SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વત્રયીની પ્રસ્તાવના. વિષયેના વિચારે, ગુટક ફુટક સ્વરૂપના દેખાય છે તે, અને પ્રાચીન રૂપ ઇતિહાસના વિષયે કે જે જગેજગે પર ઉંધા છત્તા સ્વરૂપના દેખાય છે તે, સર્વાના કથનમાંથી લઇને–તેમાં ઉંધું છતું કરીને, તેવા કેઈ મૂળના લેખકોએ જાણું બૂજીને લેકને ઉંધા પાટા બંધાવાને પ્રયત્ન કરેલ છે. અને પ્રમાણુ વિનાના મોટા મોટા ગ્રંથ લખીને, લેકેને ભ્રમિષ્ટ કરવાનો પ્રયત્ન કરતા ગયા છે. તેથી આજકાલની વિચક્ષણ પ્રજા ભૂમિષ્ટ થઈ રહી છે. બીજા સજને પણ મારી પેઠે અભ્યાસ કરીને જેશે તે, તેઓ પણ જરૂર સત્યાસત્યને વિચાર કરી શકશે, એમ હું પૂર્ણ ખાતરીથી કહી શકું છું. - આ તે માત્ર નવ વિકેના સંબંધની સૂચના થઈ. બીજી વાત જુવે કે–પહેલા વાસુદેવના પિતા કે જે પુત્રીના સંબંધથી લેકે માં-પ્રજાપતિના નામથી પ્રસિદ્ધ થયા હતા, તેને જ વૈદિકેના પડિતાએ બ્રમ્હા રૂપે કલ્પીને-ચારે વેદમાં, બ્રામ્હણ ગ્રંથમાં, ઉપનિષદમાં, જગના માલક બનાવી દઈને, સંપૂર્ણ વૈદિકના ગ્રંથમાંજ બેસી ઘાલ્યા છે. વળી ત્રીજી વાત જુવે કે-વાસુદેવે નવ (૯) થયા છે, કેટલાંક તેમાંનાં નામે સર્વથા ઉડાવી દઈને એકજ વિષ્ણુના નામથી–સર્વજ્ઞ તીર્થકરના અનુકરણ રૂપે-મસ્ય, કૂર્માદિક ૨૪ અવતારે કલ્પીને તેમાં સાચી જૂઠી કલ્પ નાઓ ભેળવીને-મત્સ્ય પુ. ફૂમ પુત્ર વરાહ પુત્ર આદિના નામથી મેટા મેટા કલ્પિત લેખે લખી, ચાર લાખ (૪૦૦૦૦૦) લેકના પ્રમાણવાળાં ૧૮ પુરાણો ઉભાં કરી દીધાં છે. અમે આદિ અનાદિના છિએ, એવું ડાળ બતાવવાના માટે, જુઠે જુઠું ધાંધલ કેવા સ્વરૂપનું ઉભું કરી દીધું છે? - કેવલ અજ્ઞાન પ્રજાને લાભ લઈને, આ બધા અક્ષરોના પંડિતાએ દુનિયાને ઉંધા પાટા બંધાવવાને માટે કેવું વિપરીત સાહસ ખેડયું છે? વળી એક થી વાત જુઓ કે--આ અવસર્પિણીમાં, ચકવતીઓ ૧૨ થએલા સર્વાએ બતાવેલા છે. જેને પુણ્યના ભેગથી-હાથી, ઘેડાદિ, મહાપરાક્રમી ૧૪ રતને આવીને મળે તેજ ચક્રવતી થાય, તેવા ૧૨ જ થએલા છે. વૈદિકએન્તમાંના ભારત, સગર, સનસ્કુમારાદિ, બે ચાર નામને સાધારણ રાજા તરીકે લખીને, તેઓના ઈતિહાસમાં ઊંધું છતું ચિત્રીને, તેમના સંબંધનાં ૧૪ રત્નને, બ્રમ્હાદિક દેવના સમુદ્રમંથનથી ઉત્પન્ન થએલાં બતાવ્યાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy