SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર. તત્ત્વત્રથી--મીમાંસા. ' ખંડ ૧ દેખી બાળીને ભસ્મ કર્યા. પછી અશુમાન કાકાઓની ખબર લેવા નીકળે. ત્યાં સાઠ હજારના મામા ગરૂડજીથી બળી આની ખબર મળતાં જળાંજલી મૂકી, ત્યારે ગરૂડજીએ કહ્યું કે-ગંગાજીનું જળ મળવાથી સાઠે હજારને ઉદ્ધાર થશે. પછી ગરૂડજીની સાથે જઈ મુનિના આશ્રમમાંથી ઘડે છોડાવી લાવ્યા. યજ્ઞ પૂરો કરી, અંશુમાનને રાજ્ય સોંપી, સગર તપ કરવા લાગ્યા. પછી અંશુમાનના પુત્ર દિલીપ ગાદી ઉપર આવ્યા. તેમણે ઘણાં વર્ષો સુધી તપ કર્યો પણ પત્તે લાગે નહી. પછી તેના પુત્ર ભગીરથે પોતાના પુત્ર કકુથને ગાદી ઍપી એક હજાર વર્ષ સુધી તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ગંગાજીની પ્રાર્થના કરી, પણ બ્રહ્માએ શિવની સહાય લેવાનું બતાવ્યું. તેથી દેવતાઓના વર્ષ સુધી ફરીથી તપ કરી શિવને પ્રસન્ન કર્યા. પછી શિવે ગંગાને માથે ઝીલવાનું કબુલ રાખી, બ્રહ્માનું ધ્યાન કરી, ગંગાને છોડાવી. ગંગાએ શિવને પાતાલમાં એંસી ઘાલવાને વિચાર કર્યો પણ શિવે જટામાંથી એક વર્ષ સુધી ગંગાને ચસકવાજ ન દીધી. પછી ભગીરથની પ્રાર્થનાથી બિંદુ બિદું છેડતાં ત્રણે ધારાથી આકાશ, પાતળ અને પૃથ્વી એમ ત્રણે લોકને પાવન કરતી ગંગાએ સગરના સાઠ હજાર પુત્રને તારી દીધા. પછી દેવતાઓની સાથે આવીને બ્રહ્માએ ભગીરથની સ્તુતિ કરી.” ઈત્યાદિ. ગંગાનું જાન્હવી નામ પાડવાનું કારણ આજ તુલસીદાસ રામાયણના બાલકાંડ ૪ ૨૧૮ ની ટીપમાં વાલ્મિકીય રામાયણનું અવતરણ મુકેલુ. છે તેમાં લખ્યું છે કે – ગંગાજી માર્ગમાં જ રાજાની યજ્ઞ સામગ્રીને તાણી ગયાં હતાં તેથી જહુ ક્રોધ કરી ગંગાને પી ગયા હતા. પણ પછી ભગીરથેસ્તુતિ કરી તે ઉપરથી જહુએ પિતાના અંગમાંથી ગંગાને પાછાં કહાલ્યાં હતાં તેથી જાન્હવી પણ કહેવાય છે. વૈદિકે-તુ. રામાયણના સગર અને જહુનું સ્વરૂપ. જૈન અને વૈદિક સગરના પુત્ર અને ગંગાના વર્ણન ઉપર સમીક્ષા. આ અવસર્પિણીમાં એક કટોકટી સાગરોપમ કાળના પ્રમાણુવાળા ચિથી આને અડધે ભાગ (પચાસ કેટકેટી) વ્યતીત થયા બાદ બીજા તીર્થંકર અજિતનાથ અને બીજા ચક્રવતી સગર થયા હતા. તેમને તથા તેમના સાઠ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy