SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાતક્ષેત્ર પરિચય ૩-જિન આગમ ક્ષેત્રઃ અપેક્ષાએ વિચારીએ તો જિનઆગમ સાત ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન પર છે. જિનબિંબ અને જિનમંદિર ક્ષેત્રનો પરિચય કરાવનાર અને તે બે ક્ષેત્રની ભક્તિના પ્રકાર અને પ્રભાવ બતાવનાર જિનાગમ છે. તે જ રીતે સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનો પરિચય કરાવનાર અને તે ચાર ક્ષેત્રની ભક્તિના પ્રકાર અને પ્રભાવ બતાવનાર પણ જિનાગમ જ છે. આ રીતે જોતાં સાત-સાત ક્ષેત્રની વ્યાખ્યાથી લઈ એની ભક્તિ સુધીની તમામ બાબતોનું જ્ઞાન જિનાગમ જ આપે છે. જિનામના આધારે જ મૂર્તિ-મંદિરનું નિર્માણ થાય છે. જિનાગમમાં બતાવેલી વિધિ મુજબ જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સંઘ આરાધના કરે-કરાવે છે. જિનાગમરૂપી શ્રુતના સહારા વગર જૈનશાસનનું એક પણ અંગ વાસ્તવિક રીતે જીવંત બનતું નથી માટે જ , શ્રતની શ્રુતજ્ઞાનીની અને શ્રુતનાં સાધનોની ઉપેક્ષા અને એમનો અનાદર એ સમગ્ર જૈનશાસનની ઉપેક્ષા અને અનાદર છે. | જિનાગમ એ શાસનનું અમૂલ્ય ધન છે. આજે મોટા ભાગના જૈન સંઘોમાં અજ્ઞાન આદિના કારણે આત્મતારક એવા જિનાગમ ક્ષેત્રની ઘણી ઉપેક્ષા થતી જોવા મળે છે. જિનાગમ ક્ષેત્રની અત્યંત આત્મ ઉપકારકતા અને એની મહત્તાને સમજીને આપણે આજથી જ જિનાગમ ક્ષેત્રની ભક્તિ અને સુરક્ષા કરવાનો પ્રયત્ન કરવાનો છે. 16
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy