SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર : ૐ હૌં હ્રીં હ્રીં હૂં યઃ ક્ષઃ હી વષર્ ફટ્ સ્વાહા ! વિધિ : ઓગણીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી પરવિદ્યાની અસર થતી નથી. તથા આજીવિકા સુખપૂર્વક મળી શકે છે. ભાગ્યહીન પુરૂષ પણ આ યંત્રરાજની પૂજા કરે તો અન્નપાન સુખેથી મેળવી શકે છે. હેતુ : પરવિદ્યાની અસર ન થાય, આજીવિકા પ્રાપ્ત થાય. જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હરિ-હરાદિષ નાયકેષુ ! તેજ: સ્ફરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નૈવં તુ કાચ-શકલે કિરણા-ફુલડપિ રિ || અર્થ : દેદીપ્યમાન મણિઓમાંનાં પ્રકાશનું જ મહત્વ છે તે જ પ્રકાશનું મહત્વ કિરણોવાળા કાચના ટુકડામાં નથી. તે પ્રમાણે જે સમ્યકજ્ઞાન તમારામાં શોભે છે તે વિષ્ણુ, શંકર આદિ અગ્રીમ દેવોમાં શોભતું નથી. ઋદ્ધિ : હું અહં ણમો ચારણાણું ! મંત્ર : ૐ શ્રાઁ શ્રી બ્રૂ શ્રઃ શત્રુભયનિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા | વિધિ : વીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર સ્ત્રીના કંઠે બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમજ સંપત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ અને વિજય મળે છે. વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપાના પતરા પર અષ્ટગંધથી યંત્ર લખી, તેની સ્થાપના કરી પૂર્વ દિશાએ મુખ રાખીને રૂપાની નવકારવાળીથી ૧૦૮ વાર જાપ કરવો તથા સુગંધી ૧૦૮ પુષ્પોનો હાર બનાવી તેના વડે યંત્રની પૂજા કરવી. પછી પંચામૃતથી તેનું પ્રક્ષાલન કરીને એ હવણ રૂપાની વાડકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને પીવડાવવું. આ પ્રકારે ત્રણ ઋતુ સમયે પીવડાવવાથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે. હેતુ : પુત્ર પ્રાપ્તિ થાય. મન્ત્ર સંસાર સાર... ૧૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy