SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૪ ૩૨૬ પાંડવ ચરિત્રમ્ સાથે યુદ્ધ કરવું જોઈએ. એ પ્રમાણે પ્રસરતા ઉત્સાહવાળા પાંડવો પણ ચાલ્યા. એ પ્રમાણે ઉત્સાહિત કરાયેલા કૌતુકથી હર્ષઘેલા મનવાળા યાદવ કુમારો પણ આગળ ચાલ્યા. એ પ્રમાણે સંગ્રામની ઇચ્છાવાળું કૃષ્ણનું સૈન્ય સનપલ્લીના વનમાં આવી પહોંચ્યું. જરાસંઘે કૃષ્ણને આવેલા જાણીને ચક્રવ્યૂહની રચના કરવા પૂર્વક પોતાના સૈન્યને ગોઠવી દીધું. કૃષ્ણે પણ ગરુડ વ્યૂહ રચીને ગરુડ આકારે પોતાના સૈન્યને સ્થાપ્યું. પહેલાં વૈતાઢ્ય પર્વતમાં વિચરણ કરતાં વસુદેવે ઉપકાર કરવાથી મિત્રરૂપે બનેલા જે વિદ્યાધર રાજાઓ હતા, તે તેઓને તે વખતે સહાય કરવા માટે કૃષ્ણના સૈન્યમાં આવી ગયા. પછી તે વિદ્યાધરોએ સમુદ્રવિજયની આગળ કહ્યું : “હે રાજન્ ! જરાસંઘના પણ ઘણા વિદ્યાધરો વૈતાઢ્યથી આવશે. તેઓ આવી જતાં જરાસંઘ બળવાન બનશે. આથી તેઓને રોકવા માટે શ્રેષ્ઠ કોટિ સુભટોથી પરિવરેલા વસુદેવને ત્યાં મોકલો. આ વચન સાંભળીને યુદ્ધનો અવસર જાણીને સમુદ્રવિજય રાજા પ્રદ્યુમ્ન અને શામ્બની સાથે વસુદેવને વૈતાઢ્ય પ્રતિ વિદ્યાધર સૈન્યના જય માટે મોકલ્યા.’ વિદ્યાધરોના જય માટે વસુદેવને પ્રયાણ કરતાં જાણીને શ્રી નેમિનાથે શત્રુના શસ્ત્રોનો નાશ કરનારી, દેહની રક્ષા કરનારી ઔષધિ પહેલા જન્મોત્સવ સમયે દેવેન્દ્ર બાહુ પર બાંધી હતી. તે ઔષધિ વસુદેવની રક્ષા કરવા માટે વસુદેવના હાથ ઉપર નેમિનાથે પોતાના હાથે બાંધી. તે પછી વસુદેવે પ્રયાણ કર્યું. ત્યારે સૌધર્મેન્દ્ર નેમનાથને માટે એક વજ્ર જેવું બખ્તર અને દિવ્ય શસ્ત્રોથી ભરેલો ૨થ માલિ સારથિની સાથે મોકલ્યો. તેને આવીને સ્વામિ નેમિને વિનંતી કરી કે, હે સ્વામિન્ ! આ વજ્ર જેવું મજબૂત બખ્તર, આ શસ્ત્રોથી ભરેલો રથ તમારા માટે સૌધર્મેન્દ્રે મોકલ્યો છે. બખ્તરને પહેરો. શસ્ત્રથી ભરેલા દિવ્ય રથમાં આપ બેસો. તમારો હું સારથિ, તમારી આજ્ઞાને ધરનારો હું સેવક છું. તમે જે આદેશ કરશો તે હું કરીશ. સ્વામિ નેમિ તેનું કહેવું સાંભળીને તે વજ્ર બખ્તરને પહેરીને, તે રથમાં ચડીને સજ્જ (તૈયાર) થયા. બંને સૈન્યોના સુભટો ભુજાનું આસ્ફાલન કરતાં અને ચતુરંગી સેના સાથે પોતપોતાના સ્વામિના જયની ઇચ્છાવાળા એવા સકલ સામન્તોથી પરિવરેલા રાજાઓ પરસ્પર યુદ્ધે ચડ્યા. પછી માતેલ ઘોડાઓના અવાજ (હેષારવ)થી ઉત્સાહિત થયેલા અને હાથીઓની ગર્જનાઓના અવાજ વડે ચારે દિશાઓને ગજવતા, યુદ્ધ વાજિંત્રોના શબ્દથી ત્રિગુણા ક્રોધવાળા થયેલા, દેવ-દાનવના સૈન્યની જેમ યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે કૃષ્ણે પંચજન્ય શંખ વગાડ્યો. અર્જુને પણ દેવે આપેલો શંખ વગાડ્યો. પછી તે બંનેનાય વ્યૂહના ફેલાયેલા બાણો વડે વિશ્વ એકછત્ર જેવું બની ગયું. જેમ ઉન્મત્ત બનેલા પરાક્રમી હાથીઓ વડે સામા હાથીઓ ભગાડી મૂકાય, તેમ જરાસંઘના પરાક્રમી સૈનિકો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy