SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૬o સર્ગ - ૧૬ આવી હાજર થઈ ગયા અને તે આ પ્રમાણે - ૨૦ (વીસ) ભુવનેન્દ્ર, બત્રીસ (૩૨) વ્યંતરેન્દ્રો, સૂર્ય-ચંદ્ર (૧-૧), બાર દેવલોકના દશ (૧૦) એ પ્રમાણે નેમિકુમારના દીક્ષા મહોત્સવમાં ૬૪ (ચોસઠ) ઇન્દ્રો ભેગા થયેલા શું કરે છે ? તે કહે છે. પહેલાં સ્વામિને મણિની પીઠ ઉપર મૂકેલા મણિ સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેસાડીને ૮૦૬૪ (આઠ હજાર ચોસઠ) કળશો તે આ પ્રમાણે. (૧) સુવર્ણ, (૨) ચાંદી, (૩) રત્ન, (૪) સુવર્ણ-ચાંદી, (૫) સુવર્ણરત્ન, (૬) ચાંદી-રત્ન, (૭) સુવર્ણ-ચાંદી રત્ન, (૮) માટીના આવા આઠ જાતના એકએક ૧૦૦૮૪૮=૮૦૬૪ ક્ષીરસમુદ્રના પાણીથી ભરેલા કળશો વડે સ્વામિને (નેમિકુમારને) નવરાવ્યા. પછી સુગંધિ કપડા વડે શરીરને લૂછીને ચંદનનું વિલેપન કરી આભૂષણો વડે શોભાવ્યા (પહેરાવ્યા). તે પછી દેવદૂષ્ય (એક દૈવી કપડું) પહેરાવી (ઓઢાડી) ઉત્તરકુરૂ શિબિકામાં જિનને બેસાડ્યા. પછી સ્વામિની આગળ સૌધર્મેન્દ્ર અને ઇશાનેન્દ્ર બે બાજુ ચામર વીંઝે છે. સન કુમાર છત્રને, માહેન્દ્ર ખગને, બ્રહ્મન્દ્ર દર્પણને, લાંતકેશ્વર પૂર્ણ કલશને, શક્રેશ સ્વસ્તિકને, સહસાગાર શતાયુધ, આનત અને પ્રાણતાધીશ શ્રીવત્સને, આરણ-અશ્રુત નંદાવર્તને ધારે છે. અમરેન્દ્રાદિ બીજા બાકી રહેલા ઇન્દ્રોએ શસ્ત્રોને ધર્યા છે. ભગવાન શિબિકામાં બેસી જતાં સમુદ્રવિજયાદિ યાદવો ઉગ્રસેન વગેરે રાજાઓ, બલભદ્ર, કૃષ્ણ, પાંડવો વગેરે બંધુઓ, શિવા, કુન્તી, દેવકી, રોહિણી વગેરે રાણીઓ વાહનમાં બેસીને સ્વામિની સાથે ચાલ્યા. કેટલીક મંગલ ગીતો ગાતી, શિવા આદિ રોતી, અશ્રુને સારતી સાથે ચાલીએ કહ્યું છે કે સંસારમાં મોહની આજ્ઞા વર્તી રહી છે. ઉગ્રસેનના મહેલના આંગણામાં આવેલા શ્રી નેમિના દર્શનથી શોકે (દુઃખથી) ભરાયેલી, રૂંધાઈ ગયેલા સ્વરવાળી રાજીમતિ ફરી જોરથી રડવા લાગી. ત્યારે રાજીમતિના દુઃખને જ્ઞાનથી જાણતા હોવા છતાં પણ નેમિ રાગરૂપી શત્રુથી ડગ્યા નહિ. વાગતા વાજિંત્રોના સૂર સાથે, ચારણો વડે સ્તુતિ કરાતા, સજ્જન લોકો વડે અભિનંદન અપાતા, દેવ, મનુષ્યના સમૂહથી પરિવરેલા નેમિ જિનેશ્વર રૈવતક પર્વત ઉપર સહસામ્ર (સહસા) વનમાં આવ્યા. ત્યાં આવીને ઉત્તરકુરૂ શિબિકામાંથી નીચે ઉતર્યા. ત્યાં આમ્રતની નીચે નેમિ જિને પોતાના અંગ પર રહેલા અલંકાર, મુગટ, કુંડલ, હાર, બાજુબંધાદિ બધું ત્યજતાં (ઉતારતાં) સૌધર્મેન્દ્ર લઈને હાથ જોડી રહેલા કૃષ્ણને આપ્યું. ત્રણસો વર્ષ થયે છતે શ્રાવણ માસની શુક્લ છઠ્ઠના સવારે ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર આવ્યું છતે છઠ્ઠ તપ કરેલા શિવા પુત્રે (નેમિજિને) મસ્તક પરના બાલોને જાતે જ પાંચ મુષ્ટિ વડે ખેંચી કાઢ્યા (પંચમુષ્ટિ લોન્ચ કર્યો). તે વાળોને ઇન્દ્ર શીધ્ર ક્ષીરસમુદ્રમાં નાખીને આવી ગયો. પછી શક્રેન્દ્ર સ્વામિના ખભે દેવદૂષ્ય મૂક્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy