SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકના આત્માની ઉન્નતિ થાય છે તેમ જ તેનાં મનોવાંછિત કાર્યો સિદ્ધ થાય છે. આવું જ યંત્રોમાં પણ બને છે. સામાન્ય યંત્ર કરતાં વિધિપૂર્વક ઉત્તમ દિવસે, સદ્ભાવનાપૂર્વક બનાવેલ યંત્ર હોય અને યંત્ર-મંત્ર-તંત્ર વિદ્યાના નિષ્ણાત મહાપુરુષે મંત્રો દ્વારા એ સિદ્ધ કર્યું હોય તો તુરતમાં જ મહાન ફળ આપનાર બને છે. કારણકે તેની સાથે તે મહાપુરુષની લોકોનું ભલું કરવાની ભાવના જોડાયેલી હોય છે. આધુનિક સંશોધનકારો યંત્રને મૂલાકાશ (Archetypal Space) તથા મંત્રને પવિત્ર ધ્વનિ માને છે. એ સાથે તેઓ એમ પણ માને છે કે યંત્ર અને મંત્ર, બંને એકબીજાથી તદ્ન અભિન્ન છે અને યંત્ર એ મંત્રનું શરીર છે. તો મંત્ર એ યંત્રનો આત્મા છે. એટલું જ નહિ, ભારતીય પરંપરા પ્રમાણે યંત્ર એ દેવદેવીઓને સૂક્ષ્મ સ્વરૂપે રહેવાનું સ્થાન છે. ખાસ કરીને અંબિકા, દુર્ગા, કાળી, મહાકાળી વગેરે દેવીઓની મુખ્ય શક્તિપીઠોમાં દેવીઓની મૂર્તિ કરતાં ય દેવીઓનાં યંત્રોનું વિશેષ મહત્વ હોય છે. આ વિભિન્ન યંત્રો-સ્વરૂપચિહ્નો મનઃશક્તિ (Psychic Energy) નો અખૂટ ખજાનો છે. આ યંત્રો આપણામાં ખૂટતું એવુ તત્ત્વ શોધી કાઢી, તેની પૂર્તિ કરે છે, જેનાથી આપણું જીવન આનંદિત, સ્ફૂર્તિવાળું તેમ જ સાર્થક બની જાય છે. યંત્રો અત્યારે સામાન્ય રીતે બે પ્રકારનાં જોવા મળે છે. યંત્રોમાં આકૃતિઓનું સંયોજન તો હોય જ છે, પરંતુ તેમાં મંત્રાક્ષરો પણ લખવામાં આવે છે. જો કે ઉપર બતાવ્યું તેમ યંત્ર-આકૃતિઓ જ મંત્રાક્ષરોનુ દૃશ્ય સ્વરૂપ છે, છતાં તે યંત્રાકૃતિ કયા મંત્રાક્ષરોનું દશ્ય સ્વરૂપ છે તેની સામાન્ય મનુષ્યને જાણ થાય તે માટે, તેના જ્ઞાતા ઋષિમુનિઓએ યંત્રોમાં મંત્રાક્ષરો પણ લખ્યા હોય છે. અને એટલે જ યંત્ર અને મંત્ર બંને સંયુક્તપણે જોવા મળે છે. તો કેટલાંક યંત્રોમાં માત્ર ખાનાંઓ દોરીને અથવા વિભિન્ન આકૃતિઓ દોરી તેમાં આંકડાઓ લખવામાં આવ્યા હોય છે. આવાં સંખ્યા, આંકડાઓ સાથે સંબંધિત યંત્રોના જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો, વીશા યંત્રો, ચોત્રીશા યંત્રો, પાંસઠિયા યંત્રો, એકસો સિત્તેરિયા યંત્રો. આ યંત્રોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો. મન્ત્ર સંસાર સાર... ૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy