________________
છે પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં ભાવવૃદ્ધિનો જે પ્રસંગ છે, તે પારકા દ્રવ્યથી
પૂજા કરવામાં નથી. ભાવને પેદા કરવાનું કારણ ન હોય તો ભાવ પેદા થાય શી રીતે ? શ્રાવક પાસે દેવદ્રવ્યના કેસર આદિથી પૂજા કરવાની વાતો આજે શાસ્ત્રપાઠોના નામે પણ કરવામાં આવે છે અને તેમાં દા'ડે દા'ડે સંમતિ આપનારાઓ વધતા જાય છે. “શેઠનાં ફૂલ અને ભગવાનને ચડાવીએ, તેમાં અમને શું ફળ મળે ?” એટલું, એ અજ્ઞાન અને અસંસ્કારી નોકરોને પણ સમજાયું અને શ્રાવકના કુળમાં ઉત્પન્ન થયેલા, ધર્મગુરુઓના પરિચયમાં આવેલા, વ્યવહાર કુશળ બનેલા તમને આવો વિચાર ન આવે, તો સમજવું શું? છે છતે પૈસે પૈસા વગર થતા ધર્મને જે શોધે, એનામાં પૈસાની મૂચ્છનો અતિરેક
ગણાય. છે જેની પાસે જે હોય, તે તેનો શક્તિ અને ભાવના મુજબ ધર્મ કરવામાં
ઉપયોગ કરે. પારકા દ્રવ્યથી જ અને હવે તો એનાથી પણ આગળ વધીને દેવદ્રવ્યના ખર્ચે પણ જિનપૂજા કરવા-કરાવવાની વાતો કરનારાઓ જો પોતાના હૈયાને ખોલીને આવી વાતો વિચારે, તો એમને ખ્યાલ આવે કે, એમના વિચારો કેટલા ઉન્માર્ગ તરફ ઘસડાઈ રહ્યા છે. આજે, “મારે મારા દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ – એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થળે જૈનોનાં સંખ્યાબંધ ઘરો હોય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરો હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચ માટે બૂમો પડવા લાગી છે. આના ઉપાય તરીકે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું કહેવાને બદલે, સામગ્રીસંપન્ન જૈનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ. દેવદ્રવ્યના રક્ષણ માટે પણ આ દેવદ્રવ્યમાંથી શ્રાવકોને પૂજા કરવાની સગવડ કરી દેવાનો ઉપાય વાજબી નથી. દેવદ્રવ્યનો દુરુપયોગ થતો અટકાવવો હોય અને સદુપયોગ કરી લેવો હોય તો આજે જીર્ણ મંદિરો ઓછાં નથી.
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૭