચારમાં અને તે પછી થીસિદ્વિત્રિકની સત્તાનો વિચ્છેદ થવાથી દશમાં ગુણસ્થાનક સુધી શેષ છ પ્રકૃતિઓનો ચારમાં સંક્રમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy