SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ કર્મપ્રકૃતિ जोगुक्कस्सं चरिमद्-चरिमे समए य चरिमसमयम्मि । संपुन्नगुणियकम्मो, पगयं तेणेह सामित्ते ॥ ७८ ॥ यो बादरत्रसकालेनोनां कर्मस्थितिं तु पृथिव्याम् । बादरपर्याप्ताऽपर्याप्तक - दीर्धेतराद्धाभ्याम् ॥ ७४ ।। योगकषायोत्कृष्टो, बहुशः नित्यमप्यायुर्बन्धं च। जघन्ययोगेनोपरितन- स्थितिनिषेक बहु कृत्वा ।। ७५ ।। बादरवसेषु तत्काल - मेवमन्ते च सप्तमक्षितौ । सर्वलघु पर्याप्तो, योगकषायाधिको बहुशः ॥ ७६ ॥ योगयवमध्योपरि, मुहूर्तं स्थित्वा जीवितावसाने । त्रिचरिमद्विचरिमसमये, पूरयित्वोत्कृष्टकषायम् ।। ७७ ।। उत्कृष्टयोगं चरिमद्विचरिमे, समये च चरिमसमये । सम्पूर्णगुणितकर्मांशः प्रकृतं तेनेह स्वामित्वे ।। ७८ ॥ ગાથાર્થ :- ઘણાં કાળ સુધી પર્યાપ્તપણે અને થોડા કાળ સુધી અપર્યાપ્તપણે રહેવા પૂર્વક, બેઇન્દ્રિય આદિ બાદર ત્રસની કાયસ્થિતિન્યૂન ઉ0કર્મસ્થિતિ (૭૦ કોકોસા) પ્રમાણ બાદર પૃથ્વીકાયના ભવમાં રહીને ઘણીવાર ઉયોગ અને ઉકષાય પુર્વક, સર્વદા જઘન્ય યોગથી આયુ બંધ કરતો અને ઘણા પ્રમાણમાં ઉપરિતન સ્થિતિનો નિષેક કરીને (ત્યાંથી નીકળીને બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય) [ ૭૪ - ૭૫ // પૂર્વ કહેલ રીતે બાળપૃથ્વીમાંથી નીકળીને બાદર ત્રસકાયમાં બા–કાયસ્થિ0 કાળ સુધી પરિભ્રમણ કરીને અન્ને સપ્તમી પૃથ્વીમાં સર્વથી શીધ્ર પર્યાપ્ત થઇને ઘણીવાર ઉઠયોગમાં અને ઉકષાયમાં વર્તતો II ૭૬ પોતાના આયુના અંતે યોગના યવમધ્યના ઉપરના યોગસ્થાનોમાં અંતમુહુર્ત રહીને તથા ત્રિચરમ અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ કષાય અને દ્વિચરમ અને ચરમસમયે ઉત્કૃષ્ટ યોગસ્થાનને પ્રાપ્ત કરીને , તે નારકપણાના અંત્ય સમયે વર્તતો સંપૂર્ણ ગુણિતકમાંશ ઉ040 સંક્રમનો સ્વામિત્વ થાય છે. તે ૭૭ – ૭૮ | ટીકાર્થ:- તે પ્રમાણે સાઘાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વને કહે છે. અને તે ગુણિતકશ જીવ પામે છે. તે ગુણિતકર્માશ જીવનું સ્વરૂપ કહે છે. - જે બાદર ત્રસ બેઇન્દ્રિય આદિ, તેલ-વાઉકાય રૂ૫ સુક્ષ્મત્રસને વ્યવચ્છેદ માટે = પૃથક કરવા માટે બાદરનું ગ્રહણ કર્યું છે. કાલથી (બેઇન્દ્રિયાદિ બાદર–સનો) પૂર્વક્રોડ પૃથકૃત્વ અધિક ૨૦૦૦ સાગરોપમ પ્રમાણ જે કાય સ્થિતિકાળ (બાવત્ર પણે રહેવાનો કાળ) તે કાય સ્થિતિકાળથી ન્યૂન મોહનીયકર્મની ૭૦ કોડાકોડીસાગર પ્રમાણ કર્મની ઉસ્થિતિ સુધી બાદર પૃથ્વીકાયના ભવમાં રહીને (બેઇન્દ્રિયાદિમાં ઉપજે ઇતિ અધ્યાહાર) કેવી રીતે રહીને ? તો કહે છે. - પર્યાપ્ત કે અપર્યાપ્ત દીર્ઘ અને ઇતર એટલે અલ્પકાળ સપ્તમી એ રજી વિભક્તિના અર્થમાં છે. એટલે ઘણાકાલ પર્યાપ્ત ભવોમાં અને ઇતર એટલે અલ્પકાલ અપર્યાપ્ત ભવોમાં અર્થાતુ ઘણાં પર્યાપ્ત ભવોમાં અને થોડા અપર્યાપ્ત ભવોમાં રહીને એ પ્રમાણે અર્થ છે. તથા ઘણીવાર ઉષ્ટ યોગસ્થાનમાં અને ઉત્કૃષ્ટ કાષાયિક એટલે ઉત્કૃષ્ટ સંકુલેશવાળા અધ્યવસાયોમાં રહીને એ પ્રમાણે અર્થ છે. અહીં બાકીના એકેન્દ્રિયથી બાદર પૃથ્વીકાયવાલા જીવોને ઘણું આયુષ્ય હોવાથી અવ્યવચ્છિન્નપણે (નિરંતર પ્રતિસમય) તે પૃથ્વીકાયનો જીવ ઘણા કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. અતિ બલિષ્ટપણાને લીધે તે બાદર પૃથ્વીને વેદનાનું બહુલપણે (તીવ્રપણે) સહન કરી શકતો હોવાથી ઘણાં કર્મપ્રદેશોનો નાશ થવાનો અભાવ અર્થાતુ ઘણાં કર્મની નિર્જરા થતી નથી. અસહિષ્ણુ જ વેદનાથી પીડાતો તે તે રીતના પ્રયોગથી ઘણાં કર્મપુદ્ગલોને દૂર કરે છે. એ પ્રમાણે વિચારીને બાદર પૃથ્વીકાયનું ગ્રહણ કર્યું છે. તથા સંપૂર્ણ કાયસ્થિતિ ગ્રહણ કરવાને અર્થે (બાદર પૃથ્વીના) અપર્યાપ્ત ભવનું ગ્રહણ કરેલ છે. અને તેમાં પણ ઘણાં કર્મપ્રદેશોની નિર્જરાનો અભાવ ગ્રહણ કરવાને અર્થે અલ્પ અપર્યાપ્ત ભવો અને ઘણાં પર્યાપ્ત ભવોનું ગ્રહણ કર્યું છે. અન્યથા - નહીં તો નિરન્તર ઉત્પન્ન થતાં અને મરણ પામતાં જીવોને ઘણાં કર્મપુદ્ગલોની નિર્જરા થાય, અને તે અતિ નિર્જરાનું પ્રયોજન નથી. ઉત્કૃષ્ટ યોગસ્થાનમાં વર્તતો જીવ ઘણાં કર્મલિકને ગ્રહણ કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy