________________
૨. સંઘ સંચાલન માર્ગદર્શન
પરિશિષ્ટ-૧
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં સર્વમાન્ય ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથના આધારે કેટલીક સમજવા જેવી બાબતો ધાર્મિક દ્રવ્યોનો વહીવટ કરવા માટે ૧ - માર્ગાનુસારી ગૃહસ્થ, ૨ - સમ્યગ્દષ્ટિ શ્રાવક અને ૩ - દેશવિરતિધર શ્રાવક અધિકારી છે. સર્વવિરતિધર સાધુ ભગવંત પણ વિશિષ્ટ સંયોગ-કારણ ઉપસ્થિત થાય ત્યારે ધર્મદ્રવ્યરક્ષા વગેરે માટે અધિકારી છે.
કર્માદાન (હિંસક ધંધા-ફૅક્ટરીઓ-શેરોમાં રોકાણ) વગેરે અયોગ્ય કાર્યોનો ત્યાગ કરીને, ઉત્તમ વ્યાપાર વગેરેથી જ દેવદ્રવ્ય વગેરે ધર્મદ્રવ્યોની વૃદ્ધિ ક૨વી. શ્રાવકોને વ્યાજથી પણ દેવદ્રવ્ય ન ધીરવું. બીજાઓને આપતી વખતે પણ વધુ મૂલ્યના અલંકારો રાખીને જ આપવું.
+ પોતાના ઘરનો દીવો પ્રભુદર્શન ક૨વા દેરાસરે લાવ્યા હો તો તે દીવો ‘દેવદ્રવ્ય’ નથી બનતો. નૈવેધ ચડાવવા દેરાસરે થાળી-વાસણ લાવ્યા હો તે પણ ‘દેવદ્રવ્ય’ બનતા નથી. આંગી માટે પોતાના અલંકારો શુદ્ધ કરીને પ્રભુને ચડાવવા માત્રથી તે ‘દેવદ્રવ્ય’ બનતા નથી. એ શ્રાવક ફરી પોતાના ઉપયોગમાં લઈ શકે છે. દેવની ભક્તિમાં જે સમર્પિત ક૨વામાં આવે છે, તે જ દેવદ્રવ્ય બને છે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૩૫