SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૧૬૬ સર્ગ - ૬ જે દુરાત્માએ મારી પત્નીના કેશ પકડીને ચીર ખેંચવા થકી પરેશાન કરી, તેનો હાથ જો મૂળથી ઉખેડું નહિ, તેના કંઈક ગરમ રક્ત થકી જો ભૂમિને હું ન સી, તથા જેણે મારી પત્નીને સાથળ બતાવી, તે સાથળ આ ગદા વડે જો હું ન ચૂરૂં તો પાણ્ડપુત્ર નહિ, પરંતુ બીજાનો પુત્ર છું, એ પ્રમાણે ભીમ રાજાએ મહાપરાક્રમ થકી ક્રોધથી લાલ નેત્રવાળા થઈ ગર્જના કરતા તે સભા ક્ષોભને પામી. એ પ્રમાણે વીજળી સાથે વાદળાની જેમ ગાજતા ભીમને સાંભળીને કેટલાક રાજાઓ શરમથી નીચે જોવા લાગ્યા, કેટલાક ભયથી પીડાવાળા થયા, કેટલાક દુઃખી થયા, રોષથી ગરમ થઈ ગયેલા અને દુઃખી થયેલા ભીખે રાજાને કહ્યું: “રે અંધપુત્ર ! સતી સ્ત્રીને પરેશાન કરવાનું આ તેં શું માંડ્યું છે ? હે કુલાંગાર ! આ પતિવ્રતા સતી દ્રૌપદીને છોડ. આ તારા બાપ તો બહારથી આંધળો હતો, તું તો અંદર અને બહારથી આંધળો છે.” ઇત્યાદિ ભીષ્મના વચન સાંભળીને સભાની વચમાં ઉઠીને શોકના ભારથી ભરાયેલા હૃદયવાળા વિદ્વાન વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું : “હે બાંધવ ! દુરાત્મા આ દુર્યોધન કુરુવંશમાં કલ્પાંતકાલની ઉપમા જેવો છે. જન્મતાંની સાથે જ આ પહેલા પણ મેં કહ્યું હતું, એને છોડ. મેં તેને ન છોડ્યો, હવે આ દુષ્ટ એવા તારા પુત્ર દુર્યોધનને જો એણે એવું કર્મ કર્યું છે કે જે ચાંડાલ પણ ન કરે. ચાંડાલ કુળમાં પણ શું આવું કર્મ કરાય છે ? કારણ કે પોતાનો ભાઈ પણ માયા વડે કરીને જીતાય છે. દમયંતીને વાળ વડે પકડીને ગુરુની આગળ લાવીને તેના નિતંબ પરથી કપડાને નિઃશંક ખેંચે છે. તે ભીમ સ્વસ્ત્રીનો પરાભવ કેમ સહન કરે? પોતાની પ્રિયાનો પરાભવ તિર્યંચ પણ સહન નથી કરતા તો માનવનું તો શું કહેવું? આ ભીમ આ પૃથ્વીને દુઃશાસન વિનાની, દ્રોણ વિનાની, કર્ણ વિનાની, દુર્યોધન વિનાની અને ભીષ્મ વિનાની કરશે. દુર્યોધનનાં નિમિત્તથી આ કુરુસેના ભીમ અને અર્જુનથી નાશ પામશે. એ પ્રમાણે મને બુદ્ધિ સ્ફરે છે. તે બાંધવ! હે ધૃતરાષ્ટ્ર ! આ કુળમાં અંગારા સમાન ! દુષ્ટ દુર્યોધનની કેમ ઉપેક્ષા કરે છે? પરંતુ ક્રૂરકર્મી આ એક સુયોધન (દુર્યોધન)ને માર. જો એ પ્રમાણે નહિ કરે તો આ પાપથી આ દુર્યોધનને પાછો વાળ. આ પાંડવો દ્રૌપદી સાથે તમારી આજ્ઞાથી વનમાં જાય. ફરી અવધિના અંતે આવેલા પોતાની ભૂમિ ભોગવો. જો કુરૂઓનું કુશલ ઇચ્છતા હો, તો મારું કહેલું બધું જ તમે અંગીકાર કરો. એમ વિદુરે કહેલું સાંભળીને ધૃતરાષ્ટ્ર દુર્યોધનને અત્યંત આક્રોશપૂર્વક આ પ્રમાણે કહ્યું: “હે પાપી ! હે કર્મચંડાલ ! હે નિર્લજ્જ ! તું પણ દુષ્કર્મથી કેમ અટકતો નથી? તું ભાઈઓને સ્ત્રી સાથે વનવાસમાં જવા દે.” જો મારું કહ્યું કરીશ નહિ, તો મારી આ કૃપાણ (તલવાર) તારું મસ્તક સહન નહિ કરી શકે. એ પ્રમાણેની પિતાની વાણી સાંભળીને મનથી મલિન દુર્યોધન સર્વ ભીષ્માદિ કુલવૃદ્ધોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy