SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૪૬) સર્ગ - ૧૫ એ રીતે પાંચેય પરમેષ્ઠીને નમસ્કાર કરીને બાહ્ય અને અત્યંતર ઉપાધિને છોડીને ત્રિવિધે ત્રિવિધ પાપવ્યાપારનો ત્યાગ કરો. પછી ચાર પ્રકારના આહારનું પચ્ચખ્ખાણ કરો (વિરતિ ધરો). છેલ્લા શ્વાસોશ્વાસ રહે છતે સમાધિપૂર્વક શરીર પરની મમતા ત્યાગી તેનો પણ ત્યાગ કરો. એ પ્રમાણે ગુરુના કહેવાથી ફરી વ્રતનું આરોપણ કરીને, આરાધના કરીને અને અનશન (ખાવાપીવાનો ત્યાગ) કરીને સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરી છેલ્લા શ્વાસે કાયાને છોડવાની ઇચ્છાવાળા ગાંગેય-મહામુનિએ બધાય સાધુને ખમાવ્યા. તેથી અશ્રુભર્યા લોચનવાળા પાંડવોએ મુનિરાજ ગાંગેયને નમીને આ પ્રમાણે વિનંતિ કરી. તમે નાના છોડવાઓની જેમ અમારું પાલન કર્યું અને ભણાવ્યા. પછી દ્રોણને આપ્યા. દ્રોણે પણ વિદ્યાના પારગામી બનાવ્યા. અમે તમારા અને તેમના પર એવો અપકાર કર્યો કે યુદ્ધ મેદાનમાં બંનેનું જીવન લઈ લીધું. અહો ! આ પ્રતિઉપકારનો બદલો આપ્યો. વધારે શું? નાના બાળકો (પુત્રો)નો અપરાધ બાપ જેમ માફ કરે છે, તેમ અમારો અપરાધ માફ કરો. એ પ્રમાણે ખમાવીને ચારેય પાંડવો જ્યાં મૌન (રહ્યા) થઈ ગયા, ત્યાં એકલો અર્જુન નિષ્કપટ બોલ્યો. “હે તાત ! તમારા અંગમાં લાગેલા મારા નામથી અંકિત બાણો તિરસ્કાર કરવા યોગ્ય મારા દુષ્કર્મનો તિરસ્કાર કરે છે. તે તાત ! યુદ્ધનું સ્મરણ કરતાં હું પગલે પગલે દુઃખ અનુભવું છું. તેથી હાલમાં મૂઢ એવા મારી અવજ્ઞાને માફ કરો.” એ પ્રમાણે વિનંતિ કરાયેલા કરૂણાના એક સાગર મુનિ ગાંગેયે સર્વ પ્રાણીઓને ખમાવ્યા, ક્રોધને છોડી દીધો, ઈર્ષ્યા વિનાના બનેલા શત્રુ અને મિત્ર ઉપર સરીખા સમભાવવાળા તેમણે તે પાંડવોની પીઠ ઉપર કૃપાસૂચક હસ્તપલ્લવ મૂક્યો. પછી શુક્લધ્યાનમાં ચડેલા (લીન બનેલા) મહામુનિ ગાંગેય પોતાને સંસારરૂપ સાગરને પાર પામ્યા હોય તેમ માનવા લાગ્યા. તે ગાંગેય મહામુનિ અર્જુનના બાણના પ્રહાર લાગવાના દિવસથી લઈને એક વર્ષ સુધી સંયમને પાળીને એક મહિનાના અનશન (માસક્ષમણ) કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને અશ્રુત (બારમા) દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવોએ, વિદ્યાધરોએ, પાડુપુત્રો (પાંડવો)એ પણ સઅશ્રુ ગોશીર્ષ ચંદન વડે ગાંગેય મહામુનિના દેહનો સંસ્કાર કર્યો. ગાંગેય મુનિના શોકથી દુઃખી થયેલા પાંડવોને ધર્મોપદેશ વડે પ્રતિબોધિને શ્રી ભદ્રગુપ્તસૂરિ બીજે વિહાર કરી ગયા. તે મહામુનિના ગુણોને ગાતાં વિદ્યાધરો, દેવો, ગાંધર્વો જેવી રીતે આવ્યા હતા, તેવી રીતે પોતાના સ્થાનમાં ગયા. પાંડવો પણ ગાંગેય મુનિના ગુણોને ગાતા હસ્તિનાપુર ગયા. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં ગાંગેય સ્વર્ગગમન વર્ણન નામનો પંદરમો સર્ગ પૂર્ણ થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy