SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૬ પાંડવ ચરિત્રમ્ ૩૬૨ આ પહેલો મત આવશ્યક ટીકામાં કહ્યો છે. ચૂર્ણિમાં મુનિઓ બેઠા. વૈમાનિક દેવી અને સાધ્વીઓ બે ઊભા અને બાકીના નવ બેઠા દેશના સાંભળે છે. બીજા ગઢમાં ઇશાન ખૂણામાં દેવછંદો, ત્રીજા ગઢમાં પશુઓ, ચોરસ સમવસરણના ચારે ખૂણામાં બે-બે વાવડીઓ હોય છે અને ગોળ સમવસરણમાં ચારે દિશાઓમાં એક એક વાવડી હોય છે. ઇત્યાદિ સિદ્ધાંત (આગમ)માં કહેલું સમવસરણ જોઈને મોહિત થયેલા મનવાળા, રૈવત ઉદ્યાનના પાલકો (માળીઓ)એ સુદર્શન ચક્રવાળા કૃષ્ણને પ્રભુના કેવળજ્ઞાનના મહોત્સવની વાત શીઘ્ર આવીને કહી. ત્યારે કૃષ્ણે માળીઓને પ્રીતિપૂર્વક સાડાબાર ક્રોડ સુવર્ણ આપ્યું અને પછી ભક્તિથી ઉલ્લસિત મનવાળા કૃષ્ણ હાથીની પીઠ પર બેસીને રસ્તામાં યાચકોને દાન આપતા પ્રભુના પ્રતિ ચાલ્યા. જેમ કે હાથી પર બેઠેલા પિતા, કાકા, તેમજ માતા, ભાઈ અને પુત્રો સાથે પાંડવોથી પણ પરિવરેલા સમસ્ત અંતઃપુર અને નગરજનો સાથે કૃષ્ણ પ્રભુના કેવળજ્ઞાનની ભૂમિ (સમવસરણ)માં આવ્યા. (યુગ્મ ૧-૨) તે સમવસરણે પ્રભુની દેશના સાંભળવાની ઇચ્છાવાળી રાજીમતિ પણ માતા-પિતાદિ પરિવાર સાથે ત્યાં આવી. પિતા, કાકા આદિથી પરિવરેલા કૃષ્ણ હાથી પરથી ઉતરીને ભગવાનના દર્શન થતાં તલવાર, છત્ર, પાદત્રાણ, મુગટ, ચામર વગેરે રાજ્યચિહ્નો મૂકીને ઉત્તર દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરીને પ્રભુને પ્રદક્ષિણા આપીને સ્તુતિપૂર્વક વંદીને ઇન્દ્રની પાછળ યોગ્ય સ્થાને બેઠા અને ભવરૂપ કૂપમાંથી પ્રાણીઓને બહાર કાઢવાના મનવાળા કૃપાસાગર પ્રભુએ રસ્સીરૂપ(ધર્મરૂપ) દેશના આપવી શરૂ કરી. તે આ પ્રમાણે. કહ્યું છે કે “સર્વસુખોના શ્રેષ્ઠ કારણરૂપ જગતમાં ધર્મ સારભૂત છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે. તેથી મનુષ્યત્વ સારભૂત છે.” શરીરધારીનું શરીર પ્રાયઃ કરીને દુઃખનું ઘર છે. પુત્ર, મિત્ર, સ્ત્રી વગેરે વિવિધ પ્રકારના દુઃખના કારણ છે. તેથી આ સંસાર સુંદર વસ્તુથી શૂન્ય છે. એટલે કે સાર (માલ) વિનાનો છે. સાર તો સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર માત્ર જ છે. પછી સ્વામિએ ચાર મહાવ્રતરૂપ સાધુધર્મ કહ્યો. અને સમ્યક્ત્વ મૂળ બાર વ્રતરૂપ શ્રાવક ધર્મ પણ કહ્યો પછી હેય (છોડવા યોગ્ય) જ્ઞેય (જાણવા યોગ્ય), ઉપાદેય (આદરવા યોગ્ય) પદાર્થો કહ્યા. તે આ પ્રમાણે. જેમ કે છોડવા યોગ્ય સાત વ્યસનો છે, જાણવા યોગ્ય જીવાજીવાદિ નવ તત્ત્વો છે. નિગોદ, અનંતકાયાદિ પણ જાણવા યોગ્ય છે. આચરવા (આરાધવા) યોગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પુણ્ય કાર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy