________________
પરિશિષ્ટ- દેવદ્રવ્ય વગેરે સાત ક્ષેત્રનાં વહીવટના અધિકારી કોણ ? अहिगारी य गिहत्थो सुह-समणो वित्तम जुओ कुलजो। . अखुद्धो धिई बलिओ, मइमं तह धम्मरागी य ।।५।। गुरु-पूआ-करण रई सुस्सूआइ गुण संगओ चेव । णायाऽहिगय-विहाणस्स धणियमाणा-पहाणो य ।।६।। पञ्चाशक ७ ।
શ્રી દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિવર પંચાશક પ્રકરણ ગ્રંથના આધારે કહે છે કે - ધર્મને અનુકૂળ કુટુંબવાળો, ન્યાય - નીતિથી પ્રાપ્ત ધન વાળો, લોકોમાં સંમાનનીય, ઉત્તરકુળમાં ઉત્પન્ન થયેલો, ઉદારતાને-મહાનતાને વરેલો, જવાબદારી વહન કરવામાં ધીર, બુદ્ધિશાળી, ધર્મનો અત્યંત રાગી, ગુરુ ભગવંતની ભક્તિને કરનારો, શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણવાળો, ધર્મદ્રવ્યની વૃદ્ધિના ઉપાય જાણનારો અને શાસ્ત્રાજ્ઞાને આધીન રહેનારો ગૃહસ્થ સાતક્ષેત્રની વ્યવસ્થા કરવા માટે અધિકારી છે. વહીવટકારોની વિશિષ્ટ યોગ્યતા. मग्गाऽनुसारी पायं सम्मदिट्ठी तहेव अणुविरइ । एएऽहिगारिणो इह, विसेसओ धम्म - सत्थम्मि ।।७।। માર્ગાનુસારી, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરતિને પામેલા આત્માઓ
૯૦ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?