________________
પણ નથી. સ્વપ્નાની બોલીમાં આમ સાધારણ ખાતાની ઉપજ ભેળવી દેવાય નહિ. અમારો આને અંગે સ્પષ્ટ વિરોધ છે, ને વધુમાં તેઓએ જણાવ્યું કે, “સંઘે આવી બાબતમાં નિર્ણય લેતાં પહેલાં વર્તમાન કાલમાં જૈન સંઘમાં બિરાજમાન પૂ. સુવિહિત શાસન માન્ય આચાર્ય ભગવંતોને પૂછી જોવું જોઈએ ને ત્યાર બાદ તેઓશ્રીની સમ્મતિથી જ, આ વિષયમાં નિર્ણય લઈ શકાય.'
આથી તે વખતે શ્રી શાંતાક્રુઝ સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજીજે. પી. એ આ હકીક્તને માન્ય કરીને સમસ્ત ભારતમાંથી જૈન શ્વે.મૂ.પૂ. સંઘમાં તેમાંયે તપાગચ્છ શ્રીસંઘમાં વિદ્યમાન પૂ.આચાર્ય ભગવંતોને આ વિષયમાં પત્ર લખેલ ને તેના જે જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલ તે બધું સાહિત્ય વિ.સં. ૧૯૯૫ના મારા (પૂ.આ.શ્રી.કનકચંદ્રસૂરિ મ.સા.) લાલબાગ-જૈન ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન સુશ્રાવક નેમિદાસ અભેચંદ-માંગરોલ નિવાસી તરફથી પ્રાપ્ત થયેલ તે મેં (પૂ.આ.શ્રી કનકચંદ્રસૂરિ મ.સા.) પ્રથમ “કલ્યાણ' માસિકમાં પ્રસિદ્ધ કરવા આપેલ અને આજે ફરીથી તે પત્ર વ્યવહાર ગ્રંથસ્થ થાય તેમ અનેક સુશ્રાવકોની ભાવનાને સ્વીકારીને અત્રે તે પ્રસિદ્ધ કરેલ છે.
- સંપાદક
શાંતાક્રુઝ શ્રીસંઘ તરફથી લખાયેલો પ્રથમ પત્રા સવિનય લખવાનું કે, અત્રેનો શ્રીસંઘ સં. ૧૯૯૪ની સાલ સુધી સુપનની ઘીની બોલીના રૂા. રા (મણ ૧ના) લેતા હતા અને તેને અંગે થયેલી આવક, દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યો કે સુપનની ઘીની બોલીના મણ ૧ના રૂા. રાા છે તેના બદલે હવેથી મણ ૧ના રૂા. ૫) કરવા. જેમાંથી હંમેશની માફક રૂપીયા રા દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂ. રા) સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવા. ઉપર મુજબનો કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પરંપરાએ બરાબર ગણાય કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી કે જેથી તે ફેરફાર કરવાની અગત્ય હોય તો સવેળા કરી શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેરોમાં કેવી ૧૦૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?