________________
હિમાયત કરી રહેલ છે, તે વર્ગ કેટ-કેટલો શાસ્ત્રીય સુવિહિત માન્ય પરંપરાથી દૂર-સુદૂર જઈને શ્રી વીતરાગદેવની આજ્ઞાના આરાધક કલ્યાણકામી અનેક આત્માઓનું અહિત કરવાની પાપપ્રવૃત્તિ આચરી રહેલ છે. તે દરેક સુજ્ઞ આરાધક આત્મા સ્વયં વિચારી શકે છે.
- સંપાદક
(૧)
. • તા. ૨૩-૧૦-૩૮ અમદાવાદથી લિ. પૂજ્યપાદ આરાધ્યપાદ આચાર્યદેવ શ્રી શ્રી શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજજી તરફથી તત્ર શાંતાક્રુઝ મધ્ય દેવગુરુ પુણ્ય પ્રભાવક સુશ્રાવક જમનાદાસ મોરારજી વિ. શ્રીસંઘ સમસ્ત યોગ્ય.
જણાવવાનું કે તમારો પત્ર મલ્યો. વાંચી બીના જાણી. પૂજ્ય મહારાજજી સાહેબને બે દિવસથી બ્લડપ્રેશરનું દરદ થયેલું છે. જેથી આવા પ્રશ્નોના જવાબની માથાકુટમાંથી છૂટા થયા છે માટે હવેથી આવા પ્રશ્નો અત્રે મોકલવા નહિ. કારણ કે દાકતરે મગજમારી કરવાની તથા બોલવાની મનાઈ કરેલી છે.
છતાં અમારો અભિપ્રાય પૂછો તો ટૂંકમાં જણાવીએ છીએ કે, “સુપનની ઉપજના પૈસા દેવદ્રવ્યમાં જ અમો તો વપરાવીએ છીએ અને અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ છે. વળી ઘણા જ ગામમાં તથા શહેરોમાં દેવદ્રવ્યમાં જ વાપરવાની પ્રણાલિકા છે.”
સાધારણ ખાતામાં ખાડો હોય તો તેના માટે બીજી ટીપ કરવી સારી છે-પણ સુપનના ઘીના રૂા. રાના ભાવના બદલે રૂા. ૫)નો ભાવ લઈને અડધા પૈસા દેવદ્રવ્યમાં લઈ જવા વ્યાજબી નથી અને જો સંઘ તેમ કરે તો દોષના ભાગીદાર છે. એવી રીતે કરે તેના કરતાં સાધારણ ખાતાની જુદી ટીપ કરવી શું ખોટી ? માટે સુપનાના નિમિત્તના પૈસા સાધારણમાં લઈ જવા તે અમોને તો ઠીક લાગતું નથી. અમારો અભિપ્રાય દેવદ્રવ્યમાં જ વાપરવાનો છે.
પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી, A દ : મુનિ કુમુદવિજયજી
૧૦૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?