SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ માત્ર સ્થિતિઓ (૯ સુધી) જાય. અને અહીં જઘન્ય સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (પની) અનુકૃષ્ટિ પૂર્ણ થઇ. પછી ઉપરના સ્થિતિબંધની શરૂઆતમાં (૧૦માં) બીજી સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૬ની) અનુકૃષ્ટિ સમાપ્ત પામે છે. પછી ઉપરના સ્થિતિબંધની શરૂઆતમાં (૧૧માં) ત્રીજા સ્થિતિસ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની (૭ની) અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધ (૨૦) આવે. પછી ઉપરથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી શરૂ કરીને અસાતાની જેમ જાણવું. ‘આનંદ’ ત્તિ જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ આવે ત્યાં સુધી કહેવું. તે આ પ્રમાણે કહે છે. - અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ (૨૧) બાંધતા જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેટલાં ઉપરની સ્થિતિમાં (૨૨માં) સર્વ હોય છે, અને બીજા હોય છે. તેમાં પણ જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેટલાં ઉપરની સ્થિતિમાં (૨૩માં) સર્વ અને બીજા હોય છે. (તાનિ 7 અન્યાનિ) એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સાગરોપમ શતપૃથ (૪૦ સુધી) થાય. અને આ સ્થિતિઓ પ્રાયઃ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષયની છે. કારણકે આ મનુષ્યગતિ રૂપ પ્રતિપક્ષ (વિરુદ્ધ) પ્રકૃતિઓ સાથે પરાવર્તિ પરાવર્તિથી બંધાય છે. અને પરાવર્ત બંધમાં પ્રાયઃ પરિણામ મંદ હોય છે, તેથી આ સ્થિતિઓ જઘન્ય અનુભાગબંધ વિષયની છે. અહીં ચરમસ્થિતિમાં (૪૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ તેની ઉપરની સ્થિતિબંધની (૪૧ની) શરૂઆતમાં હોય છે, અને બીજા હોય છે. (વેવેશ બાનિ ૬) ત્યાં પણ જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને સર્વ પણ તેની ઉપરની સ્થિતિબંધની (૪૨ની) શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યેયભાગ માત્ર સ્થિતિઓ (૪૪ સુધી) જાય. અહીં જધન્ય અનુભાગબંધ વિષયની ચરમસ્થિતિ (૪૦ની) સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે, પછી ઉપરની સ્થિતિબંધમાં (૪૫માં) જઘન્ય અનુભાગબંધ વિષયની ચરમસ્થિતિની અનન્તર (પછીની ૪૧ની) સ્થિતિ સંબંધી તેની અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૫૦) આવે. આ તિર્યંચદ્વિક અને નીચગોત્ર અનુકૃષ્ટિ કહી. ત્યાં જેમ તિર્યંચગતિની કહી તેમ તિર્યંચાનુપૂર્વી અને નીચગોત્રમાં કહેવું. (પરિશિષ્ટ- ૨ માં ચિત્ર નંબર ૮ જુઓ) ઇતિ તિર્યકૃદ્ધિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ સમાપ્ત -: અથ ત્રસચતુષ્કની અનુકૃષ્ટિ :तसवायरपज्जतग-पत्तेगाण परघायतुल्लाओ । નાવઢ્ઢારસોડા-જોડી હેટ્ટા ય સાળં || ૬૪ || त्रसबादरपर्याप्तप्रत्येकानां पराघाततुल्याः । યાવતખાવશોટી-જોયોથથ સાતેન ।। ૬૪ ।। ગાથાર્થ :- ત્રસ, બાદર, પર્યાપ્તને પ્રત્યેક એ ચાર પ્રકૃતિઓની અનુકૃષ્ટિ પરાઘાતની જેમ ૧૮ કોડાકોડી સાગરોપમ નીચે બાકી રહે ત્યાં સુધી કહેવી, ને તેથી નીચેની સ્થિતિઓમાં સાતાવત્ અનુકૃષ્ટિ કહેવી. ટીકાર્થ :- યંત્ર નં-૨૪ હવે ત્રસાદિ ચતુષ્કની અનુકૃષ્ટિ કહેવાની ઇચ્છાવાળા કહે છે. ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક નામકર્મની અનુકૃષ્ટિ પરાધાત તુલ્ય પરાધાતની જેમ કહેવી. અને તે ઉપરના સ્થિતિસ્થાનથી શરૂ કરીને નીચે નીચે ૧૦૫ ઉતરીને જ્યાં સુધી ૧૮ કોડાકોડી સાગરોપમ સુધી થાય ત્યાં સુધી જાણવી. પછી નીચે સાતાની જેમ અનુકૃષ્ટિ કહેવી. ત્યાં ત્રસ નામની ભાવના કરાય છે. ત્રસ નામની ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૬૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ સમય ઉન - ઉત્કૃષ્ટ સ્થિતિમાં (૫૯માં) હોય છે Jain Education International ૧૩૩ ૧૦૫ અહીં ત્રસ ચતુષ્કની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોકો૦ સાગ પ્રમાણ છે અને તેના પ્રતિપક્ષભૂત સૂક્ષ્મત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ૧૮ કોકો, સાગ ની છે. તેથી ૨૦ થી ૧૮ કોકો સુધીના બાદરત્રિકના સ્થિતિસ્થાનો શુદ્ધ છે. કારણકે તે પ્રતિપક્ષ પ્રકૃતિ સાથે પરાવૃત્તિથી બંધાતા નથી. અને ત્રસની પ્રતિપક્ષ સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રસની સમાન ૨૦ કોકો૰ હોવા છતાં ત્રસ નામકર્મની ૨૦ થી ૧૮ કોકો૰ સાગ૰ ની સ્થિતિ ઇશાન સુધીના દેવો વર્જી શેષ =બાકીના ચારે ગતિના જીવો યથાસંભવ બાંધે છે. ત્યારે સ્થાવરની ૧૮ કોકો૦ થી ૨૦ કોકો સુધીની સ્થિતિ માત્ર ઇશાન સુધીના દેવો જ બાંધે છે. માટે ત્રસ અને સ્થાવર બંનેના ૨૦ કોકો૦ થી ૧૮ કોકો સુધીના સ્થિતિસ્થાનો અનાક્રાંત (શુદ્ધ) હોય છે, અને ૧૮ કોકો, સાગરોપમથી નીચેના સ્થાવર નામકર્મની અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ સુધીની સ્થિતિસ્થાનો ના૨ક સિવાય ત્રણ ગતિના જીવો પરાવર્તન પરિણામે બાંધે છે માટે એટલા (૪૦ થી ૨૦)સ્થિતિસ્થાનો આક્રાન્ત હોય છે. For Personal & Private Use Only www.jainflibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy