SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૬ ૩િપ૧) પાંડવ ચરિત્રમ્ તેઓએ કહ્યું : સંસારથી વિમુખ આ નેમિ પાણિગ્રહણ કરતો નથી.” પછી કૃષ્ણ પ્રિયાઓને કહ્યું : “હે પ્રિયાઓ ! શ્રી નેમિને પાણિગ્રહણ માટે પ્રાર્થના કરવી. જે રીતે નેમિ પાણિગ્રહણ કરે તે રીતે કરવું.” તે સાંભળીને સત્યભામાદિ કૃષ્ણની પ્રિયાઓએ નેમિની સાથે ક્રીડા કરતા પાણિગ્રહણ માટે પ્રાર્થના કરી. સ્વામિએ પણ તેઓને વાણીની યુક્તિથી પ્રત્યુત્તર આપી ખુશ કરી. નેમિના વચનથી વિલખી પડેલી કૃષ્ણની સ્ત્રીઓને સહાય માટે વસંતઋતુ જાણે ઉતરી આવી. પછી નગરજનોથી ઘેરાયેલો જગતવલ્લભ કૃષ્ણ પ્રિયાઓ સહિત નેમિની સાથે રૈવતક (ગિરનાર)ના ઉદ્યાનમાં ગયા. તે વનમાં સારી રીતે દારૂ પીને યાદવો પ્રિયાની સાથે નવા તાજા પુષ્પના આભરણો વડે ઈચ્છા પૂર્વક ક્રીડા કરવા લાગ્યા. કેટલાક યાદવો પ્રેયસીઓને પ્રેમ કરવાની ઇચ્છાવાળા, કેટલાક યાદવો હસ્તપલ્લવમાં વૃક્ષના પાન બતાવીને પ્રેયસીઓને ક્રીડા કરવા માટે બોલાવવા લાગ્યા. કેટલાક પુષ્પના દડા કરીને પ્રિયાં તરફ નાખવા લાગ્યા. કેટલાક પુષ્પના હાર બનાવીને પ્રિયાના કંઠે પોતાના બાથ્થી નાખવા લાગ્યા. એ પ્રમાણે પ્રિયાઓ પણ પ્રેમપાશથી બંધાયેલાની જેમ કંઠમાં પોતાના બાહુપાશ નાખીને અહીં-તહીં વનમાં વિચરવા લાગી. રેવતી, સત્યભામા આદિ બલભદ્ર અને કૃષ્ણની પત્નીઓ નેમિની સાથે રમવા લાગી. જેમ કે કેટલીકે પીઠ પર મૂકેલા સ્તનવાળી પાછળ રહીને નવી વેણીઓ વડે નેમિના અંબોડાને શણગાર્યો. એ પ્રમાણે કેટલીકે નેમિને કંઠમાં પુષ્પનો હાર પહેરાવ્યો. આગળ થઈને ઊંચા હાથ કરી સ્તનને બતાવતી નેમિના માથા પર ફુલનો મુગટ બાંધ્યો. એ પ્રમાણે કેટલીક કામવશ થયેલી કટાક્ષ નાખતી શોભતી હતી. કેટલીક હાસ્યને કરતી અત્યંત શોભતી હતી. એ રીતે નેમિની સાથે કૃષ્ણ દરરોજ ક્રીડામાં લીન થઈ વિચરે છે. પરંતુ વસંતઋતુ નિર્વિકાર એવા નેમિના મનને વિકારવાળું કરવા સમર્થ ન બની. પછી અભિમાનને છોડીને સ્વસ્થાને જતી રહી. વસંતઋતુ ચાલી જતાં ગ્રીષ્મઋતુમાં ભયંકર કિરણવાળો સૂર્ય જનલોકોને અત્યંત તાપ કરનારો થયો. ત્યારે કૃષ્ણ અંતઃપુરની સાથે રૈવતક (ગિરનાર)ના બગીચા, વાવડી, પુષ્કરણી આદિમાં જલક્રીડા કરવા લાગ્યા. ત્યાં જલક્રીડાદિ સમયે ભાભીઓ નેમિને પણ ખેંચીને સાથે લઈ ગઈ. તે સરોવરાદિમાં જલક્રીડા કરતાં કૃષ્ણની નારીઓ નેમિને સુવર્ણ પીચકારી વડે પાણી છાંટીને વારંવાર કહેતી હતી કે લગ્ન કરવાનું સ્વીકારી લો. નહિ તો તમને છોડીશું નહિ. એમ કહીને સત્યભામાએ સુવર્ણની પીચકારી વડે પાણી નેમિના મુખપર છાંટ્યું. એ રીતે રુક્મિણી પણ નેમિના ગાલ ઉપર પીચકારી વડે પાણી છાંટતી હતી. એમ વારંવાર છાંટવાથી કંચૂક (ચોળી)ના બંધન તૂટવા (છૂટવા)થી શરમથી નીચું મુખ કરીને કૃષ્ણની આગળ થઈને બીજી જગ્યાએ ચાલી ગઈ. એ પ્રમાણે નેમિએ પણ તેઓને પાણી વડે સિંચી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy