SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ (૨૮૭). પાંડવ ચરિત્રમ્ જેવી રીતે યુદ્ધથી થયેલ લોહીની મહાનદી, દાઢી-સેવાળ જેવી, સૈનિકોના માથા લાલ કમળ જેવા, રથો ભાલ જેવા, આંગળીઓ માછલી જેવી સફેદ, છત્રો કુમુદ પુષ્પ જેવા અને ધજાઓ નેતરની સોટી જેવી લાગતી હતી. આવું યુદ્ધ થયું. તે નદીમાં મોટા ઉન્મત્ત હાથીઓ, પર્વતો જેવા લાગતા હતા. તે યુદ્ધના અવસરે કોઈ સ્થાને ઘોડાના અંગવાળી, કોઈ સ્થાને હાથીના શરીરવાળી, કોઈ સ્થાને વીરના શરીરવાળી, ક્યાંક ધજાના દંડવાળી, ક્યાંક ધનુષ્યવાળી, ક્યાંક સેલ્લ, ભીલ્લ, મયી આવા પ્રકારની યુદ્ધભૂમિ બની. પૃથ્વીને રૂધિરથી વહેતી કરીને ઉત્તરકુમારના વધથી પ્રાપ્ત જયવાળા ગાંગેય પોતાના સૈન્ય પાસે આવ્યો. તેવી રીતે ઉત્તરકુમારના વધથી અત્યંત ખેદ પામેલા દુષ્ટદ્યુમ્ન પણ પૃથ્વીને રક્તવાળી કરીને કૌરવની સેનાના અધિપતિ ગાંગેય વીરપુરુષનો વધ કરીને સૂર્યાસ્તવેળાએ પોતાના સૈન્ય સાથે સૈન્યમાં આવ્યો. પહેલો દિવસ પસાર થયો. પુત્રના શોકથી આકુળ બનેલી વિરાટ દેશના રાજાની પત્ની સુદષ્ણાને મીઠા વચન વડે યુધિષ્ઠિરે આ પ્રમાણે સાંત્વન આપ્યું : હે કલ્યાણી ! તું વીરની પત્ની છો. આજથી લઈને તું વીરને જન્મ આપનારી પણ છે. કારણ કે તારો પુત્ર યુદ્ધમાં વીર સુભટોને હણીને મૃત્યુ પામ્યો છે. શલ્યથી તારો પુત્ર હણાયો છે. પરંતુ તારા પુત્રના દુશ્મનોને જો હું કંટકની જેમ કાઠું નહિ તો મારું વચન નિષ્ફળ જાય.” એમ કહીને સંતોષ પમાડેલી એવી તેણીએ મૌનને ધારણ કર્યું. કારણ કે ઉદાર પ્રકૃતિવાળાનો શોક થોડા સમયનો હોય છે. બીજા દિવસે તેવી રીતે ગાંગેયે બાણો વડે અનેક રાજાઓને, અનેક સૈનિકોને મારતાં સાત દિવસ (સુધી) પાંડવસેના માટે કલ્પાંતકાળના અગ્નિની ઉપમા સમાન થયા. તે યુદ્ધના પૂર્ણ સ્વરૂપને સંજય રાત્રિએ સ્ત્રી સાથે રહેલા ધૃતરાષ્ટ્રને હંમેશ નિવેદન કરતો હતો અને ઔદાર્ય બુદ્ધિવાળા યુધિષ્ઠિર તે વિદ્યાધરે આપેલી અંગૂઠીના (વીંટીના) પાણીના પ્રભાવથી પોતાના સૈનિકોના ઉત્પન્ન થયેલ ઘાને દરરોજ રુઝવે છે. એમ ગાંગેય પોતાની સેનાના સૈનિકોના ઘાને મંત્રશક્તિથી હંમેશ દવા લગાડતા હતા. એ પ્રમાણે બંનેના સૈન્યનું પરસ્પર યુદ્ધ થતાં ક્રોડો હાથી, ઘોડા, મનુષ્ય મરણને પામ્યા. એ પ્રમાણે સાત દિવસો પસાર કર્યા. તેવી રીતે આઠમા દિવસે પાંડવસૈન્યના રાજાઓએ પિતામહ ગાંગેયની સાથે યુદ્ધની શરૂઆત કરી. પાંડવસેનાના રાજાઓ સેના સહિત પિતામહની સેના સાથે યુદ્ધ કરતા કોઈક એક જ બાણ વડે કર્ણની ધનુષ્યની દોરી અને હાથની નાની આંગળી કાપી નાખી. કારણ કે, આ ચારેય અપરાધી છે. અપરાધીઓ દંડ (શિક્ષા)ને પામે છે. (૧) આંખથી જોયું, (૨) કાનથી સાંભળ્યું, (૩) હાથની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy