SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્વત્રયીની પ્રસ્તાવના. 183 wwwwwwww શતપથ-એ વેદથી બીજે નંબરે છે. પરમાત્માના સ્વરૂપને વિચાર એ ઉપનિષદને મુખ્ય તત્વ છે. ત્રાગના પુરૂષમાંથી આત્માના વિચારો થયા, સુષ્ટિના રચનાર પ્રજાપતિમાંથી ભૂત માત્રના આદિકારણ નિર્ગુણ બ્રહ્મને વિચાર થયો. એ કમનું છેવટ ઉપનિષદમાં થયું. ગ. માં-આત્માનો અર્થ–શ્વાસ તે વાયુ ને વરૂણને આમ કહ્યો. બ્રાહ્મણેમાં એને જીવ અર્થ થયે. એક ઠેકાણે આત્મા ઉપર જેઓનો આધાર તેવા પ્રાણની-દેવતાઓની સાથે એકતા સ્થાપતાં, વિશ્વને આત્મા હોવાની કલ્પના થઈ. શતપથના-એક મોડા રચાયેલા કાંડમાં–એ આત્મા વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલે એમ કહેવામાં આવ્યું. માં-બ્રહ્મને અર્થ–પ્રાર્થના, અથવા ભક્તિ, એટલે જ હતું, પણ જૂનામાં જૂનાં બ્રાહ્મણેમાં–પ્રાર્થના, વિપ્ર અને યજ્ઞમાં વિશુદ્ધિને અથે, દાખલ થયો, ઉપનિષદોમાં-પ્રકૃતિ ને સચેતન કરનારું, તત્વનો અર્થ થયે . ધાર્મિક ઉત્ક્રાંતિનું સઘળું ત ત્વ–આ એક શબ્દથી સૂચવાય છે, આત્મા અને બ્રહ્મ એ બે, ઉપનિષદે માં સાધારણ રીતે એક જ ગણાય છે. પણ ખરું જોતાં બ્રહ્મથી વિશ્વમાં વ્યાપી રહેલા પરમાત્માનું સૂચન થાય છે. અને આત્મા એ શબ્દથી માનવીમાં પ્રગટ થતા ચૈતન્યનું ભાન કરાવે છે. જાણીને આ માને અજ્ઞાત બ્રમ્હ ઉપરે જવું એ અર્થ માં બ્રમ્હ લેવાય છે. વૃદ્ધા માં અક્ષર એ નામથી આત્માનું વર્ણન છે, તેમાં જણાવ્યું છે કે-એ સ્થૂલાદિકમાંને એકે નથી. એ કેઈના સંગમાં લપટાતું નથી. કોઈને સ્પર્શતે નથી એ કેઇનું ભક્ષણ કરતું નથી. કેઈએનું ભક્ષ ગુ કરતું નથી. એને કઈ જોતું નથી. એ સકલ વસ્તુને વિજ્ઞાતા છે. એના વિના બીજે કંઈજ નથી. આ અવિનાશીને અંદર આકાશ ઓત પ્રત થઈને રહેલું છે, તત્વ ચિંતનના પરમતત્વને વિચાર સૌથી વહેલે આ સ્થળે જોઈએ છિએ.” કાઠક ઉપનિષહ્માં–આત્મા વિષે જણાવ્યું છે કે જ્યાંથી સૂર્યને ઉદય અને જ્યાં અસ્ત થાય છે, તેમાં સઘળા દેવતાઓને સમાવેશ થઈ જાય છે. તેની પેલી પાર કેઈ જઈ શકતું નથી." એ આંખથી જોઈ શકાતું નથી. હુદયાદિકથી ગ્રહણું થઈ શકે છે. જેઓ એને જાણે છે, તે અમર બની જાય છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy