SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કર્મપ્રકૃતિ છે. એ પ્રમાણે નીચે અને ઉપર ત્રિસ્થાનકમાં પણ કહેવું. તે આ પ્રમાણે કહે છે. - ચતુઃસ્થાનક રસ યવમધ્યની ઉપરના જે સ્થિતિસ્થાનો તેથી પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ત્રિસ્થાનક રસ યવમધ્યથી નીચે સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ત્રિસ્થાનક રસ યવમધ્યથી ઉપર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ઢિસ્થાનક રસ યવમધ્યની નીચે સ્થિતિસ્થાનો એકાત્તે સાકારોપયોગ યોગ્ય સંખ્યયગુણ છે. તેથી પણ ક્રિસ્થાનક રસ યવમધ્યથી નીચેનાને પાશ્ચાત્ય (પછીના) સ્થાનોથી ઉપરના સ્થિતિસ્થાનો મિશ્ર એટલે સાકાર અને અનાકારોપયોગ યોગ્ય સંખ્યયગુણ. તેથી પણ ક્રિસ્થાનક રસ યવમધ્યની ઉપર મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ શુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જ ઢિસ્થાનકરસ યવમધ્યથી નીચે એકાને સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી તે જ દ્વિસ્થાનક રસ યવમધ્યથી નીચે પાશ્ચાત્ય (પછીના) સ્થાનોથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી તે જ અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓના દ્રિસ્થાનકરસ યવમધ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી ઉપરના એકાત્તે સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી તે અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના ત્રિસ્થાનકરસ થવમધ્યથી નીચેના સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી અશુભપરાવર્તમાન પ્રવૃતિઓના ત્રિસ્થાનકરસ યવમધ્યથી ઉપરના સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓનો જઘ ચતુ:સ્થાનક રસ યવમધ્યથી નીચે સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ ચતુઃસ્થાનક યવમધ્યથી ઉપરની ડાયસ્થિતિ સંખ્યયગુણ છે. જે સ્થિતિસ્થાનથી 15 અપવર્તનાકરણ વડે ઉત્કૃષ્ટ સ્થિતિએ જાય છે તેટલી સ્થિતિ ડાયસ્થિતિ છે. કહેવાય છે. તેથી પણ અંત:કોડાકોડીસાગરોપમ સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો દ્વિસ્થાનક રસ યવમધ્યની ઉપરના જે મિશ્ર સ્થિતિસ્થાનો તેઓની ઉપરના એકાન્ત સાકારોપયોગ યોગ્ય સ્થિતિસ્થાનો સંખ્યયગુણ છે. તેથી પણ પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. તેથી પણ અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓની બદ્ધા ડાયસ્થિતિ વિશેષાધિક છે. કારણકે જે સ્થિતિસ્થાનથી મંડૂક ધ્વતિ ન્યાયથી ડાય એટલે ફાળ દઈને જે સ્થિતિ બાંધે ત્યાંથી પ્રારંભી ત્યાં સુધીની તેટલી સ્થિતિ અહીં બદ્ધાડાયસ્થિતિ કહેવાય છે. અને તે ઉત્કૃષ્ટથી અંત:કોડાકોડીસાગરોપમથી ઉન બધા કર્મની સ્થિતિ પ્રમાણે જાણવી. કારણકે પર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય અંતઃકોડાકોડીસાગરોપમ સ્થિતિબંધ કરીને જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અંત:કોડાકોડીથી આગળ જ ડાય થાય છે. તેથી પણ પરાવર્તમાન અશુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. ડાયની નીચેની સ્થિતિ પણ ત્યાં પ્રવેશ થવાથી (યંત્ર નં ૪૫ જૂઓ) संखेनगुणा जीवा, कमसो एएस दुविहपगईणं । असुभाणं तिट्ठाणे, सबुवरि विसेसओ अहिया ॥ १०१॥ ૧૩૬ આ વાક્યનનો ભાવાર્થ એ છે કે ઉત્કૃષ્ટસ્થિતિને અપવર્નના કરવડે અપવર્તીને જે ઉત્કૃષ્ટસ્થિતિ રચે તે અપવર્નના વડે ઉષ્ટસ્થિતિ કરેલી કહેવાય. જેમ કે ૧૦૦ સમયાત્મક ઉત્કૃષ્ટસ્થિતિને અપવર્તીને ૧૧ થી ૯૦ સમય સુધીની (૮૦ અપવર્તિત સ્થિતિસ્થાન રૂ૫) કરી શકે, તેમાં ૧૦૦ સમયની સ્થિતિને અપવર્તીને ૧૧ સમયાત્મક કરી દેવી તે અપવર્તના વડે જઘન્યસ્થિતિ કરી કહેવાય, ને ૧૨ થી માંડીને ૮૯ સમય સુધીમાંની કોઈપણ સ્થિતિ રચવી તે અપવર્ણના કરણ વડે મધ્યમ સ્થિતિ રચી કહેવાય, અને એજ ૧૦૦ સમયની સ્થિતિને ૯૦ સમયાત્મક કરવી તે “અપવર્ણના કરણ વડે ઉત્કૃષ્ટસ્થિતિ રચી” એમ કહેવાય. ને તે વ્યાઘાતા પવના થી ઉસ્થિતિ રચી શકાય છે. તેમાં પણ અત્રે તો વિવલિત યવમધ્યથી ઉપરના સ્થિતિસ્થાનોમાં જે જઘન્ય અપવર્તનાએ ઉસ્થિતિ રચે તે ગ્રહણ કરવી, પરંતુ સમુચ્ચયે ગ્રહણ ન કરવી. કારણકે સમુચ્ચયથી તો કિંચિદન કર્મસ્થિતિ પ્રમાણ અંતર પડી અત:કોડાકોડી સાગ૨૦ જેટલી થાય છે. માટે અંતર મોટું થઈ જાય ને અત્રે તો નાનું અંતર ગ્રહણ કરવાનું છે. જેમકે ૧૦૦ સમયાત્મક સ્થિતિને ૯૦ સમયાત્મક ઉસ્થિતિ (અપવર્નના વડે) કરી, તેમાં ૯૧ થી ૧૦૦ સુધીની ૧૦ સ્થિતિઓ તે અપવર્તના વડે કરેલી ઉત્કૃષ્ટ સ્થિતિને ડાયસ્થિતિ કરી કહેવાય. આ સંબંધમાં કોઈ યુક્તિપુર:સર બીજી રીતે કહે તો પણ માન્ય છે. ડાયસ્થિતિ ત્રણ પ્રકારે છે. ૧. અપવર્તનાફત ૨. ઉદ્વર્તનાતને ૩. બદ્ધ એ ત્રણમાં આ સ્થાને અપવર્તનાની ડાયસ્થિતિ કહીને આગળ બદ્ધ ડાયસ્થિતિ કહેશે. ૧૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy