________________
- આ સામાન્ય દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્રોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રોમાં આનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ રીતે સાત ક્ષેત્રોનું પવિત્ર દ્રવ્ય પણ અનુકંપા ક્ષેત્રમાં વાપરી શકાય નહિ.
- અત્યંત આવશ્યકતા હોય તો અનુકંપાનું દ્રવ્ય જીવદયામાં વાપરવાની રજા મળે છે.
- હિંસાને પ્રોત્સાહન આપતી હોસ્પિટલો વગેરેમાં આ દ્રવ્ય વાપરી શકાય નહિ.
- આ દ્રવ્ય રાખી ન મૂકાય, તરત વાપરી દેવું જોઈએ નહિતર અંતરાયનું પાપ લાગે છે.
૧૯. જીવદયા જીવદયાની ટીપ (ફંડ), જીવદયાના ભંડારની આવક, જીવદયાનો લાગો વગેરેની આવક આ ખાતામાં જમા કરવી જોઈએ. ઉપયોગ :
- આ ખાતાની રકમ મનુષ્ય સિવાય બાકીના દરેક તિર્યંચ પશુ-પંખીજાનવરની ભાવદયાના લક્ષપૂર્વક દ્રવ્યદયાના કાર્યમાં વાપરવાની હોય છે.
અન્ન, પાણી, ઔષધિ વગેરે દ્વારા એમના દુઃખને દૂર કરવા માટે શાસ્ત્રીય મર્યાદાને અનુસરીને વાપરી શકાય છે. જીવદયા સંબંધી દરેક કાર્યમાં વાપરી શકાય.
- આ સામાન્ય કક્ષાનું દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્ર વગેરે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રમાં કે અનુકંપા ક્ષેત્રમાં પણ આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ. - જીવદયાની રકમ જીવદયામાં જ વાપરવી જોઈએ. - કૂતરાને રોટલી, પક્ષીને અનાજ વગેરે વિશેષ હેતુથી આવેલી રકમ તે-તે ઉદ્દેશમાં જ વાપરવી જોઈએ.
- આ દ્રવ્ય રાખી ન મૂકવું. તુરંત વાપરી નાખવું જોઈએ. નહીંતર અંતરાયનો દોષ લાગે.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૧