SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ તત્ત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ પહેલા પ્રલય દશાના સૂક્તમાં જણાવ્યું હતુ કે— “ “ ન લેક હો, ન પૃથ્વી હતી, ઘ લેકાદિ કાંઈ પણ ન હતું. સમુદ્ર મહાસમુદ્ર પણ ન હતા.” આમાં વિચારવાનું કે—કડે અને અબજે કેશ સુધીમાં કુદરતી રીતે ફેલી રહેલી આ પ્રત્યક્ષમાં દેખાતી બધી વસ્તુઓ પ્રલય દશામાં એકદમ કયે ઠેકાણે છુપાઈ જતી હશે? અને ફરીથી એકદમ કયે ઠેકાણેથી આવીને પ્રગટ થઈ જતી હશે ? ફરીથી જણાવ્યું છે કે-“બ્રહ્માના મનમાં જે ઈછા તેજ સુષ્ટિનું બીજ, કેઈ કર્તા તે કઈ કતા, એવી રીતે પંચભૂતની સુષ્ટિ રચી, સૃષ્ટિ શા કારણથી થઈ તે પાછલ થએલા શું બતાવી શકે? જાનતે હશે તે તે પરમાત્મા જાનતે હશે?” પરમાત્મા સિવાય કેઈ બીજે જાણી શક્યો હોય તેમ તે જણાતું જ નથી અને તે પરમાત્મા આપણ નજરે પડેલા નથી, તે આ વિષયમાં સત્ય શું? આ બધુ સૂકત વિચારવાની ભલામણ કરું છું. અઘમર્ષણ મંત્રના અંતમાં જણાવ્યું છે કે પૂર્વની સુષ્ટિ જેવાંજ બનાવ્યાં.” આથી સ્પષ્ટ છે કે આ સૃષ્ટિ નીત્ય છે એમ લેખકે નીચે ખુલાસે કરીને બતાવ્યું છે. બીજા પ્રજાપતિના લેખથી વિચારવાનું કે– પહેલા પ્રલયદશાના લેખમાં જણાવ્યું હતું કે–ન લેક હતું, તથા પૃથ્વી, આકાશ, સમુદ્ર, મહા સમુદ્ર, આદિ કાંઈ પણ ન હતું. માત્ર એક પ્રજાપતિ જ હતું. તે તે કયે ઠેકાણે રહેલે હશે? કેમકે પૃથ્વી આદિમાંનું તે કાંઈ રહેલું હતુજ નહી. તેવા પ્રકારની પ્રલય દશા કેટલા કાલ સુધી રહેલી? ફરીથી પૃથ્વી આદિ જે ઉત્પન્ન કર્યોતેના માટે મસાલા તે એકલે પ્રજાપતિ કયે ઠેકાણેથી ઉઠાવીને લાવ્યા? કારણના પ્રમાણ રૂપમાંજ કાર્ય થાય, એ મુખ્ય ન્યાય વિચારવાને છે. આ બધા લેખમાં નતે કારણના સ્વરૂપને તેમજ નતે કાર્યના સ્વરૂપને વિચાર થએલો છે. માત્ર પ્રજાપતિને આગળ ધરીને મોટી મોટી વાતે કરવામાં આવી છે. પુરાણમાં પ્રજાપતિના લેખે જોતાં તેમનું વર્તન નતે નીતિવાળું છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy