SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૪ મું. સર્વજ્ઞોના તાવના વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૨૫ આ સૃષ્ટિ ને આ રૂપમાં આવવાના પૂર્વે તે સર્વ બ્રહ્મના મનમાં સિસૃક્ષા આ જ ને ઉત્પન્ન કરવાની ઈચ્છા હતી, તે જ આ સૃષ્ટિના બીજ ભૂત થઈ. કેમ કે-અતીત કલ્પમાં પ્રાણિયો દ્વારા કર્યા હતાં કર્મ તે સમયે હતાં, એટલેજ માટે સર્વ ફલ દાતા, સાક્ષી, કર્માધ્યક્ષ, પરમેશ્વરના મનમાં સિસૃક્ષા (રચવાની ઈચ્છા) થઈ. કવિ અર્થાકાંત દશ વિદ્વાન જ આ જગતના બંધન હેતુ ગતકલ્પત કર્મસમૂહને પોતાની વિવેક દષ્ટિ થી જાણી લે છે. છે જે કર્મ સમૂહના કારણે કર્માધ્યક્ષના મનમાં સિસૃક્ષા ઉત્પન્ન થઈ, તે સિસૃક્ષા એકદમ એવી વ્યાસ થઈ જેમ કે સૂર્યની રમિયા–એકદમ સર્વત્ર વ્યાપ્ત થઈ જાય છે. ફરી એ પત્તો ન મળે કે સૃષ્ટિક્રમ થી તરફથી પ્રારંભ થયો. નીચેથી, ઉપરથી, મધ્યથી કાંઈ જાણ્યું નહી ગયું અર્થો-સિસૃક્ષાના સમકાલજ સર્વત્ર સર્ગક્રિયા પ્રારંભ થઇ ગઈ. જેમાં કઈ ભોક્તા હતા, કેઈ કર્તા હતા, અને તેઓ માટે મહાન વિચદાદિ પંચ મહાભૂતે ની સુષ્ટિ થઈ. એ પ્રકારે પરમાત્માએ માયા સહિત ભક્ત ભાગ્ય રૂપથી સુષ્ટિ રચી. પ . કોન પુરુષ ઠીક ઠીક બતાવી શકે છે અથવા જાણી શકે છે કે-સૃષ્ટિ ક્યા નિમિત્તે અથવા ઉપાદાન કારણથી બની. વિદ્વાન તે એ વાતને બતાવી શકશે ? વિદ્વાન કેવા પ્રકારે બતાવી શકશે? તે તે સૃષ્ટિ ઉત્પત્તિના અનંતર ઉત્પન્ન થયા, તે પિતાનાથી પૂર્વ કાલમાં વિદ્યમાન દશાને બંધ કેવી રીતે કરાવી શકશે? ૫ ૬ આ સૃષ્ટિ જે નિમત્ત અથવા ઉપાદાન કારણથી બની અથવા એને ધારણ કરવાવાળો કઈ છે યા નથી. એ વાત ને કેઈ જાનતા હશે તે તેજ એક કર્માધ્યક્ષ, સર્વાધ્યક્ષ પરમાત્મા જનતા હશે. . ૭.” આમાં મારા બે બેલ–પુરાણના પંડિતોને બધાએ દેવે સુષ્ટિ ઉપ્તન કરતા નજરે પડયા. તેમને થએલું નવીન પ્રકારનું જ્ઞાન તેને આપણે વિસ્તારથી તપાસી લીધું. સેવેલીના રસનું પાન કરવાવાળા, વેદના પ્રાચીન ઋષિઓને, દીકરીની પાછલ દેડનાર પ્રજાપતિ-બ્રહ્મા તે પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, મહાસમુદ્ર, બધા જી, ઉત્પન્ન કરતા દેખાયા. પરંતુ બીજાને ખબર ન પડે તેવા પ્રકારનું નવીન જ્ઞાન દૂનીયાને બતાવી દીધું. આ બધાએ મહાપુરૂષ સષ્ટિની ઉત્પત્તિનું જ્ઞાન બતાવનારા ધન્યવાદના પાત્ર ખરા કે નહી ? 29 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy