SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ રિ૬૨) સર્ગ - ૧૧ “હે સંજય ! તું પણ વૈરીના ઘરનો થયો. કારણ કે, વૈરીના બલના ઉત્કર્ષના વર્ણનથી અમને ડરાવે છે. તે સંજય ! મારા રક્ષણકારક રક્ષક દેવો પહેલાં જ કવલ(કોળીયા)માં પાંચેય પાંડવોને ખાઈ જશે, પછી કૃષ્ણને (અને) પછી અનેક સૈનિકોનો કવલ (આહાર) કરશે. તે પછી પાંડવ અને કૃષ્ણ સકલ સૈન્યના સંહારથી સંપૂર્ણ પૃથ્વીને શત્રુ રહિત બનાવીને મને આપશે.” બ્રમરના ઇશારા માત્રથી અનેક રાજાઓને નચાવનાર એવો હું ક્યાં? મત્સ્ય, દ્રુપદ, ગોપાલ, બાલાદિ તમારા શત્રુ ક્યાં ? જેઓ અવિચારી કાર્ય કરનારા રહ્યા છે. પાંડવ, કૃષ્ણાદિ રાજાઓ, મારા પ્રતાપરૂપ દાવાનલમાં ખરેખર ભસ્મીભૂત થઈ જશે. હે તાત ! આ સંજય અમારો અર્જુન જ છે. જે અમારો નિંદક છે. ખરેખર આ દુરાત્માની જીભ છેદવી જોઈએ, પરંતુ પિતાની જેમ ઉદારતાથી હું કંઈપણ બોલતો નથી, એ રીતિએ સંજયનો તિરસ્કાર કરીને દુર્યોધન પોતાના ઘરે (ગૃહ) ગયો. સંજય પણ દુર્યોધનના તિરસ્કારને જાણીને મનમાં આમ ચિંતવે છે. આ દુરાત્મા દુર્યોધનથી ફોગટનો હું તિરસ્કાર પામ્યો. ખરેખર આ મરણના ચિહ્નો છે. કારણ કે : સજ્જનનો તિરસ્કાર અને દુર્જનોની મૈત્રી, અયોગ્ય કાર્યનો પ્રારંભ, સ્વજનનો વિરોધ, બલવાન સાથે સ્પર્ધા અને સ્ત્રીજનનો વિશ્વાસ, આ ચાર મૃત્યુના દ્વાર છે. આ પ્રમાણે વિચારતો પોતાના ઘરે ગયો. હવે દુર્યોધનના સૈનિકો દુર્યોધનની આજ્ઞાથી તૈયાર થયા. ત્યાં પહેલાં કુરુક્ષેત્ર તરફ જવા માટે મહા ઓજસ્વી દુર્યોધને સેનાને તૈયાર કરી, તે વખતે હસ્તિનાપુરમાં રહેનારા બધાય લોકો કુરુસેનાના સંહારના શોકની ગંધવાળા થયા. એક દિવસ ધૃતરાષ્ટ્ર રાજાએ એકાંતમાં વિદુરને બોલાવીને કુરુકુલના કુશલનું કારણ પૂછ્યું, ત્યારે વિદુરે બંધુ ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે ભાઈ ! મેં જુગાર રમવાના સમય પહેલાં ઘણું કહેવા છતાં પણ દુર્યોધને જુગાર છોડ્યો નહિ, તે જુગારનું આ ફળ છે, જે હમણાં કુરુના સંહારનો સમય આવી ગયો છે. હવે આ સંહાર લોભવૃત્તિના ત્યાગ (સંતોષ)થી નિવારી (અટકાવી) શકાય તેમ છે. . કહ્યું છે કે - લોભના કારણે માણસ ન્યાય નીતિથી ભ્રષ્ટ થાય છે. અન્યાયી ધર્મને છોડી દે છે. ધર્મ વગરનાની લક્ષ્મી જાય છે, લક્ષ્મી વિનાની કીર્તિ હોતી નથી. હે બંધો ! જો ગોત્રનું અને કુળનું કલ્યાણ ઇચ્છતા હો તો પોતાના પુત્ર દુર્યોધનને લોભથી પાછો વાળો. યુધિષ્ઠિરને ગ્રહણ કરેલું રાજ્ય પાછું અપાવો, જેથી કરીને પોતાના કુળનું રક્ષણ થાય, નહિ તો સકલ કુળ યમરાજાનો કોળિયો થશે.” આવું વિદુરે કહેલું વચન સાંભળીને ધૃતરાષ્ટ્ર બોલ્યો : “હે વિદુર ! તારા વિના હિતકારી અને વાસ્તવિક વચન કોણ કહેશે?” હું શું કરું? આ દુરાત્મા દુર્યોધનને મેં હજાર વાર બોધ આપ્યો છતાં પિશાચથી પ્રસાયેલાની જેમ. દુર્દેવથી યાને ખરાબ નસીબથી બોધ પામ્યો નહિ. હે ભાઈ ! વિદુર! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy