SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રયી–મીમાંસા. • ખંડ ૧ પાર્વતીજીએ દક્ષને કહ્યું કે હે તાત? શંભુ વિના આ બધું તમારું અપવિત્ર છે, તેમના વિના આ તમારે યજ્ઞ થાયજ કેમ? પછી પાર્વતીજી બધા ઋષિઓને શ્રી કૃષ્ણને સંબોધીને કહેવા લાગ્યાં કે–તમે બધા મહાદેવને શું ઓળખતા નથી કે હે બ્રહ્મનું ? તમે પાંચ મુખનાં ચાર મુખ કરાવીને બેઠા તે શું ભૂલી ગયા? એવી રીતે સઘળાઓની નિર્ભત્સના કરી. ત્યારે દક્ષે કહ્યું કે તારે પતિ વેદ બાહ્ય છે અને અફૂલીન છે ઈત્યાદિ ઘણીજ નિંદા કરી, તેથી પાર્વતીને નતે પતિ પાસે જવાનું સૂઝયું, ન તો પિતા દક્ષની પાસે રહેવાનું સૂઝયું. છેવટે અગ્નિમાં પ્રવેશ કરીને બળી મર્યા. તેમની સાથે બધા ગણો હતા તે પણ બળી મર્યા, તેથી મહાદેવને પણ ઘણજ કે ઉત્પન્ન થયો. એટલે જે વીરભદ્ર હતું તે શિવની આજ્ઞા લઈને દક્ષના યજ્ઞ તરફ ચઢયે અને ત્યાં અનેક પ્રકારનાં દુનિમિત્તે દેખ્યાં-લેહિની વર્ષ, ઉલ્કાપાતાદિ દેખોને યક્ષને પણ ભય પેદા થયે. અને તુરતજ વિષ્ણુને શરણે ગયા. પણ વિષ્ણુ કાંઈપણ કરવાને સમર્થન થયા. છેવટે વીરભદ્રે દક્ષનુજ માથું કાપીને હોમી દીધું અને પછી શંકર ભગવાને આવીને પાછુ સજીવન કર્યું.” આ દક્ષના યક્ષને સંબન્ધ અમોએ કિંચિત્ સૂચના માત્ર લખીને બતાવ્યો છે. સવિસ્તર સ્કંદપુરાણથી તેમજ ભાગવત ચતુર્થ સ્કંધથી પણ જેવાની ભલામણ કરું છું. ____ (૪) શિવે વીરભદ્ર પાસે દક્ષનું માથું કપાવ્યું. બકરાનું ચટાડાવ્યું. સ્કંદપુરાણ-ખંડ કે થે, અધ્યાય ૮૯ મે પત્ર ૩૩૪ થી, શિવના ગણ વીરભદ્રે દક્ષ પ્રજાપતિના યજ્ઞને નાશ કરીને દક્ષનું માથું કાપી નાખ્યું. પછી શિવની આજ્ઞા થવાથી બકરાનું માથું ચેટાને દક્ષને છોડી મૂક્યો” આ વાતને વિસ્તાર સ્કંદ પુરાણુથી જોઈ લેવો. વિષ્ણુના નામથી સંસાર તરવાની ઈચ્છાવાળે પણ મહાપાપીજ ગણાતે હશે કે? વિચાર કરી જતાં કપના આરંભે બ્રહ્માદિ ત્રણે દેવે એકી સાથે ઉત્પન્ન થએલા બતાવ્યાં છે. તેમાં મહાદેવજીને ત્રિજા નંબરે ગણ્યા છે તે તે શિવજ મોટા શા કારણથી? કહેવામાં આવે કે-દક્ષના યજ્ઞનો નાશ કર્યો તેથી શિવ મોટા, ત્યારે યજ્ઞને નાશ કરનાર પુણ્યાત્મા ગણાય ખરે કે? વળી કાળને નાશ કર્યો તેથી શિવ મેટા, કાળ તે રૂપ રંગ વિનાને આજે પણ સર્વ પદાર્થો ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy