SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ - આ સામાન્ય દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્રોમાં કે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રોમાં આનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ રીતે સાત ક્ષેત્રોનું પવિત્ર દ્રવ્ય પણ અનુકંપા ક્ષેત્રમાં વાપરી શકાય નહિ. - અત્યંત આવશ્યકતા હોય તો અનુકંપાનું દ્રવ્ય જીવદયામાં વાપરવાની રજા મળે છે. - હિંસાને પ્રોત્સાહન આપતી હોસ્પિટલો વગેરેમાં આ દ્રવ્ય વાપરી શકાય નહિ. - આ દ્રવ્ય રાખી ન મૂકાય, તરત વાપરી દેવું જોઈએ નહિતર અંતરાયનું પાપ લાગે છે. ૧૯. જીવદયા જીવદયાની ટીપ (ફંડ), જીવદયાના ભંડારની આવક, જીવદયાનો લાગો વગેરેની આવક આ ખાતામાં જમા કરવી જોઈએ. ઉપયોગ : - આ ખાતાની રકમ મનુષ્ય સિવાય બાકીના દરેક તિર્યંચ પશુ-પંખીજાનવરની ભાવદયાના લક્ષપૂર્વક દ્રવ્યદયાના કાર્યમાં વાપરવાની હોય છે. અન્ન, પાણી, ઔષધિ વગેરે દ્વારા એમના દુઃખને દૂર કરવા માટે શાસ્ત્રીય મર્યાદાને અનુસરીને વાપરી શકાય છે. જીવદયા સંબંધી દરેક કાર્યમાં વાપરી શકાય. - આ સામાન્ય કક્ષાનું દ્રવ્ય છે. આથી ઉપરના સાત ક્ષેત્ર વગેરે કોઈ પણ ધાર્મિક ક્ષેત્રમાં કે અનુકંપા ક્ષેત્રમાં પણ આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય નહિ. - જીવદયાની રકમ જીવદયામાં જ વાપરવી જોઈએ. - કૂતરાને રોટલી, પક્ષીને અનાજ વગેરે વિશેષ હેતુથી આવેલી રકમ તે-તે ઉદ્દેશમાં જ વાપરવી જોઈએ. - આ દ્રવ્ય રાખી ન મૂકવું. તુરંત વાપરી નાખવું જોઈએ. નહીંતર અંતરાયનો દોષ લાગે. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૨૧
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy