SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ કર્મપ્રકૃતિ અહીં ક્ષપતિકમાંશવાલો જીવ ૨૨ સાગ0 સ્થિતિવાલો છઠ્ઠી પૃથ્વીમાં નારક તરીકે ઉત્પન્ન થાય ત્યાં આ ૯ પ્રકૃતિઓ ભવપ્રત્યયથી જ બાંધ્યા વિના છેલ્લા અંતર્મુહુર્તમાં અર્થાતુ આયુષ્ય અંતર્મુહુર્ત બાકી રહેતાં સમ્યકત્વને પામીને મનુષ્યને વિષે સમ્યત્વ સહિત જ ઉત્પન્ન થઇને સંપૂર્ણ સંયમ પાલન કરીને ૯ભા રૈવેયકમાં ૩૧ સાગરોપમ સ્થિતિવાલો દેવ તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં અંતર્મુહુર્ત પછી મિથ્યાત્વ પામે છતે પણ ભવપ્રત્યયથી જ આ પ્રવૃતિઓ બાંધે નહીં. પછી છેલ્લા અંતર્મુહુર્ત (આયુ બાકી રહે) સમ્યકત્વને પ્રાપ્ત કરીને સમ્યકત્વથી નહીં પડેલ અર્થાતુ સમ્યત્વ સહિત જ મનુષ્યને વિષે ઉત્પન્ન થઇને સંયમને પાલીને બે વાર વિજયાદિ અનુત્તર દેવલોકમાં જવા વડે ૬૬ સાગરોપમ કાલ પૂર્ણ કરીને મનુષ્યને વિષે અંતર્મુહૂર્ત મિશ્રપણું અનુભવીને પછી તરત જ બીજા ૬૬ સાગરોપમ સમ્યકત્વના કાલને ૩ વાર ૧૨મા અશ્રુત દેવલોકે જઇ પૂર્ણ કરે છે. (૨૨ X ૩ = ૬૬) તે જ સમ્યક્ત્વનું અનુપાલન કરીને તે સમ્યક્ત્વનો કાલ Iકી રહે ક્ષય કરવા માટે તત્પર થાય. એ પ્રમાણે ૪ પલ્યોપમ અધિક ૧૮૫ સાગરોપમ અધિક પૂર્વ કહેલ ૯ પ્રકૃતિઓનો બંધનો અભાવ થાય. અહીં ભાવનામાં સમ્યકત્વથી પડેલાને મિશ્રગમન જે કહ્યું છે તે કર્મગ્રન્થના મતે અવિરુધ્ધ છે. (એટલે કે કર્મગ્રન્થના મતે સમ્મત્ત છે.) સિદ્ધાન્તના મતે પણ આ જે કહ્યું તે સમ્મત્ત નથી. કારણકે કલ્પભાષ્યમાં કહ્યું છે. ૧૨૫નિચ્છત્તા સંવતી વિરુદ્ધ તો સમગીસે 1 બીસમો વા તો સા નિષ્ઠ ર ૩ મસિ” અર્થ - મિથ્યાત્વથી સમ્યકત્વ અને મિશ્રમાં સંક્રાન્તિ થાય છે. મિશ્રથી બન્નેમાં - સમ્યકત્વ - મિથ્યાત્વમાં સંક્રાન્તિ થાય છે. સમ્યકત્વથી મિથ્યાત્વને પામે પરંતુ મિશ્રને ન પામે. छत्तीसाए सुभाणं, सेढिमणारुहिय सेसगविहीहि । कटु जहन्नं खवणं, अपुवकरणालिया अंते ॥ १०९ ॥ षद्विशतः शुभानां, श्रेणिमनारुह्य शेषविधिभिः । कृत्वा जघन्य क्षपण - मपूर्वकरणाऽऽवलिकाऽन्ते ॥ १०९ ।। ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- શ્રેણિએ નહીં ચઢીને અર્થાતુ ઉપશમશ્રેણિ કર્યા વિના પિતકમાંશ સંબંધી બાકીની વિધિ વડે ૩૬ : શુભપ્રકૃતિઓ પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ તૈજસસપ્તક, શુભવિહાયોગતિ, શુક્લ, લોહિત, હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય, આડુ, મધુરરસ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણસ્પર્શ એ શુભવર્ણાદિ-૧૧, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છુવાસ, ત્રસદશક, નિર્માણ લક્ષણવાળી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશાગ્ર (પ્રદેશસમૂહ) પ્રાપ્ત કરીને ક્ષય કરવાનો માટે તત્પર થયેલો તેવો ક્ષપિતકમાંશવાલો જીવ અપૂર્વકરણ સંબંધી પ્રથમ આવલિકાના અન્ય સમયે તે ૩૬ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. તેથી આગળ તો ગુણસંક્રમથી પ્રાપ્ત થયેલ અતિ ઘણાં દલિકની (કર્મપ્રદેશોની) સંક્રમાવલિકા પસાર થવાથી (પરપ્રકૃતિઓનો) સંક્રમ થાય છે. તેથી તે ૩૬ પ્રકૃતિઓનો જ પ્રસૅક્રમ પ્રાપ્ત થતો નથી. પંચસંગ્રહમાં સંક્રમણકરણની ૧૧૪મી ગાથામાં કહ્યું છે કે “પૂછતીસા જ સમાઈ ગયુવરાતિ ”િ એ પ્રતીકને આશ્રયી વ્રજ8ષભનારા સંઘયણ સિવાય ૩૫ શુભ પ્રકૃતિઓનો અપૂર્વકરણની પ્રથમ આવલિકાના અન્ય સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. વજ>ષભનારાસંઘયણનો પોતાના બંધના વિચ્છેદ સમયે તેની ભૂલની ટીકામાં કહ્યો છે. सम्मदिट्ठिअजोग्गाण, सोलसहंपि असुभपगतीणं । थीवेएण सरिसगं, नवरं पढमं तिपल्लेसु ॥ ११०॥ सम्यग्दृष्ट्ययोग्यानां, षोडशानामप्यशुभप्रकृतीनाम् । સ્ત્રી સશ, નવરં પ્રથમ ત્રિપણું . ૧૦૦ || ૧૨૫ જો કે આ ગાથાથી દર્શનમોહનીયની ૩ પ્રકૃતિનો સંક્રમ જણાય છે. જેમ કે મિથ્યાત્વનો સંક્રમ સમ્યકત્વ અને મિત્રમાં એ બેમાં થાય છે. મિશ્રનો મિથ્યાત્વ અને સમ્યકત્વમાં સંક્રમ થાય છે. અને સમ્યકત્વનો મિથ્યાત્વમાં સંક્રમ થાય. પરંતુ મિશ્રમાં સંક્રમ ન થાય. પરંતુ ઉપરમાં અર્થ મિથ્યાદષ્ટિ સમ્યકત્વ અને મિશ્રપણાને પામે, મિશ્રદષ્ટિ મિથ્યાત્વ અને સમ્યકત્વપણાને પામે અને સમ્યગુદષ્ટિ મિથ્યાત્વપણાને પામે છે. પરંતુ મિશ્રપણાને પામતો નથી. આ પ્રમાણે કહેલ છે. અને કલ્યભાષ્યમાં પણ તે પ્રમાણે અર્થ કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy