SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ગાથાર્થ – – માસ પૃથર્વ અધિક આઠ વર્ષની ઉંમરવાલા ઇશાન દેવલોકથી આવેલા પુરુષ અથવા સ્ત્રીને સર્વસંક્રમવર્ડ અંત્ય પ્રક્ષેપ સમયે નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ૪૧૮ ટીકાર્ય :ગુણિતકમાંશવાલા ઇશાનદેવ સંક્લેશ પરિણામ વર્ડ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બાંધતો નપુંસકર્વેદને વારંવાર બાંધીને તે ઇશાનદેવથી આવીને સ્ત્રી અથવા પુરુષ થયેલો હોય, ને તદનંતર પૃથક્ક્સ માસાધિક (૭માસ અધિક) આઠ વર્ષ પૂર્ણ થતાં તે પ્રકૃતિઓ ક્ષય કરવાને માટે તત્પર થાય ત્યારે તે જીવને નપુંસકવેદને ખપાવતા સર્વસંક્રમ વર્ડ ་અંત્ય પ્રક્ષેપ સમયે નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. इत्वीए भोगभूमिसु जीविय वासाणसंखियाणि तओ । હસ્સટિફ વૈવત્તા, સબળ સવસંઘોને II ૮૧ II स्त्रीवेदस्य भोगभूमिषु जीवित्वा वर्षाण्यसडख्येयानि ततः । સ્થિતિ રેવત્વે, સર્વજ્ઞપુ સર્વસંોભે || ૮ || ગાથાર્થ :- ભોગભૂમિમાં અસંખ્ય વર્ષ પર્યંત સ્ત્રીવેદને બાંધીને પુરીને અને તેટલો જ કાળ ત્યાં જીવીને જાન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય ત્યાંથી મરણ પામી મનુષ્યમાં ઉત્પન્ન થાય અને શીઘ્ર ક્ષેપકર્મણિ પર આરૂઢ થાય ત્યાં સ્ત્રીવેદને ખપાવતાં ચરમ સંછોભકાળે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. પુરીને ૯૭ ટીકાર્ય :- જે ભોગભૂમિમાં - યુગલિક ક્ષેત્રમાં અસંખ્ય વર્ષ સુધી સંક્લેશ વડે વારંવાર સ્ત્રીવેદ બાંધીને અને 'એટલે સંક્રમથી અન્યતર (બી) પ્રકૃતિના દલિકને સંક્રમણ કર્યુ, પર્યાપમના અસંધ્યેયભાગ વ્યતીત થયે છતે ૧૦,૦૦૦ વર્ષ પ્રમાણની અલ્પ સ્થિતિવાલું દેવાયુષ્ય બાંધીને અકાલે મરણ પામીને દેવપણે ઉત્પન્ન થાય, ત્યાં પણ તે જ સ્ત્રીવેદને પુરીને પોતાના આયુષ્યનો ક્ષય થયે કોઇપણ વેદ સહિત મનુષ્યને વિષે ઉત્પન્ન થાય ને ત્યાં જલ્દીથી કર્મક્ષય કરવાને માટે તત્પર થાય તે જીવને સ્ત્રીવેદના ક્ષય સમયે અંત્ય પ્રક્ષેપ સમયે ‘સન્ન’ ત્તિ સર્વસંક્રમથી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. ૯૮ ૯૬ અહીં ‘ચરમપ્રક્ષેપ' વારંવાર આવે છે તે કર્યો ? એમ કદાચ પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાં - નપુંસકવેદને ઉર્દૂવલના સંક્રમ વડે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેવડા ખંડો કરી કરી દૂર કરતાં ચરમખંડ સિવાયના તમામ ખંડો સ્વ અને પરમાં સંક્રમાવી ખાલી કરે છે. દરેક ખંડને સંક્રમાવતા અંતર્મુહર્તકાળ જાય છે. એ પ્રમાણે ચરમખંડને પૂર્વ પૂર્વ સમયની ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે પરમાં સંભાળતા આર્તના ચરમ સમયે સધળું જે પરમાં સંક્રમાવે તે ચરમ પ્રક્ષેપ કહેવાય છે. અહીં એક તો ગુણિતકર્માંશ આત્મા છે, વળી પૂર્વ પૂર્વ સમયથી પછી પછીના સમયે અસંખ્યાત અસંખ્યાતગુણ સંક્રમાવે છે, એટલે છેલ્લે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવે છે. ઉલનાસંક્રમ વડે દ્વિચરમખંડ પર્યંત સ્વ અને પર બંનેમાં સંક્રમાવે છે, અને ચરમખંડના દળને માત્ર પરમાંજ સંક્રમાવે છે. કેમકે તે છેલ્લો ખંડ હોવાથી હવે સ્વમાં સંક્રમાવવાને કોઇ સ્થાન નથી. નપુંસકવેદની જેમ જ્યાં જ્યાં ‘ચરમપ્રક્ષેપ' શબ્દ આવે ત્યાં ત્યાં ચરમખંડનો ચરમ સમયે જે સઘળો પ્રક્ષેપ થાય તે ગ્રહણ કરવો. જ્યાં ૩ વેદ બંધ પ્રાયોગ્ય હોય ત્યાં પુવેદ અલ્પકાળ માટે બંધાય છે, સ્ત્રીવેદ તેના કરતાં સંખ્યાતગુણકાળમાટે અને સ્ત્રીવેદ કરતાં નપુંસકવેદનો બંધકાળ સંગુ છે, તેથી નપુંસકવેદ તે સ્ત્રીવેદ કરતાં પણ સંખ્યાતગુણકાળમાટે બંધાય છે. સંખ્યાત વર્ષાયુ મનુ તિર્યંચો પણ નપું૰વેદ બાંધે છે, છતાં તેઓનું આયુષ્ય નાનુ હોવાથી તે ન લેતાં ઇશાનદેવો લીધા છે. (જેથી બંધકાળ વધુ મળે) નારકને દીર્ઘાયુ હોવા છતાં તે બધો કાળ નપું-વૈદ ભોગવાતું પણ ોવાથી તે લીધા નથી. યુગલિક તિર્યંચ - મનુષ્યો નપુ બાંધતા જ નથી. તેથી તેઓ સ્વાયુના સંખ્યાતબહૂભાગ કાળ માટે સ્ત્રીવેદ બાંધે છે. તેથી સ્ત્રીવેદ માટે વચ્ચે યુગલિક ભવ લીધો છે. ઇશાનદેવમાંથી આવીને પણ સ્ત્રી કે પુરુષ તરીકે મનુ૰ થાય એમ એટલા માટે કહ્યું કે એ બન્ને શ્રેણિમાં નપુવૅદ પહેલા ખપાવતાં હોવાથી એનો ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી કરવો ન પડે. તેથી ચરમ સમયે સર્વસંક્રમમાં વધુ દલિકો સંક્રમે. જો નપું૰વેદે શ્રેણિ માંડે તો સ્ત્રીવેદના ક્ષપણાકાળે નપું૰વેદ સ્ત્રીવેદનો સમકાળે ક્ષય કરતો હોવાથી ગુણસંક્રમ દીર્ઘકાળ સુધી ચાલે - તેથી સર્વસંક્રમ વડે ઓછા દલિકો સંક્રમે. ક પુત્રીને " એટલે તે પ્રકૃતિનો વારંવાર બંધ કરવાથી અન્ય પ્રકૃતિગત દલિકોને તત્પ્રકૃતિરૂપે પરિણભાવવા વડે તે પ્રકૃતિનો બહુપ્રદેશોપચય કરીને. ૯૮ યુગલિકમાં પોપમના અસંખ્યાતમાભાત્ર આયુષ્ય મૃત્યુ કોઇક જ પામે છે. એ વખતે વધુ સંૉશ હોવાથી વધુ િિતબંધ અને વધુ પ્રદેશબંધ થતો હોય એવું હોવું જોઇએ, વળી યુગલિકમાં પ્રારંભકાળ બદ્ધ દલિક થયાપ્રવૃત્તસંક્રમથી પટ્ટુ અસંત કાળમાં લગભગ સંક્રાન્ત થઇ જવાથી પથ્થર અસં૰ કરતાં અધિક કાળ લેવામાં ઉત્કૃષ્ટ ન થાય. અથવા યુગલિમાં જેમ આયુષ્ય વધારે હોય છે તેમ વિશુદ્ધિ વધારે હોય છે. સ્ત્રીવેદની અપેક્ષાએ પૂર્વી વિશુદ્ધિને સાપેક્ષ છે, તેથી પૂર્વેદનો બંધકામ સ્ત્રીવેદના બંધકાળ કરતાં સંખ્યાતગુણહીન જ રહેતો હોવા છતાં, અધિક આયુષ્યવાળા યુગલિકને અલ્પાયુદ્ધ યુગલિક કરતાં પ્રભાળમાં અધિક ીય છે. તેથી ૩ પ૰ વગેરેવાળો કૃતિક ન લેતા પથ્થો. અસંÅયભાગવાળી યુગલિક લેવો. આવો પદાર્થ લાગે છે તવૃંતુ બહુશ્રુતગમ્યમ્... અહીં કોઇ પણ વેદે શિ માંડે એમ એટલા માટે કહ્યું કે ત્રણેને સ્ત્રીવેદનો ક્ષય સમાનકાળે જ થતો હોવાથી ગુણસંક્રમથી વધુ સંમી જવાનો પ્રશ્ન ઉભો થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy