SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૯૧ બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. પરંતુ જે ૨૫ પ્રકૃતિઓ છે તે સમ્યગ્દષ્ટિ બંધને વિષે યોગ્ય છે, તેઓની મધ્યે પણ ઔદારિક, તૈજસ, કાર્મણ, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, બાદર, પ્રત્યેક, અસ્થિર, અશુભ, અયશઃકીર્તિ, નિર્માણ એ ૧૫ પ્રકૃતિઓ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ પ્રકૃતિના બંધે જ છે. અને બાકીની ૧૦ પ્રકૃતિઓ પર્યાપ્ત પ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિના બંધે જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પામે, અધિક બંધે નહીં, કારણકે ભાગ વધારે ન મલવાથી. અને તે ૨૩ અને ૨૫ના બંધે સમ્યગ્દષ્ટિ આવે જ નહીં. તેથી તે (૨૫ પ્રકૃતિઓનો) પણ મિથ્યાદ્ગષ્ટિ જ ઉત્કૃષ્ટ બંધસ્વામી થાય. એ પ્રમાણે ઉત્તર પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામીપણું કહ્યું. (યંત્ર નંબર-૧૭ જુઓ) ઇતિ મૂલ ઉત્તર પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત -- અથ મૂલ ઉત્તર પ્રકૃતિઓને વિષે જઘન્ય પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા : ત્યાં આયુષ્ય સિવાયની ૭ મૂલ પ્રકૃતિઓનો, સૂક્ષ્મનિગોદ, લબ્ધિ અપર્યાપ્તપણામાં, પ્રથમ સમયે જઘન્ય પ્રદેશબંધ સ્વામી થાય, બીજા આદિ સમયે અસંખ્યયગુણ યોગસ્થાનની વૃદ્ધિ થાય, તેથી આદિ સમયનું ગ્રહણ કર્યું છે, આયુષ્યનો પણ તે જ બાકી સૂક્ષ્મનિગોદ અપેક્ષાએ સર્વમંદયોગસ્થાનવર્તી પોતાના આયુષ્યના બાકી રહેલ ત્રીજા ભાગે પ્રથમ સમયે રહેલો બાંધે. હવે ઉત્તરપ્રકૃતિને વિષે જધન્યપ્રદેશબંધ સ્વામિપણું કહે છે. આહારકદ્વિકનો પરાવર્તમાન યોગવાલો ૮ પ્રકારે (મૂલપ્રકૃતિનો) બંધક, સર્વ જઘન્ય વીર્યવાલો અપ્રમત્તયતિ, દેવદ્વિક, વૈક્રિયદ્વિક, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, ઉચ્છ્વાસ, પરાઘાત, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસદશક, વર્ણચતુષ્ક, તૈજસ, કાર્યણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તીર્થંકરનામ, આહા૨કદ્વિક લક્ષણવાળી નામની ૩૧ પ્રકૃતિઓના બંધકને જધન્ય પ્રદેશબંધ હોય છે, ભાગ અલ્પત્વને કારણે ૩૦ના બંધનો ત્યાગ કર્યો છે. તથા નરકત્રિક, સુરાયુષ્યનો અસંજ્ઞિ (પર્યાપ્તો) ઘોલમાન યોગવાલો સર્વ જઘન્ય વીર્યવાલો બંધક છે. પૃથ્વી આદિ અને અસંજ્ઞિ અપર્યાપ્તો આ પ્રકૃતિઓનો અબંધક છે. તેથી અસંક્ષિ પર્યાપ્તનું ગ્રહણ કર્યું છે, તે પણ એક જ યોગમાં લાંબા સમય સુધી રહે તો ત્યાં તીવ્ર ચેષ્ટા થાય તેથી ધોલમાન યોગનું ગ્રહણ કર્યું છે. એક યોગથી બીજા યોગમાં સંક્રાંત થાય ત્યારે સ્વભાવથી અલ્પ જ ચેષ્ટા હોય છે. અને પર્યાપ્ત સંજ્ઞિને વધારે યોગ હોય તેથી અધિકૃત કર્યું નથી, કારણ કે જધન્ય પણ પર્યાપ્ત સંશિનો યોગ અસંક્ષિ પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગથી અસંખ્યેયગુણ હોય છે. સુરદ્ધિક, વૈક્રિયદ્ધિક, જિનનામ :- ૫ પ્રકૃતિઓનો સમ્યગ્દષ્ટિ ભવના પ્રથમ સમયે વર્તતો હોય ત્યારે બાંધે તે આ પ્રમાણે કહે છે. - તીર્થંકરનામકર્મનો મનુષ્ય તીર્થંકરનામકર્મ બાંધી કાલ કરીને દેવને વિષે ઉત્પન્ન થાય, ત્યાં પ્રથમ સમયે વર્તતો મનુષ્યગતિ પ્રાયોગ્ય જિનનામ સહિત ૩૦ પ્રકૃતિઓનો બંધક સર્વ જઘન્ય યોગવાલો અવિરત સમ્યગ્દષ્ટિ જધન્ય પ્રદેશબંધ કરે છે. નારક પણ શ્રેણિક વગેરેની જેમ તેના બંધકનો સંભવ છે પણ અહીં દેવ અલ્પ યોગવાળો હોવાથી અનુત્તરવાસીનું ગ્રહણ કર્યું છે. નારકને વિષે એ પ્રકારે જઘન્ય યોગ પામે નહીં તેથી ત્યાં ઉત્પન્ન થયેલાને અહીં ગ્રહણ કર્યું નથી. તિર્યંચ તો જિનનામ બાંધે નહીં તેથી તેની ઉપેક્ષા કરી છે. મનુષ્ય પણ ભવના પ્રથમ સમયે તીર્થંકર નામ સહિત નામની ૨૯ પ્રકૃતિનો બંધક છે, પણ ત્યાં અલ્પભાગ હોવાથી તેની પણ ઉપેક્ષા કરી છે. ૩૧ પ્રકૃતિનો બંધક જિનનામ સહિત સંયતને પણ હોય છે. ત્યાં વીર્ય અલ્પ પામે નહીં તેથી તેનો પણ ત્યાગ કર્યો છે. દેવદ્વિક, વૈક્રિયતિકનો દેવ અથવા ના૨ક તીર્થંકરનામનો બંધક યથાસંખ્ય દેવભવથી અથવા નારક ભવથી આવી મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં ઉત્પત્તિના પ્રથમ સમયે દેવગતિ પ્રાયોગ્ય તીર્થંકરનામ સહિત ૨૯ પ્રકૃતિઓને બાંધતો સમ્યગ્દષ્ટિ જઘન્ય યોગસ્થાનવર્તિ જઘન્ય પ્રદેશબંધનો કર્તા થાય છે. કારણકે દેવ-નારકો ભવપ્રત્યયથી જ આ ૪ પ્રકૃતિ બાંધે નહીં તેથી અહીં અધિકૃત કર્યા નથી. કર્મભૂમિના તિર્યંચ ભવના પ્રથમ સમયે બાંધે પણ ફક્ત દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ બાંધે, તેથી ભાગ અલ્પ મળે, તેથી તે પણ અહીં અધિકૃત કર્યા નથી. મનુષ્ય પણ ૨૮ પ્રકૃતિના બંધકને ભાગ ઘણો મલે નહીં. ૩૦-૩૧ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય બંધક થાય છે. પણ ત્યાં વીર્ય અલ્પ મલે નહીં અને બીજા દેવગતિ પ્રાયોગ્ય બાંધે નહીં તેથી ૨૯ પ્રકૃતિઓનો બંધક એવા મનુષ્યનું જ ગ્રહણ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy