SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૮ મું. સત્ય વસ્તુને અસત્ય માં લખવાવાળા. ૮ દેવો એના દૈવી ગુણો જાણતા હતા, તેથી તેમની અરજી મેળવવાની થઈ. પ્રથમ બ્રહ્માની પત્ની ગાયત્રીએ એક પક્ષીનું રૂપ ધારણ કરી એને લઈ આવવાને પ્રયત્ન કર્યો, પણ એના રક્ષક ગંધર્વોએ તેને એમ કરતાં અટકાવી. પછી (વાણીની દેવી ) સરસ્વતીએ કહ્યું, ગંધને સ્ત્રીઓ પર પ્રેમ છે. મને જવા દો હું એને લઈ આવીશ. “દેવોએ કહ્યું ” “અમને તારા વગર કેમ ચાલે?” તેણે જવાબ દીધે “હું એ દેવને મેળવીશ એટલે જ્યારે તમારે મારું કામ હશે ત્યારે હું પાછી આવીશ.” ગંધર્વો એના મેહક સૌંદર્યની સામા થઈ શકયા નહિ. તેમણે તેને સેમ લઈ જઈ દેવને આપવા દીધો. “જ્યારે સામે પ્રથમ દેવના જોવામાં આવ્યું ત્યારે એને પડેલો ધુંટડ કેણે પી તેને માટે તેઓમાં તકરાર થઈ. આખરે શરત રમી એ વાતને નિર્ણય કરવાનું કર્યું. શરતમાં વાયુ પહેલે આવ્યો ને ઈદ્ર બીજે આવ્યો. ઈદ્ર સર્વથી પહેલા આવવા બહુ મંથન કર્યું અને લગભગ જીતવાના સ્થળ આગળ આવી પહોંચ્યા એટલે એમ દરખાસ્ત કરી કે આપણે સાથે પહોંચીએ અને તમે બે તૃતીયાંશ સમરસ લે જે. વાયુએ કહ્યું, ના હું એક્લે જીવીશ.” ત્યારે ઈદ્રિ કહ્યું “આપણે સાથે જઈએ તમે મને એક ચતુર્થાંશ સમરસ આપજે.” . આ વાત વાયુએ કબુલ કરી. અને એ રીતે બંનેએ સેમરસ વેહેચી લીધે.” (મુકૃત સંસ્કૃત મુલ ગ્રંથના વચન, એ ૫, પૃ ૧૪૪), ''' “ આમાં વિચારવાનું કે-બ્રહ્માના સંબંધના બધા લેખો જેમાં પ્રથમ બ્રહ્માને જ ખરો પત્તો મળતો નથી. તે પછી બીજી વાતને વિચાર કેવી રીતે કરે? બ્રમ્હપત્ની સમ લાવવા નિષ્ફલ નીવડયાં સરસ્વતીજી ગંધર્વ લેકમાંથી લઈને આવ્યાં. આ વાત ગમે તેમની હોય પણ આ વાત બનેલી કથા કાળમાં ? કેમકે–આ સંસારનું ચકત અનાદિ કાળથી ચાલતું આવેલું છે, અને દેવતાઓના વિમાને પણ અનાદિ કાળનાજ છે. તે વિમાનોના માલીક અસંખ્યાતા અને અનંતા આજસુધીમાં થઈ ગયા અને આગળ ભવિષ્યમાં પણ એજ પ્રમાણે થયા કરવાના તેથી તે વેલી કયા કાળમાં લાવવામાં આવી? એવી જિજ્ઞાસા થાય તે સ્વાભાવિકજ છે? : : ", ' બીજી વાત એ પણ વિશ્વા૨વાની કે–તેને પહેલે ઘૂંટડે લેવાને માટે દેવામાં તકરાર ઉત્પન્ન થઈ તે તે કયા કાળમાં ઉત્પન્ન થએલી માનવી ? જે કે તેવા લાંબા કાળનું માપ વર્ષોની ગત્રીથી તે નજ આપી શકાય પણ બ્રહ્મ દેવના દિવસાદિકથી તો જરૂર અંદાજે બતાવી શકાય. અથવા જેનાની અવસવિણ કે ઉત્સર્વિણીના લેખાથી તે જરૂર જણાવી શકાય માટે વિચારવાનું જણાવ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy