________________
પરિશિષ્ટ-૧૧ સમસ્યા વર્તમાનની, સમાધાન શાસ્ત્રનું પ્રશ્ન-૧ ઘણા સંઘોમાં ભેગા થયેલા દેવદ્રવ્યનાં લાખો રૂપિયા બેંકોમાં પડ્યાં છે. આજના કાળમાં દેવદ્રવ્યની કોઈ જરૂરિયાત લાગતી નથી. તો સાધર્મિક ભક્તિ, સ્કૂલ-કોલેજ, લગ્નની વાડી, હોસ્પિટલ વગેરે કાર્યોમાં એ રૂપિયા વપરાય કે નહિ ? સમાધાન આપવા કૃપા કરશો.
ઉત્તર-૧ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ માટે અને શ્રીજિનની ભક્તિ નિમિત્તે જિનભક્તો દ્વારા સમર્પણ કરાયેલું દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય છે. આ દ્રવ્યની માલિકી શ્રાવકોની કે સંઘની નથી, પરંતુ શ્રી જિનેશ્વર ભગવાનની પોતાની છે. સંઘ માત્ર એનો સંચાલક-ટ્રસ્ટી છે. જિને બતાવેલા શાસ્ત્રો અનુસાર માત્ર એ દ્રવ્યનો વહીવટ કરવાનો જ એમનો અધિકાર છે. તદુપરાંત એ દ્રવ્યનો વહીવટ ટ્રસ્ટી કે સંઘ પોતાની મરજી મુજબ કરી શકતો નથી. શાસ્ત્ર સમર્પિત ગીતાર્થ ગુરુની આજ્ઞા મુજબ કાર્ય કરવું એ તેમને માટે પણ બંધનરૂપ છે.
જૈન ધર્મગ્રંથોને આધારે દેવદ્રવ્યની રાશિ જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણ વગેરે કાર્યોમાં જ વાપરી શકાય છે. આથી દેવદ્રવ્યનો અન્ય કોઈ કાર્યમાં ઉપયોગ કરી શકાય નહિ. પૂરા ભારતમાં આજે પણ સેંકડો જિનમંદિરોનો જીર્ણોદ્ધાર જરૂરી છે. કેટલાય સ્થાનોમાં શ્રાવકોને માટે જિનમંદિર પણ નથી. ત્યાં નવા મંદિરો બનાવવાની જરૂરી છે. આ કાર્યમાં
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૪૫