SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૦૩ નિગ' પોતાના ક્ષેપકમાં અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ, - (૪ થી ૭ ગુણસ્થાનકવાલા) સપ્તમીમાં ષષ્ઠીનો અર્થ હોવાથી, “સંયોગનાના' - અનંતાનુબંધિ-૪ની અને “ તિય ’ - મિથ્યાત્વ અને મિશ્રની પૂર્વે કહેલ વિધિ વડે અંતર્મુહૂર્ત કાલ વડે ઉદ્વલના જાણવી. (યંત્ર નં ૨૯, ચિત્ર નં – ૩ જુઓ) ઇતિ રજી ભેદ પ્રરૂપણા વિષે ૧લું ઉઠ્ઠલના સંક્રમ સમાપ્ત - અથ રજી ભેદ પ્રરૂપણા વિષે રજું વિધ્યાતસંક્રમ :-) जासि ण बंधो गुणभव-पच्चयओ तासि होइ विज्झाओ । ગંગુતસંવમાનો - વહારો તે સેસન્સ . ૬૮ || यासां न बंध गुणभव - प्रत्ययतस्तासां भवति विध्यातः । अङ्गुलासङख्येयभागेना - ऽपहारस्तेन शेषस्य ॥ ६८ ॥ ગાથાર્થ :- ગુણપ્રત્યયથી અને ભવપ્રત્યયથી જે પ્રકૃતિઓનો બંધ પ્રવર્તતો નથી, તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. (વિધ્યાતસંક્રમ વડે પ્રથમ સમયમાં જેટલું દલિક પરપ્રકૃતિમાં પ્રક્ષેપાય છે) તેટલા પ્રમાણન દલિકાપહારથી અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણનું ક્ષેત્ર અપહરાય. ચિત્ર નં-૩ની સમજુતી :- પ્રથમ સ્થિતિખંડ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ છે. તે ૯ સ્થિતિસ્થાન અસત્કલ્પનાથી છે. તે અંતર્મુહુર્ત કાલથી ઉદ્ગલના કરે છે. પ્રથમ સ્થિતિખંડમાંથી પ્રથમ સમયે જે કર્મદલિક અન્ય પ્રકૃતિને વિષે નાંખે તે સર્વ અલ્પ છે. જે પોતાના જ સ્થાનમાં નાંખે તે અસંખ્યયગુણ, પરપ્રકૃતિને વિષે ફરી નંખાય તે પ્રથમ સમયે પરસ્થાનમાં નાંખ્યા તેનાથી વિશેષહીન હોય છે. સ્વની અંદર પ્રતિસમયે અસંખ્યયગુણ નાંખે છે. એ પ્રમાણે અંતર્મુહુર્ત કાલમાં પ્રથમ સ્થિતિખંડ ઉવેલે. એ પ્રમાણે બીજો સ્થિતિખંડ પણ પલ્યોપમના અસંખ્યયભાગ છે. પણ પ્રથમ સ્થિતિખંડ કરતાં વિશેષહીન છે. તેથી 0 એક સ્થિતિસ્થાન ઓછું છે. પણ પ્રદેશ અપેક્ષાએ અધિક છે. એ પ્રમાણે આગળના સ્થિતિખંડો માટે જાણવું. તે પ્રમાણે પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિખંડોને પૂર્વ પૂર્વ સ્થિતિખંડ અપેક્ષા એ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ઉપાજ્ય સ્થિતિખંડ આવે.(૩ ૦ સુધી) હવે અંત્ય સ્થિતિખંડ તે ઉપાન્ય સ્થિતિખંડથી સ્થિતિની અપેક્ષાએ અસંખ્યયગુણ છે. (ત ૦ ૬ સમજવું) અને પ્રથમ સ્થિતિખંડથી અસંખ્ય ભાગ છે. પણ દલિકની અપેક્ષાએ પ્રથમ સ્થિતિખંડના દલિક કરતાં અસંખ્યયગુણ છે. અને પ્રક્ષેપ પરસ્થાને જ દરેક સમયે અસંખ્યયગુણ નાંખે છે. અહીં સ્વમાં નાંખતો નથી કારણકે ઉદયાવલિકાથી વધારે સ્થિતિ નથી. અહીં જે અંત્ય પ્રક્ષેપ તે સર્વસંક્રમ છે. આ અંત્ય સ્થિતિખંડ અંતર્મુહૂર્ત કાલથી ઉવેલ છે. ઉપાન્ય સ્થિતિખંડના છેલ્લા સમયે જેટલાં કર્મદલિક પરપ્રકૃતિને વિષે સંક્રમે છે. તેટલા પ્રમાણે જો છેલ્લા સ્થિતિખંડના કર્મદલિકને દરેક સમયે દૂર કરાય તો છેલ્લા સ્થિતિખંડને અસંખેય ઉત્સર્પિણી - અવસર્પિણી કાલે નિર્લેપ કરતાં લાગે એટલે કે સત્તા વગરનું થાય. અર્થાતુ છેલ્લા સ્થિતિખંડમાં ઉપાંત્ય સ્થિતિખંડ સંબંધી પરસ્થાનમાં નંખાતા દલિનપુંજ પ્રમાણે દલિકો નાંખતા અસંખ્યયતમ ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ કાલ થાય. જેટલા પ્રમાણે ઉપાન્ય સ્થિતિખંડના ચરમ સમયે કર્મલિકને સ્વસ્થાનમાં સંક્રમે તેટલા પ્રમાણના સંક્રમથી છેલ્લો સ્થિતિખંડ પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણમાં રહેલ સમયોથી નિર્લેપ દૂર થાય. ચિત્રમાં.................. નાના બિંદુ તે કર્મલિકો છે. ૦ = સ્થિતિસ્થાન. ઇતિ ચિત્ર નં-૩ની સમજુતી સમાપ્ત ૭૨ ઉદ્વલના સંક્રમમાં કહેલો જે અંતિમ સ્થિતિખંડ તેને શેષ એ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે તે શેષ અત્રે ન જાણવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy