SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૮ મું. ત્રિજા સ્વયંભૂ વાસુદેવ અને મેરક પ્રતિ વાસુદેવ. ૨૫ આવા પાયા વગરના સેંકડો લેખે જોઈ લેકે પુરાણોને જુઠાં કહે તેમાં શી નવાઈ ? પુરાણમાં મુરૂના મરણથી–જૈનેમાં કલ્યાણકોથી એકાદશીની મહિમા. મુરૂ પ્રતિવાસુદેવને સ્વયંભૂ વાસુદેવે માર્યો એમ જૈન ઇતિહાસથી લખીને બતાવી દીધું. પૌરાણિકે એ-મુરૂનું મરણ કન્યાથી બતાવી તે અગીઆરસના દિવસને માટે બતાવ્યો. જેનૌમાં એક એક તીર્થકરનાં વ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને છેવટે મોક્ષ એ પાંચ કલ્યાણકના દિવસને ઉત્તમોત્તમ માનવામાં આવ્યાં છે. તે અઢાઈ દ્વીપના ૧૫ ક્ષેત્રમાં થએલો કે થવાવાળા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળના તીર્થકરોમાંને કેઈને જન્મ, તે કેઈની દીક્ષા તે કોઈને કેવળજ્ઞાન, કેઈ તીર્થકરનું એક કલ્યાણક, તો કેઈનાં બે ત્રણ આ માગસર સુદી ૧૧ ના દિવસે થએલાં ગણાવ્યાં છે. - એકંદરે ત્રણે કાળના અઢાઈદ્વીપના તીર્થકરોનાં કલ્યાણક ૧૫૦ થએલાં ગણાવ્યાં છે. કલ્યાણકના દિવસે ઉત્તમ મનાએલા તેથી આ માગસર સુદિ (૧૧) અગીઆરસ મેટી મનાએલી છે. આ સબધે જૈનોના સંસ્કૃત, પ્રાકૃત તેમજ ભાષાના અનેક લેખ લખાએલા છે અને તેમાંના છપાઈને પણ ઘણું બહાર પડી ગએલા છે ત્યાંથી વિચાર કરી લેવાની ભલામણ કરું છું. જો કે આ અમારે લેખ ચલતા પ્રસંગને નથી. પણ વૈદિકએ મુરૂ દૈત્યના સંબન્ધથી આ અગીઆરસના દિવસને કેવા પ્રકારને ગઠવી જાહેર કર્યો છે તેટલું બતાવવા પુરત જ છે. આ વિષયમાં જેન અને વૈદિકના ઈતિહાસ સિવાય બીજું સાધન અમારી પાસે નથી.વૈદિકમાં મુરૂના મરણ પ્રસંગથી માટે દિવસ ગણવામાં આવ્યા અને જેનોમાં તીર્થકરોનાં કલ્યાણકના દિવસના કારણથી મટે ગણવામાં આવે એટલે જ વિચાર કરીને જોવાનું છે. ત્ય૪ કોન ? . . ઈતિ વૈદિક-બ્રહ્માંડ-માગસર સુદિ ૧૧ ના સંબંધવાળી મુરૂ દૈત્યની કથા, અને તેની સમીક્ષા. પ્રકરણ ૨૮મું સંપૂર્ણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy