SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક૭ ૪ થું. પીરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્ ૩૩ પિતાના કારણથી ઉત્પન્ન થાય છે ૧૨ એ અત્યંત સૂક્ષ્મથી અંતરિક્ષ, જેના -સર્વોત્તમ સામર્થ્યથી સૂર્યાદિલેક, પરમાણુ કારણરૂપ સામર્થ્યથી પૃથ્વી, જલને પણ તેના કારણથી, શ્રોત સામર્થ્યથી દિશાઓ, કારણરૂપ સામર્થ્યથી સર્વ લોકને, સર્વ પદાર્થોને ઉત્પન્ન કર્યા છે ૧૩ છે દેવ-વિદ્વાન તેમને પણ તેમના કર્માનુસાર ઉત્પન્ન કર્યા છે. તે ઈશ્વરના આપેલા પદાર્થોને લઈ યજ્ઞાનુકાન કરે છે. અને જે બ્રહ્માંડનું રચન, પાલન, અને પ્રલય કરવા રૂપ યજ્ઞ છે તેને જ જગત્ બનાવવાની સામગ્રી કહીએ છીએ. પુરુષે ઉત્પન્ન કર્યો જે આ બ્રહ્માંડ યજ્ઞ છે એમાં ઋતુએ ઘીઆદિ છે. રૂપકાલંકારથી સર્વ બ્રહ્માંડનું વ્યાખ્યાન જાણવું છે ૧૪વા . ઇશ્વરે એક એક લાકના ચારે તરફ સાત સાત પરષિ ઉપર ઉપર રચી છે. એક એકરા ઉપર સાત સાત આવરણ બનાવ્યાં-૧ સમુદ્ર, ૨ ત્રસરેણું, ૩ મેઘમંડલવાયુ, ૪ વૃષ્ટિજલ ૫ વૃષ્ટિ જવના ઉપર એક પ્રકારને વાયુ, ૬ અત્યંત સૂક્ષ્મવાયુ જેને ધનંજય કહે છે, છ સૂવાત્માવાયુ ધનંજયથા અત્યંત સૂક્ષમ, એ સાતને પરિધિ કહે છે. આ બ્રહ્માંડની સામગ્રી ૨૧ પ્રકારની છે–૧ પ્રકૃતિ, બુદ્ધિ, જીવ એ વણે મલીને એક અત્યંત સૂક્ષમ છે, ૨ શ્રોત્ર, ૩ ત્વચા, ૪ નેત્ર, ૫ જીન્હા, ૬ નાસિકા, ૭ વાફ્ર, ૮ પગ, ૯ હાથ, ૧૦ ગુપ્ત. ૧૧ લિંગ ૧૨ શબ્દ, ૧૪ સ્પર્શ, ૧૪ રૂપ, ૧૫ રસ, ૧૬ ગંધ, ૧૭ પૃથ્વી, ૧૮ જલ, ૧૯ અગ્નિ, ર૦ વાસુ, ર૧ આકાશ, એ ૨૧ સમિધા કહેવાય છે. જે જગને રચવાવાળો દેખવાવાળે પૂજ્ય છે. તેમને વિદ્વાન લેક સુણીને તેનાજ ઉપદેશથી, તેનાજ કર્મ, ગુણોનું-કથન, પ્રકાશ, ધ્યાન, કરે છે. બીજાને ઈશ્વર નહી માનો તેના ધ્યાનમાં દઢ બંધનથી પોતાના આત્માનું કલ્યાણ જાણે ૧૫ / વિદ્વાનેને દેવ કહે છે, તે સર્વના પૂજ્ય હોય છે, આથી મનુબેને ઉચિત છે કે વેદમંત્રથી સ્તુતિ, પ્રાર્થનાદિ કરીને શુભ કર્મોને આરંભ કરે. જે ઈશ્વરની ઉપાસના કરવાવાળે છે તે સર્વ દુઓથી છુટીને પૂજ્ય થાય છે. વિદ્વાન જે પદને પ્રાપ્ત થઈ નિત્ય આનંદમાં રહે છે તેને જ મેક્ષ કહે છે. તે નિવૃત્ત થઈ દુઃખમાં પડતા નથી. મા ૧૬ પરમાત્માને જ્યારે સુષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય અને જ્યારે તે સુષ્ટિ ઉત્પન્ન કરવા લાગે ત્યારે પણ તે પ્રજાપતિ કહેવાય છે. જ્યારે ઉત્પન્ન કરે છે ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy