________________
પ્રકરણ ૮ મું.
જેના આધ તીર્થકર શ્રી ઝષભદેવ.
૧૧૧
vvvvvvvvvvvvvv
-
રહી નથી. જેથી ભરત રાજાના હુકમથી શ્રાવકના આચાર વિચાર પૂછીને જે ખરા હતા તેમને કાંકિણી રત્નથી ચિહ કરી દાખલ કરવામાં આવતા અને છ છ મહિનાએ તેમની પરીક્ષા પણ લેવાતી. “જિમવાન' થી શરૂ થતા ઉપદેશના અંતે તે શ્રાવકે “મા હન” “માહન” શબ્દ બોલતા તેથી તેમનું નામ “મા ન” (બ્રાહ્મણ) પ્રસિદ્ધ થયું. પ્રાકૃત ભાષામાં આજે પણ બ્રાહ્મણ શબ્દના ઠેકાણે માહન શબ્દ ઘણી જગ્યા પર લખાએલે જોવામાં આવે છે.
આ બ્રાહ્મણોના પઠન પાઠન માટે ભરત રાજાએ શ્રી કષભદેવ ભગવાનના ઉપદેશાનુસાર શ્રી ઋષભદેવના ગુણની સ્તુતિ રૂપ, શ્રાવકધર્મના સ્વરૂપથી ગર્ભિત અને સર્વનયના વિચારોથી સર્વ પદાર્થોનું કથન છે જેમાં એવા ચાર આર્યવેદની રચના કરી તેમનાં નામ–૧ સંસાર દર્શન વેદ, ૨ સંસ્થાપન પરા મવેદ, ૩ તત્વાવધ વેદ, અને ૪ વિદ્યાપ્રબોધ વેદ. આ ચાર વેદે ભરતે પિતે સ્થાપેલા બ્રાહ્મણ શ્રાવકને અર્પણ કર્યા. જેથી તેમની પરંપરામાં આ ચારે આર્યનું પઠન-પાઠન ચાલતું રહ્યું.
જન પ્રમાણે શુદ્ધવેદની અને બ્રાહ્મણની ઉત્પતિ.
વેદમાં વિકારની શરૂઆત.
**
*
****
સ્ત ચક્રવતિના મોટા પુત્ર સૂર્યથશા (આદિત્યયશા) ના સંતાનની પરંપરા તે સૂર્યવંશના નામે, અને બાહુબલીના મોટા ચઢયશાના વંશજો ચંદ્રવંશના નામથી આ ભરતખંડમાં
પ્રસિદ્ધ થયા. તેમજ રાષભદેવના પુત્ર કરૂના વંશજો કુરૂવંશના નામથી પ્રસિદ્ધ થયા. ( કૌરવ અને પાંડવો આ જ વંશમાં ઉત્પન્ન થયા હતા.)
ઉપરના પ્રકરણમાં જણાવેલા બ્રાહ્મણ શ્રાવકે પિતાના પુત્રને દીક્ષા અપાવતા કે પઠન પાઠન કરાવી શ્રાવક ધર્મમાં સ્થાપિત કરતા. આ પ્રમાણેની રીતિ ભારતરાજા હતા ત્યાં સુધી ચાલુ રહી. જ્યારે ભારતના પછી તેમની ગાદી ઉપર સૂર્યશા આવ્યા ત્યારે તેમણે કાકિણી રત્નના પ્રભાવે સોનાની જનેઈઓ પહેરાવી અને બાકીની સારવાર ભરતરાજાની પેઠે કરતા રહ્યા. પછી સૂર્યાયશાના પુત્ર મહાયશ ગાદી ઉપર આવ્યા ત્યારે તેણે ચાંદીની જઈઓ પહેરાવી. પછી તેમના સંતાનોએ કેમે કરી પંચરંગની અને છેવટે સૂત્રની પહેરાવી એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org