SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વત્રયીની પ્રસ્તાવના. ૭૯ mmmmmran (૨) મંત્ર ક૫માંજ યજ્ઞ યાગાદિક થતાં. ત્રણ વેદ રચાયા. (૩) બ્રાહ્મણ ક૯૫માં–ધમ તત્ત્વ વિષને વિચાર તથા ચર્ચા ઘણીજ ઉત્પન્ન થઈ હતી ને ઉપનિષદે રચાયાં હતાં. (૪) સૂત્ર કલ્પમાં–વેદ ઉપનિષદ્રની ટીકા, શિક્ષાદિ છ વેદાંગ લખાયાં.” આ બધા લેખોના વિચારે મારા ગ્રંથમાં કરીને બતાવેલા છે ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરૂ છું. ઇંદ્રાદિક દેવે સજન્મા કે અજન્મા તેને ખરે ખુલાસે વેદેથી તે પુરાણ સુધીમાં મળી શક્તા નથી, કેટલાક પ્રસંગે જોતાં અજન્મા પણ સિદ્ધ થતા નથી. જેમાં તે સજન્માજ બતાવ્યા છે. જુ કલમ ૨૬ થી. વેદમાં લખાયેલા અશ્વ સ્તોત્રને તાત્પર્ય એ છે કે અશ્વનેરાંધવાની, તેની પૂજા કરવાની, તેને કાપવાની, તે માંસ રાંધ્યા પછી આહુતિ આપવાની, અને પછી તે માંસ ખાવાની વિધિ આ સ્તોત્રમાંથી મળી આવે છે. આમાં ગુરૂદત્ત વિદ્યાર્થી-પિન્કેટને ખુલાસો કરતાં જણાવે છે કે-અસલી બ્રાહ્મણે વહેમી-અંધશ્રદ્ધાળુ, વેદને ઈશ્વર પ્રણીત માનતા, બુદ્ધિનો પ્રચાર થતાં દલીલથી રક્ષણ માટે દશન સાહિત્ય ઉત્પન્ન કર્યું. આ તકે એવી જોડે છે કે ઈતિહાસથી અસત્ય છતાં વિશ્વાસ મુકવા જેવું છે. મૅકસમ્યુલર મંત્ર યુગના સબંધે કહે છે કે–વિધિઓની વિગતોથી ઉભરાતા અશ્વમેધનું સૂક્તજ બસ છે. - યજ્ઞરહસ્યવાળાએ અશ્વમેધ માટે બતાવેલાં અનુમાન યજ્ઞ કારક ઘોડેશ્વાર થઈને આવ્યા હશે, સૂર્ય ઘડા મારફતે મુસાફરી કરે છે, છાયાની પાછળ જવા સૂયે અધમૂત્તિ ધારણ કરી હતી, ઘડારૂપે થઈ યાજ્ઞવલ્કયને સૂર્યો નવો યજુર્વેદ આપ્યા હતા, તેથી ઘેડે સૂર્યને પ્રતિનિધિ ગણાતો હોય. એમ અનુમાન કરીને બતાવેલાં છે. યજ્ઞાનુષ્ઠાન એજ વિષય વેદોમાં પ્રધાન છે. અને એમાંજ વેદપંથિની પ્રતિષ્ઠા થએલી જણવેલી છે. વેદના ટીકાકારે પિતાના સમયના વિચારે લખી, એક બીજાથી વિરૂદ્વજ લખતા રહ્યા. ઉદાહરણમાં સ્વામી દયાનંદજીનાજ લેખ જુ. જગવેદાચનના લેખકે એક બીજાથી વિરૂદ્ધમાં લખાયેલાં મોટાં મોટાં તેર (૧૩) આશ્ચર્ય લખીને બતાવ્યાં છે. તેને કિંચિત્ વિચાર અમે પણ કરીને બવાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy