SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ કર્મપ્રકૃતિ પૂર્વક જન્મ પામે, તદનંતર ૮ વર્ષની વયે સંયમ પામે, તદનંતર દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમને પાલીને અલ્પ આયુષ્ય બાકી રહેતાં મિથ્યાત્વને પામે, તદનંતર મિથ્યાત્વ સહિત મરણ પામીને ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણ સ્થિતિવાલા દેવને વિષે દેવપણે ઉત્પન્ન થાય. ત્યાં અંતર્મુહુર્ત માત્ર કાળ ગયે છતે સમ્યત્વ પ્રાપ્ત કરે. ત્યાં ૧૦,૦૦૦ વર્ષ જીવીને અને તેટલો કાળ સમ્યકત્વ પાળીને અંતે મિથ્યાત્વ સહિત કાલ પામ્યો થકો બાદર પૃથ્વીકાયને વિષે ઉત્પન્ન થાય છે. તદનંતર ત્યાંથી પણ અંતર્મુહુર્ત માત્ર કાળમાં નીકળીને મનુષ્યમાં ઉત્પન્ન થાય, ફરી પણ સમ્યક્ત્વ અથવા દેશવિરતિ અથવા સર્વવિરતિ પામે. એ પ્રમાણે દેવ - મનુષ્ય ભવોને વિષે સમ્યકત્વાદિ વારંવાર ગ્રહણ કરવાનું અને મુકવાનું ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલાં કાળમાં અસંખ્યાતવાર સમ્યકત્વ અને તેનાથી કંઇક ઓછીવાર દેશવિરતિનો લાભ થાય. અહીં જ્યારે જ્યારે સમ્યકત્વાદિની પ્રાપ્તિ થાય ત્યારે ઘણાં પ્રદેશોવાળી પ્રકૃતિને અલ્પ પ્રદેશયુક્ત કરે છે, તે કારણથી સમ્યકત્વાદિ પ્રાપ્તિનું ગ્રહણ કર્યું છે. અને એ સમ્યકત્વાદિ યોગ્ય ભાવોમાં ૮ વાર સર્વવિરતિ પામીને ““તફયવારે'ત્તિ તેટલી જ વાર એટલે આઠ વાર “સંયોગદા' - ઉદૂવલના વડે અનંતાનુબંધિનો વિઘાત કરીને, અને પંચસંગ્રહ કરણ-૨ની ગાથા ૧૦૪માં કહ્યું છે. “૩૩વત ૨ ડવારા'' રૂતિ - અનંતાનુબંધિની ઉવલના આઠ વાર કરે છે. તથા ૪ વાર મોહનીયને ઉપશમાવીને ત્યાર પછીના ભાવમાં શીધ્ર કર્મ ખપાવતો જીવ ક્ષપિતકમશ કહેવાય છે. અહીં જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ પ્રરૂપણામાં પ્રાયઃ (બાહુલ્યતાથી) એજ ક્ષપિતકમાંશ જીવનો અધિકાર છે. વળી કોઇ પ્રકૃતિને આશ્રયી વિશેષ પણ કહેવાશે. आवरणसत्तगम्मि उ, सहोहिणा तं विणोहिजयलम्मि । निद्दादुगंतराइय - हासचउक्के य बंधते ॥ ९७ ॥ आवरणसप्तके तु, सहाऽवधिना तद् विनाऽवधियुगले । निद्राद्विकमंतराय - हास्यचतुष्केषु च बध्नन्ति ।। ९७ ॥ ગાથાર્થ :- અવધિજ્ઞાન સહિત જીવ અવધિદ્ધિક વિના ૭ આવરણનો બંધવિચ્છેદ સમયે જ મળસંક્રમ કરે છે, તથા અવધિજ્ઞાન રહિત જીવ અવધિદ્ધિકનો બંધવિચ્છેદ સમયે જ મળસંક્રમ કરે છે, અને નિદ્રાદ્ધિક - અંતરાય-૫ તથા હાસ્ય ચતુષ્ક એ ૧૧નો જ પ્રસંક્રમ સ્વ સ્વ બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે થાય છે. ટીકાર્થ :- ત્યાં જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વને જુદી જુદી કહે છે. - જે જીવ અવધિજ્ઞાન સહિત વર્તે છે તે જીવને નાવરાસત અહીં સપ્તમી એ ષષ્ઠીના અર્થમાં છે તેથી અવધિજ્ઞાનાવરણ રહિત જ્ઞાનાવરણ ચતુષ્ક અને અવધિદર્શનાવરણ રહિત દર્શનાવરણત્રિક એ આવરણ-૭નો પોત પોતાના બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. અવધિજ્ઞાનને ઉત્પન્ન કરતો જીવ ઘણા કર્મપુદ્ગલોની નિર્જરા કરે છે, તે કારણથી એ ૭ પ્રકૃતિઓના પોત પોતાના બંધવિચ્છેદ સમયે ઘણાં થોડા જ પગલો પ્રાપ્ત થાય છે, અને અહીં અધિકાર પણ જઘન્ય પ્રદેશસંક્રમનો છે માટે “જે જીવ અવધિજ્ઞાન સહિત વર્તે છે” એમ ક્યું છે. તથા તે અવધિ વિના એટલે અવધિજ્ઞાન અને અવધિદર્શન રહિત જીવને અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણ એ બંનેનો પોત પોતાના બંધવિચ્છેદ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. કારણકે અવધિજ્ઞાન અને અવધિદર્શનને ઉત્પન્ન કરતો જીવ અતિ પ્રબલ ક્ષયોપશમવાલો હોવાથી અવધિજ્ઞાન અવધિદર્શનાવરણના કર્મપુદ્ગલો અતિ રૂક્ષ કરે છે. તેથી બંધવિચ્છેદ સમયે પણ ઘણી નિર્જરા કરે છે. તેમ થયે છતે જઘન્ય પ્રદેશસંક્રમનો અભાવ થાય તેથી તમુ એટલે અવધિદ્ધિક વિના એ પ્રમાણે કહ્યું છે. ૧૧૦ અહીં ટીકામાં સવવ ત વા'' શબ્દ નથી. પણ ચણિ અને પૂ૦મલયગિરિ મ0ની ટીકામાં કહેલ છે. ૧૧૧ સંસારમાં રખડતો ભવ્ય આત્મા અસંખ્યવાર ક્ષયોપશમ સમ્યકત્વ કંઇક ન્યૂન તેટલીવાર દેશવિરતિ ચારિત્ર આઠ વાર સર્વવિરતિ ચારિત્ર અને તેટલી જ વાર અનંતાનુબંધિની વિસંયોજના કરી શકે છે, માટે તેમ કહ્યું છે. ૧૧૨ અહીં તથા સ્વભાવે અવધિજ્ઞાન ઉત્પન્ન કરતો આત્મા જ્ઞાનાવરણાદિ અન્ય પ્રવૃતિઓના ઘણા યુગલો દૂર કરે છે. પરંતુ પોતાના ઘણા યુગલો દૂર કરતો નથી. જો કે રૂક્ષ કરે છે. એટલે અવધિજ્ઞાનિને અન્ય પ્રકૃતિઓનો બંધવિચ્છેદ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો. પરંતુ અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણાનો અવધિજ્ઞાન વિના જીવને જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. Jain Education International For Personal www.jainelibrary.org Private Use Only
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy