________________
બગડી છે, એમ લાગે. નહિ તો ભક્તિ પોતાને કરવી છે અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી રીતે ?
આપત્તિકાળમાં દેવદ્રવ્યમાંથી ભગવાનની પૂજા કરાવાય, એ વાત જુદી છે અને શ્રાવકોને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય, એ વાત જુદી છે. જૈનો શું એવા ગરીબડા થઈ ગયા છે કે, પોતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી ? અને એ માટે દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે ?
જૈનોના હૈયામાં તો એ જ વાત હોવી જોઈએ કે “મારે મારા દ્રવ્યથી જ ભગવાનની દ્રવ્યપૂજા કરવી છે !” દેવદ્રવ્યની વાત તો દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે, તો જૈનો કહેતા કે “એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, તેમાં અમને શો લાભ? અમારે તો અમારી સામગ્રીથી ભક્તિ કરવી છે !'
શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે ? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત જો છતી શક્તિએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તો તે પૂજા વાંઝણી ગણાય. શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવા માટે ભગવાનની દ્રવ્યપૂજા કરે. પરિગ્રહનું ઝેર ઘણું ને ? એ ઝેરને ઉતારવા માટે દ્રવ્યપૂજા છે. મંદિરમાં જાય ને કોઈ કેસરની વાટકી આપે, તો એનાથી પૂજા કરે, તો એમાં એના પરિગ્રહનું ઝેર ઊતરે ખરું ? પોતાનું દ્રવ્ય વપરાયું હોય, તો એમ પણ થાય કે “મારું ધન શરીરાદિને માટે તો ઘણું વપરાય છે, એમાં ધન જાય છે ને પાપ વધે છે, જ્યારે ત્રણ લોકના નાથની ભક્તિમાં મારું જે કાંઈ ધન વપરાય, તે સાર્થક છે.” પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી પૂજા કરવામાં નથી. ભાવને પેદા થવાનું કારણ જ ન હોય, તો ભાવ પેદા થાય શી રીતે ? : ધનહીન શ્રાવક સામાયિક લઈને જિનમંદિરે જાય ?
સભા : સગવડના અભાવે જેઓ જિનપૂજા કર્યા વિના રહી જતા હોય, તેમને સગવડ આપવામાં આવે, તો લાભ થાય ને ?
જિનપૂજા કરવાની સગવડ કરી આપવાનું મન થાય એ સારું છે, તમને એમ થાય કે “અમે તો અમારા દ્રવ્યથી રોજ જિનપૂજા કરીએ છીએ, પણ ઘણા શ્રાવકો
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૯