SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અને તે પ્રસંગ પછી મૃગાવતીનું કેવળજ્ઞાન પામવું વગેરે ઘટના એક વિલક્ષણ ઘટના તરીકે આગમોમાં ઉલ્લેખિત છે જ. 25 ભવનપતિ દેવલોકના ચમરેન્દ્રનું વૈમાનિક દેવલોક તરફ ઉપપાત અને પછી સીધમેન્દ્રના વજપાતથી બચવા સાધક શ્રી પ્રભુ વિરના ચરણનું શરણ ગ્રહણ અચ્છેરું છતાંય સત્ય ઘટના છે જ ને? 25 જંબૂકુમારનો જીવ જે અતિ રૂપવાન દેવ હતો તે જયારે વિરપ્રભુને વાંદવા આવ્યો હતો ત્યારે તેના પૂર્વ-પશ્ચિાત્ ભવોનું વિસ્મયકારણ વર્ણન વિરમુખે સૌએ સમવસરણમાં સાંભળ્યું જ હતું ને? 25 એક જ રાતના ફકત એક જ પ્રહરમાં પૂર્વસંકેત પ્રમાણે દેવમિત્રોએ ઈન્દ્રજાળ રચી કામગજેન્દ્રને મહાવિદેહના સીમંધરસ્વામી સમક્ષ મૂકી પાછા દેવી માયાથી જંગલના તંબૂમાં ગોઠવી દીધો, જે પ્રસંગની ખાતરી અને સચ્ચાઈ જાણવા સ્વયં કામગજે પ્રભુ વિરને પૃચ્છા કરી. પ્રભુએ દેવમાયાને સત્ય ઠેરવી. 25 ગોભદ્ર શેઠ મૃત્યુ પામી દેવગતિ પામ્યા ને પુત્રમોહવશ રાગથી રોજ રાજગૃહીના શાલિભદ્રજીને ત્યાં ૯૯ પેટીઓ આભૂષણો વગેરેની ઉતારતા હતા, તે વાત સુપ્રસિદ્ધ છે. 25 પ્રભુકાળના ૧૦ ધનવાન ને વિશિષ્ટ શ્રાવકોની પોતાની પૌષધશાળાઓ હતી, સાધના કરતાં તેમાંના અનેકને ચાલુ પૌષધમાં રાત્રિકાળે દુષ્ટ દેવોના ઉપદ્રવો સહેવા પડેલ હતા. ) ચાર બુદ્ધિના નિધાન અભયકુમારને અનેક દેવોનું સાંનિધ્ય હતું, જેમની મદદથી એકદંડિયો મહેલ બનાવ્યો, ઘણાં જ સફળ પરાક્રમો દેખાડયાં અને એક વિદ્યાધર જે ઊડી ઊડી પાછો પડી જતો હતો, તેને ઘટતાં વ્યંજનો પદાનુસારી બુદ્ધિથી બોલી આપી ઊડતો કરી દીધો હતો. 25 રાજા શ્રેણિકને દેવે દિવ્ય કુંડલો અને દેવતાઈ વસ્ત્રો આપેલ છે પોતાની પ્રિયા નંદારાણીને ભેટ આપ્યાં, દેવતાઈ અને ચમત્કારિક વસ્તુઓ પોતાને ન મળ્યાની ઈષ્યમાં ચરમાવતારી છતાં બીજી રાણી થેલ્લાણા છોભાણી અને આત્મહત્યા કરવા અગાસીએ ગઈ હતી, તે વખતે તેની પાસે દેવતાઈ હારનો પીછો હતો જ. મન્ત્ર સંસાર સાર... પ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy