________________
સુપનના પૈસા દેવદ્રવ્યમાં જાય તેવી જાહેરાત ગયે વર્ષે શ્રી મહાવીર શાસનમાં અમારા પૂ.આ. મહારાજશ્રીના નામથી આવી ગઈ છે. બાકી જેમ અમારા પૂ.મહારાજ શ્રી કરે તે પ્રમાણે અમે પણ માનીએ, શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં દ્રવ્ય સપ્તતિકા વગેરેમાં ચોકીનું જણાવ્યું છે. મુનિ સંમેલનમાં એક કલમ દેવદ્રવ્ય માટે નક્કી થયેલ છે. સહીઓ થયેલ છે. કિં બહુના.
સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય' છે એ મુજબ પૂ.પાદ શ્રી આત્મારામજી મહારાજનો સ્પષ્ટ શાસ્ત્રમાન્ય સુવિહિત પરંપરા પ્રમાણેનો અભિપ્રાય.
प्रश्न : सुपने उतारणे, घी चडाना, फिर लिलाम करना और दो तीन रुपैये मण बेचना, सो क्या भगवान का घी कोडा है सो लिखो ।
उत्तर : स्वप्न उतारणे घी बोलना, इत्यादिक धर्म की प्रभावना और जिनद्रव्य की वृद्धि का हेतु है, धर्म की प्रभावना करने से प्राणी तीर्थंकर गोत्र बांधता है यह कथन श्री ज्ञातासूत्र में है और जिनद्रव्य की वृद्धि करने वाला भी तीर्थंकर गोत्र बांधता है, यह संबोधसत्तरी शास्त्र में है और घी के बोलने वास्ते जो घी लिखा है तिस का उत्तर जैसे तुमारे आचारांगादि शास्त्र भगवान की वाणी दो वा च्यार रुपैये को बिकती है जैसे घी का भी मील पडता है ।
- “સમકિત સારોદ્ધાર'માંથી પૂ.પાદ આત્મારામજી મહારાજનો શ્રમણ સમુદાય પણ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના મતનો જ હતો ને છે. એક મહત્ત્વનો પત્રવ્યવહાર. મુંબઈથી લિ. મુનિ ચતુરવિજયજી તરફથી.
ભાવનગર મધ્યે ચારિત્રપાત્ર મુનિ શ્રી ભક્તિવિજયજી તથા યશોવિજયજી યોગ્ય અનુવંદના સુખશાતા વાંચશો. તમારો પત્ર મળ્યો. ઉત્તરમાં ક્રમથી નીચે પ્રમાણે.
પાટણના સંઘ તરફથી, કોઈ તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી. પરંતુ પોલીઆ ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસનારાઓએ સ્વપ્નના ચડાવામાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે. એમ સાંભળવામાં છે, જ્યારે પાટણના સંઘ તરફથી આવો (સ્વપ્નાની ઉપજ ઉપાશ્રયમાં લઈ જવા માટેનો) ઠરાવ થયો નથી, તો ગુરુજીની ૧૨૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?