SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૬ પાંડવ ચરિત્રમ્ ૩૫૮ દુ:ખનું એક ઘર એવો સંસાર માનીને હું દીક્ષા લઈશ. લગ્નથી સરો. તે સાંભળીને મોહના આવેશને પરવશ થયેલા શિવામાતાએ અશ્રુભરી આંખે નેમિકુમારને કહ્યું : “હે વત્સ ! છત્ર વિના દીક્ષામાં આ તાપ (અત્યંત તડકો) તારા શરીરને બાધા પહોંચાડશે. વસ્ત્રો વિના હેમંત ૠતુમાં અહા ! ઠંડી બાધા પહોંચાડશે, વનમાં ઘર વિના વરસાદના પાણી તું કેવી રીતે સહન કરીશ ? તથા યાચના, મચ્છરના ડંખ વગેરે દુ:ખે કરી જોવાય તેવી સામે આવતી પરિષહરૂપ મહાસેનાને સહાયક વિના કેવી રીતે સહીશ ? મારા પોતાના હાથો વડે સિંચેલા તેલ વગેરેથી વધેલા ભ્રમર જેવા શ્યામ કેશસમૂહને પોતાના હાથ વડે કેવી રીતે ખેંચી કાઢીશ ?'' પછી નેમિએ માતાને કહ્યું : “હે માત ! તારૂં કહેવું બધું સાચું છે, તો પણ આ જીવ પરાધીનપણે જે જે દુ:ખો સહે છે, તે તે કહેવા માટે શક્ય નથી. ધરવાસથી વિરક્ત સાધુઓને જે સુખ હોય છે, તેવું સુખ લોભમાં લંપટ બનેલા મનુષ્યો અને દેવોને નથી હોતું.” : કહ્યું છે કે : સંતોષયુક્ત ચિત્તવાળા સાધુઓને જે સુખ હોય છે, તેવું સુખ લોભમાં લંપટ ચક્રવર્તિને અને સુરેન્દ્રને હોતું નથી. આથી હે માત ! હું તમારી આજ્ઞાથી (લઈ) સમતાને પ્રિયા બનાવીશ. જે હંમેશા સુખને ઉત્પન્ન કરનારી (દેનારી) સ્થિર પ્રેમવાળી અને એક આનંદમયી છે. આ વચન બધા યાદવોએ સાંભળ્યું. તેથી યાદવોએ જાણ્યું કે નક્કી, આ નેમિકુમાર લગ્ન કરશે નહિ. તેથી શિવાદેવીએ, સમુદ્રવિજય અને યાદવોએ મોકળા કરેલા માર્ગે સારથિથી ચલાવાતો રથ, ચારિત્રરૂપ રાજાના સુભટોથી પરિવરેલા મોહરૂપ સેનાને જીતીને નેમિકુમાર પોતાના મહેલે આવ્યા. પછી લોકાંતિક દેવો સ્વામિ પાસે આવીને તીર્થ પ્રવર્તાવો, એમ કહીને સાંવત્સરિક (વર્ષી)દાનનો અવસ૨ જણાવ્યો. કહ્યું છે કે : (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) અગ્નિ, (૪) વરુણ, (૫) ગદતોય, (૬) કૃષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય, અને (૯) રિષ્ટ. આ દેવો જિનેશ્વર ભગવંતને જણાવે (બોધ આપે) છે. હે પ્રભો ! ત્રણ જગતના જીવોને હિત કરનારૂં તીર્થ પ્રવર્તાવો. નેમિકુમાર પણ અવધિજ્ઞાન વડે પોતાની દીક્ષાનો સમય વર્ષાકાળના અંતે (પૂર્ણ થયા પછી) જાણીને વર્ષીદાન આપવા લાગ્યા. તે આ પ્રમાણે. જેમ કે ઇન્દ્રની આજ્ઞાથી ધનદ સ્વામિના ઘરમાં દરરોજ ૧ કરોડ અને ૮ લાખ સુવર્ણ મુદ્રિકા મૂકી જાય છે. તે સવારે ૧ પ્રહર સુધી સ્વામિ દાનરૂપે આપે છે. એ પ્રમાણે એક વર્ષમાં સ્વામિએ આપેલું દાન કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy