SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૩૭ निव्वत्तणा उ एक्किक्कस्से हेट्टोवरि तु जेट्ठियरे । चरमठिईणुक्कोसो, परित्तमाणीण उ विसेसो ॥ ६६ ॥ निर्वत्तनात्त्वेकैकस्मिन् अधस्तादुपरि तु ज्येष्ठेतरौ । વરસ્થિતીનામુ , પરીવર્તમાનાનાં તુ વિરોષઃ || ૬૬ // ગાથાર્થ - નિવર્તન કંડકથી એક નીચેની ને એક ઉપરની સ્થિતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટને જઘન્ય અનુભાગ અનંતગુણપણે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવો, અને અંતિમ નિવર્તન કંડકની સ્થિતિઓનો ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણપણે નિરંતર (હઠે ઉપર નહિ પણ અનંતરાનંતરપણે) કહેવો. ટીકાર્થ :- પછી નિવર્તન કંડકથી ચરમ (છેલ્લી) સ્થિતિ (૧૪થી) જઘન્ય અનુભાગથી નીચે પ્રથમ જઘન્ય સ્થિતિનો (૧૦નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકની ઉપરની પ્રથમ સ્થિતિ (૧૫નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી નીચે દ્વિતીય સ્થિતિનો (૧૧નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડક ઉપરની બીજી સ્થિતિનો (૧૬નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી નીચે ત્રીજી સ્થિતિ (૧૨નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડક ઉપરની ત્રીજી સ્થિતિનો (૧૭નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે દરેક કંડકે એક એક (જઘન્ય - ઉત્કૃષ્ટ) અનુભાગ અનંતગુણ હોય છે, સ્વ એટલે અનુભાગ એ નિશ્ચિત કરાયેલ કંડકને વિષે સ્થાનનું અધિકારપણું જણાવે છે. યથાક્રમથી જ્યેષ્ઠ-ઉત્કૃષ્ટ અને ડુતર- એટલે જઘન્ય અનંતગુણ કહેવો, અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૩)નો) જઘન્ય અનુભાગ અનંતગણ થાય, અને કંડકમાત્ર સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ હજી સુધી કહ્યો નથી બાકી સર્વ પણ કહ્યો, એ પ્રમાણે તેને કહે છે. “વરમોિસો’ ચરમ (છેલ્લી) સ્થિતિઓ અન્ય કંડકમાત્રનો ઉત્કૃષ્ટ અનુભાગ નિરન્તર અનંતગણપણે કહેવો જોઈએ, તે આ પ્રમાણે કહે છે. - સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિનો (૩૦નો) પલ્યોપમ અસંખ્યયેયભાગમાત્રની ચરમ (છેલ્લી) સ્થિતિની પ્રથમ સ્થિતિનો (૨૬નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. તેથી ઉપરની અનંતર સ્થિતિનો (૨૭નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી પણ અનંતર ઉપરની સ્થિતિનો (૨૮નો) અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવો જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૩૦) આવે. (પરિશિષ્ટ-૨ માં ચિત્ર નં-૨ જુઓ) ન ઇતિ પ્રથમ અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગ તીવ્રમંદતા સમાપ્ત ( - અથ દ્વિતીય અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા :- ) યંત્ર નં - ૨૬ :- પરાઘાત આદિ ૪૬ શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી શરૂ કરીને અધોમુખ પ્રથમ બતાવેલ પદ્ધતિ પ્રમાણે અનંતગુણપણે તીવ્રમંદતા કહેવી. તે આ પ્રમાણે કહે છે. - આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિનો (૩૦નો) જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિનો (૨૯નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પણ ક્રિસમય ઊન ઉત્કૃષ્ટસ્થિતિનો (૨૮નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પ્રથમ નિવર્તન કંડક (૨૬ સુધી) થાય. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૩૦નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી નિવર્તન કંડકની નીચેની પ્રથમ સ્થિતિનો (૨૫નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૨૯નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી નિવર્તન કંડકની નીચેની બીજી સ્થિતિનો (૨૪નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી જઘન્ય સ્થિતિનો (૧૦નો) જઘન્ય અનુભાગ અનંતગુણ થાય. અને કંડકમાત્ર સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ હજી પણ કહ્યો નથી. બાકી સર્વપણ કહ્યો. તેથી જઘન્ય સ્થિતિની આગળ કંડકમાત્ર સ્થિતિ ઉલ્લંઘન કરીને જે ચરમ સ્થિતિનો (૧૪નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. તેથી નીચેની સ્થિતિનો (૧૩નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી પણ નીચેની સ્થિતિનો (૧૨નો) અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી જઘન્ય સ્થિતિનો (૧૦નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગણ થાય. “પત્તિમાન ૩ વિરોસો'' પરાવર્તમાન પ્રવૃતિઓનો વિશેષ જાણવું. (પરિશિષ્ટ-રમાં ચિત્ર નં-૪ જુઓ) ઇતિ દ્વિતીય અપરાવર્તમાન શુભપ્રકૃતિઓની તીવ્રમંદતા સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy