SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૨૨ સર્ગ - ૧૩ છતાં પણ આજ પ્રેમથી વિમુખ થયેલા મુખવાળો જ કેમ દેખાય છે. કારણ કે તું મારી સાથે કંઈપણ બોલતો નથી. શું તું ક્રોધે ભરાયેલો છે કે તું મુનિન્દ્રની જેમ મૌન ધારીને રહેલો છે અથવા તને શું ઊંઘ આવી ગઈ છે ? હે પુત્ર ! મેં તને આવી નિદ્રામાં ક્યારે પણ જોયો નથી. આજ આવી લાંબી નિદ્રામાં કેમ સૂઈ રહ્યો છે ? સાવધાન (ચેતન) થઈને મને કંઈપણ ઉત્તર આપ. જેથી હું સ્વસ્થ ચિત્તવાળી થઈ સ્વગૃહે જાઉં. હે વત્સ ! તું મારા ઉપર નારાજ થયો છે; કેમ કે તું પ્રત્યુત્તર નથી આપતો ? હે વત્સ ! માતા ઉપર પ્રેમવાળા એવા તારો કોપ કેવો ? જેથી ઊંચેથી રડવા છતાં પણ મને જવાબ નથી આપતો? હે વત્સ ! માતા પર સ્નેહ રાખનારો એવો તારો ક્રોધ કેવો? જે આટલો ઊંચેથી આજંદ (રડવા) કરવા છતાં પણ મને ઉત્તર નથી આપતો? એ પ્રમાણે માતાએ જાતે વિલાપ કર્યા પછી દુર્યોધનની પત્ની ભાનુમતિ પોતાના પતિના ચરણને મસ્તક પર મૂકીને વારંવાર રડતી આ પ્રમાણે બોલી... જેમ કે – હે નાથ !હે શત્રુમથનારા ! હે માનનો એક મહેલ ! હે સૌભાગ્યરૂપ અમૃતના સમુદ્ર ! હે રૂપ વડે કામદેવને જીતનાર ! હે કલ્પવૃક્ષ જેવા ઉદાર ! હે અમૃતમય વાણીયુક્ત ! હે વિશ્વકમલ માટે સૂર્ય ! હે ચંદ્ર જેવી નિર્મળ આંખવાળા ! હે નાથ ! તમે રુખ થયેલાની જેમ મારી સાથે બોલતા કેમ નથી ? અથવા તમે મારા વિશે કંઈક જુદુ (ખરાબ) સાંભળ્યું છે ? અથવા જોયું છે ? તે જે હોય તે ખુલ્લું કહો. જેથી હું દિવ્યાદિ વડે તે પણ સાબિત કરી બતાવું. વિશ્વાસ કરાવું. હે નાથ ! મને છોડીને તમે ક્યાંય પણ ક્રીડાવનમાં ગયા નથી. તો આજ મને મૂકીને દેવલોક તરફ પ્રયાણ કેમ કર્યું ! હે પ્રાણેશ ! એ પ્રમાણે અનાથ, દીન, તમારામાં અનુરક્તા, ભક્તા એવી મને છોડીને જવું તમને મુક્ત - યોગ્ય નથી. હે પ્રાણપ્રિય ! તમારાથી છૂટી પડેલી મને આ સૂર્ય અંધકારનો પીંડ દેખાય છે. તેવી રીતે હે સ્વામી ! આ પ્રભાતકાલનો પવન પણ તમારા વિરહથી અગ્નિ જેવો થયો છે. જેમ કે હે નાથ! તમે દેવલોક જતાં તમારા સેવકો જગતના વૃક્ષનો ધ્વંસ થતાં પક્ષીઓની જેમ ક્યા પુરુષનો આશ્રય લેશે ? હવે ગાંધારી, ધૃતરાષ્ટ્રની પુત્રી અને દુર્યોધનની બહેન દુઃશલ્યાએ રડતાં રડતાં આમ કહ્યું: “હે અભિરામ ગુણમણિ, રોહણાચલ ! હે વાચા અવિચલ ! હે વીર ! વીર શિરોમણે ! તમો દેવલોકમાં જતાં પિતા અને સસરાનું કુળ સૂર્ય-ચંદ્રમંડલ અસ્ત પામતાની જેમ અમાવાસ્યા જેવું થયું છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy